ભાવનગર: શહેરમાં 25 વર્ષથી ભાજપ શાસનમાં છે ત્યારે શહેરમાં ઉનાળામાં આશરે 5 હજાર ટેન્કર અને વર્ષના અંતે 14 હજાર ટેન્કરની એવરેજ સામે આવી છે. કેટલા લીટર પાણી ટેન્કર આપવામાં આવે છે અને લોકોની સ્થિતિ શુ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો છે. જાણો પાણીના વલખા અને પાણીની સમસ્યાઓ(Sensation of water shortages) કેવી?
આ પણ વાંચો: આ ગામે નલ સે જલ યોજનાના દાવા પોકળ પુરવાર,પીવાના પાણી માટે પ્રજા પરેશાન
ભાવનગરમાં હાલમાં 2022માં પાણી સમસ્યા અને કેવી -ભાવનગર શહેર હજુ પણ પાણીની સમસ્યા(Scenes of water shortages) અનુભવી રહ્યું છે. રહેવાસીઓએ શહેરના કૃષિ વિસ્તારમાં(Bhavnagar agricultural area) બહુચરાજી વાળા ખાંચામાં પાણીનું ટેન્કર મોકલવા વિનંતી કરી હતી. જ્યારે ETV ભારતની ટીમ ટેન્કર સાથે સ્થળ પર પહોંચતા મસ્યાનો અહેસાસ દ્રશ્યોમાં અમે કંડાર્યો હતો. રહેવાસીઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો અને સ્ત્રીઓ ખાઈ તરફ દોડી ગયા, જ્યાં ઉનાળામાં 42 ડિગ્રી તાપમાનમાં ટેન્કરોએ પીવાના અને પીવાલાયક પાણી સાથે ડોલ અને ટબ ભરવાનું શરૂ કર્યું. નાના બાળકોની ક્ષમતા કરતા વધુ ભાર ઊંચક્યો હતો. "આ અમારા ખેતરનો અંતિમ ભાગ છે," સ્થાનિક રહેવાસી જગદીશે જણાવ્યું હતું. ખાંચામાં બહુચર માતાજી છેલ્લા 5થી 7 વર્ષથી પાણી વગરના છીએ. ખાલી પાણીની લાઇનની પાઇપ બદલવી જરૂરી છે. તે માત્ર ચોમાસા દરમિયાન જ દેખાય છે અને સમગ્ર ઉનાળા દરમિયાન દેખાતું નથી. ઉનાળામાં, ઉનાળામાં તો અઠવાડિયે એક ટાંકો બનાવવો પડે છે. આ ભાજપ કોંગ્રેસ નથી, પરંતુ આ વિસ્તારમાં ભાજપનું નિયંત્રણ છે. બીજી રીતે કહીએ તો, અમે કહી એટલે પાણીનો ટાંકો આવી જ જાય છે.
ફિલ્ટરમાંથી કેટલા જાય છે ટેન્કર અને શું છે ત્રણ વર્ષની સ્થિતિ - ભાવનગરની વસ્તી અંદાજે 7 લાખ જેટલી છે. અત્યારે પણ, ભાવમગર શહેરમાં મે 2022 સુધી દરરોજ 55થી 60 ટેન્કર આવે છે. 5,000 અને 10,000 લિટરની ક્ષમતાવાળા બે ટેન્કરો ફેર મારતા હોઈ છે. કોર્પોરેટર અને પાણી વિભાગ અથવા અન્ય સંબંધિત પક્ષની વિનંતી પર ટેન્કરો મોકલવામાં આવે છે. ફિલ્ટર ઓફિસર જે.એમ. સોમપુરાના જણાવ્યા અનુસાર, 2022ના ઉનાળામાં ટેન્કરની જરૂર પડશે, ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યાં પાણીની લાઈન તુટી(Water Line Broke) હોય અથવા ડ્રેનેજ પાણી લાઈનમાં(Drainage water line) ભળી ગઈ હોય. જો કે છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો માર્ચ 2022માં 1209 ટેન્કરો, એપ્રિલમાં 1391 ટેન્કર અને 21મી મે સુધીમાં 1271 ટેન્કર મોકલવામાં આવ્યા હતા. ત્રણ વર્ષમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને પરિસ્થિતિ જેની તે દેખાય છે.
આ પણ વાંચો: પાણીની સમસ્યા વિકટ બની: રાધનપુરના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પાણી સમસ્યા અંગે પત્ર લખી રજૂઆત કરી
કેટલો ખર્ચ અંદાજે ટેન્કરોનું અને કેટલા લીટર પાણી ટેન્કરથી - ભાવનગર શહેરમાં ટેન્કરો રોજના ઉનાળામાં 55 થી 60 જાય છે અને મહિને આશરે 1300 ટેન્કર અને વર્ષે 12 થી 13 હજાર ટેન્કર મહાનગરપાલિકા મોકલી પાણી પૂરું પાડે છે. હવે પાણીના ટેન્કરો 5 અને 10 હજાર લિટરના ચાલી રહ્યા છે ત્યારે જોવા જઈએ તો ગણતરી કરવામાં આવે તો એક ટેન્કર 5 હજાર લિટરનું હોઈ તો રોજના 60 ટેન્કર જતા હોય તો 3 લાખ લીટર પાણી રોજનું ટેન્કર મારફત આપવામાં આવી રહ્યું છે. આમ લાખો લીટર પાણી મહાનગરપાલિકા પ્રજાને રેન્કર મારફત આપી રહી છે.