ETV Bharat / city

બોપલથી અમિત શાહે રૂપિયા 800 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું - amit shah amdavad ma

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રો કરતા સ્પષ્ટ પણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસના કામો થયા છે, તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી છે.

amit shah in ahemdabad
author img

By

Published : Oct 26, 2019, 4:48 PM IST

અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રોનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહપ્રધાને દિપાવલીના ઉજાસ પર્વને ૪,૪૩૯થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતાં. ગૃહપ્રધાને ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની સંકલ્પ લીધો હતો. વડાપ્રધાને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિત પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે, એટલું જ નહિ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.

બોપલથી અમિત શાહે રૂપિયા 800 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું


અમિતભાઈ શાહે વિપક્ષ કોંગ્રસના શાસનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું પડેલું તેની આલોચના કરતા જણાવ્યું કે, ગરીબી જેણે જોઈ હોય દુઃખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે, ગરીબ કલ્યાણના કામો ઉપાડી શકે. આજે ભારતનું સ્થાન એવું છે કે, વિશ્વમાં પર્યાવરણ, આતંકવાદ, કૂટનીતિ જેવી મહત્વની બાબતોમાં ભારતના વડાપ્રધાનના મંતવ્યની નોંધ લેવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરીને અને આતંકવાદીઓના ઘરમાં ઘૂસી સફાયો કરવાના નિર્ણયોથી વડાપ્રધાન મોદીએ ભારતની ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રૂપિયા ૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થયા છે, તે આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી રહી છે. ગુજરાતમાં વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે. વિશ્વના મોસ્ટ ગ્રોઈંગ સિટીમાં આપણા મુખ્ય શહેરોનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા સીટીની ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રહેવા લાયક અને માણવા લાયક નગરોના નિર્માણ થાય છે, આ વિકાસ શહેરનો હેરિટેજ દરજ્જો જળવાય તે રીતે થઈ રહ્યો છે.

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, બે વર્ષમાં ૨૦૦થી વધુ ટી.પી. સ્કીમ મંજૂર કરાઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકાર વતી ગુજરાતની સમગ્ર જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદ મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વર્તમાન સરકાર નગર-વિકાસના વિવિધ કામો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે.

અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રોનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહપ્રધાને દિપાવલીના ઉજાસ પર્વને ૪,૪૩૯થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતાં. ગૃહપ્રધાને ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની સંકલ્પ લીધો હતો. વડાપ્રધાને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિત પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે, એટલું જ નહિ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.

બોપલથી અમિત શાહે રૂપિયા 800 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું


અમિતભાઈ શાહે વિપક્ષ કોંગ્રસના શાસનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું પડેલું તેની આલોચના કરતા જણાવ્યું કે, ગરીબી જેણે જોઈ હોય દુઃખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે, ગરીબ કલ્યાણના કામો ઉપાડી શકે. આજે ભારતનું સ્થાન એવું છે કે, વિશ્વમાં પર્યાવરણ, આતંકવાદ, કૂટનીતિ જેવી મહત્વની બાબતોમાં ભારતના વડાપ્રધાનના મંતવ્યની નોંધ લેવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરીને અને આતંકવાદીઓના ઘરમાં ઘૂસી સફાયો કરવાના નિર્ણયોથી વડાપ્રધાન મોદીએ ભારતની ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રૂપિયા ૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થયા છે, તે આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી રહી છે. ગુજરાતમાં વિકાસના કામો થયા છે અને થઈ રહ્યા છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે. વિશ્વના મોસ્ટ ગ્રોઈંગ સિટીમાં આપણા મુખ્ય શહેરોનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા સીટીની ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રહેવા લાયક અને માણવા લાયક નગરોના નિર્માણ થાય છે, આ વિકાસ શહેરનો હેરિટેજ દરજ્જો જળવાય તે રીતે થઈ રહ્યો છે.

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, બે વર્ષમાં ૨૦૦થી વધુ ટી.પી. સ્કીમ મંજૂર કરાઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકાર વતી ગુજરાતની સમગ્ર જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદ મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વર્તમાન સરકાર નગર-વિકાસના વિવિધ કામો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે.

Intro:અમદાવાદ- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના ૮૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને આવાસ ફાળવણી ડ્રો કરતા સ્પષ્ટ પણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી છે.Body:ગૃહપ્રધાને દિપાવલીના ઉજાસ પર્વને ૪,૪૩૯થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવવા માટે મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. ગૃહપ્રધાને ગાંધીનગર મત વિસ્તારને વિકાસ કામો થકી દેશના તમામ લોકસભા મત ક્ષેત્રોમાં ઉત્તમ સંસદીય વિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. વડાપ્રધાને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય તે પહેલાં દેશમાં સૌને મકાન સહિતની પાયાની સુવિધાઓ આપવાનું અભિયાન છેડ્યું છે. ૩ કરોડ લોકોને રહેવાના પાકા મકાનો આપ્યા છે એટલું જ નહિ વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન, આયુષ્ય માન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પહોંચાડી છે. હવે ઘરે ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર થવાનો છે.

અમિતભાઈ શાહે વિપક્ષ કોંગ્રસના સાશનમાં ૭૦ વર્ષ સુધી દેશના સામાન્ય ગરીબ માનવીને આવી પાયાની સગવડથી વંચિત રહેવું પડેલું તેની આલોચના કરતા જણાવ્યું કે, ગરીબી જેણે જોઈ હોય દુઃખ વેઠ્યું હોય તે જ ગરીબની વેદના સમજી શકે અને ગરીબ કલ્યાણના કામો ઉપાડી શકે. અને નરેન્દ્રભાઈએ ગરીબ કલ્યાણના કામોથી એ ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનું મહત્વ કામ પૂર્ણ કર્યું છે. આજે ભારતનું સ્થાન એવું છે કે વિશ્વમાં પર્યાવરણ, આતંકવાદ, કૂટનીતિ જેવી મહત્વની બાબતોમાં ભારતના વડાપ્રધાનનું શું મંતવ્ય છે તેની નોંધ લેવાય છે. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરીને અને આતંકવાદીઓના ઘરમાં ઘૂસી સફાયો કરવાના નિર્ણયોથી વડાપ્રધાન મોદીએ ભારતની તાકાત ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે, એમ પણ જણાવ્યું હતું.
         
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રૂ ૮૦૦ કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાનના હસ્તે થયા છે, તે આપણા સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરોની વિકાસયાત્રા વર્ષોથી વણથંભી ચાલી છે. ગુજરાતમાં વિકાસના કામો ઠેરઠેર થયા છે અને થઈ રહ્યા છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં ગુજરાતના શહેરોની ગણના થઇ રહી છે. વિશ્વના મોસ્ટ ગ્રોઈંગ સિટીમાં આપણા મુખ્ય શહેરોનો સમાવેશ થયો છે. સરકાર દ્વારા સીટીની ટ્રાફિક સમસ્યા, પર્યાવરણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રહેવા લાયક અને માણવાલાયક નગરોના નિર્માણ થાય સાથે જ શહેરનો પુરાતન વારસો જળવાય, શહેરનો હેરિટેજ દરજ્જો જળવાય તે રીતે કામ થઈ રહ્યું છે.

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, બે વર્ષમાં ૨૦૦થી વધુ ટી.પી. સ્કીમ મંજૂર કરાઈ છે. આ પ્રસંગે રાજ્ય સરકાર વતી ગુજરાતની સમગ્ર જનતાને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
Conclusion:આ પ્રસંગે અમદાવાદ મેયર બિજલબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વર્તમાન સરકાર નગર-વિકાસના વિવિધ કામો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.