ETV Bharat / city

આઇશા આત્મહત્યા કેસ : કોર્ટે આરીફને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

author img

By

Published : Mar 6, 2021, 10:46 PM IST

અમદાવાદની આઇશા આત્મહત્યા કેસમાં શુક્રવારે આરીફને મેટ્રો કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી વેસ્ટ પોલીસે કરેલી તપાસમાં આઇશાએ આરીફને લખેલો પત્ર પણ પોલીસને મળી આવ્યો હતો.

Aisha suicide case
Aisha suicide case
  • આરીફને મેટ્રો કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
  • પોલીસ તપાસમાં આઇશાએ આરીફને લખેલો પત્ર પણ પોલીસને મળ્યો
  • આઇશા આત્મહત્યા કેસમાં જોડાઇ નવી કડી

અમદાવાદ : આઇશા આત્મહત્યા કેસમાં સસરા પક્ષ તરફથી ત્રાસી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવનારી આઇશાના પતિ આરીફને બુધવારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરીફના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ શુક્રવારના રોજ પૂરા થતા આરીફને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ નામદાર કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

પોલીસને તપાસમાં આઇશાએ લખેલો પત્ર મળ્યો

તપાસ કરી રહેલી પોલીસને આઇશાએ આરીફને લખેલો પત્ર મળી આવ્યો હતો. જેમાં તેને આરીફને પત્રમાં લખ્યું છે કે, આરીફે તેની સાથે દગો કર્યો છે અને તેનું નામ ખોટી રીતે આસીફ સાથે જોડી દેવામાં આવ્યું છે.

કોર્ટે આરીફને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

આત્મહત્યા માટે દુષ્પ્રેરણા માટે શું છે કાયદામાં જોગવાઈ?

ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 306 અંતર્ગત આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આઇશા પક્ષ તરફથી પણ તેમના વકીલે જણાવ્યું હતું કે, આઇશાને ન્યાય મળે તે માટે કડકથી કડક સજા થાય તેવા તેમના પ્રયાસો રહેશે.

આઇશા આત્મહત્યા કેસની સમગ્ર વિગતો

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

27 ફેબ્રુઆરી, 2021 અમદાવાદ : શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

આઇશાનો પતિ અને સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા હતા

આ અંગે વટવામાં રહેતા અને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઇશાના પિતા લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો છે.

તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલી દેજે

વર્ષ 2019થી આઇશા પિયરમાં રહીને બેંકમાં મ્યૂચ્યુઅલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. જ્યાંથી બપોરે તેને પિતાને ફોન કરીને આરીફને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતુ. આઇશાએ પિતાને જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ તેવું કહેતાં, આરીફે આઇશાને કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.

બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળ્યો

જે બાદ આઈશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશા કોઈ અગમ્ય પગલું ન ભરે તે માટે તેની માતાએ સમજાવી હતી અને માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાનો મૃતદેહ બાહર કાઢ્યો હતો.

પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઇશાના મોબાઈલમાં જોયું તો તેને એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતાં પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે તેના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આઈશા લડાઈઓ કે લિયે નહીં બની…!

“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ, આઇશા આરીફખાન…

ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…

ઇસમે કિસીકા દબાવ નહીં હૈ, અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકી જિંદગી ઇતની હોતી હે...

ઔર મુઝે ઇતની જિંદગી બહોત સુકુન વાલી લગતી હૈ...

ઔર ડેડ કબ તક લડેંગે અપનો સે કેસ વિડ્રોલ કર દો...

આઇશા લડાઈઓ કે લીયે નહીં બની, પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે...

ચલો અપની જિંદગી તો યહી તક હૈ...

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી કહાં ગલતી રહ ગઈ મેરે સે?

માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહ ગઈ મુઝ મેં યા શાયદ તકદીર મેં...

મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે...

મુઝે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે... ચલો અલવિદા.”

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

'સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે"

પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે'

​​​​​અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'

'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે'

'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ

જે બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના પોલીસનું નિવેદન

રિવરફ્રન્ટ યુવતી આપઘાત મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આપઘાત કર્યો એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર

5 માર્ચ, અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. કોર્ટે આઈશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, પોલીસ પૂછપરછમાં આરિફ આર્થિક રીતે સદ્ધર છે અને તેની પાસે ચાર દુકાનો અને ત્રણ ભવ્ય મકાનો છે. તે સદ્ધર હોવા છતાં આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માગ કરીને માનસિક ત્રાસ આપતો હતો.

આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ

આઇશાને ન્યાય મળે તે માટેની અરજી કરતા આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, આરીફને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ બબાલ ઉભી થાય તેવુ હું ઇચ્છતો નથી. ઉલ્લેખનીય છે કે, પોલીસે 2 માર્ચના રોજ આઇશાના પતિને પાલિમાંથી ઝડપી લીધો હતો. જે બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

પતિને આજીજી કરતો વીડિયો થયો હતો વાયરલ

આ અગાઉ આઇશા તેના પતિને આજીજી કરતી હોય તેને લઇ સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા જસ્ટિસ ફોર આઇશાનો મેસેજ ટ્રેન્ડ કરી રહ્યો છે. વીડિયોમાં આઇશા પોતાના પતિને આજીજી કરી રહી છે, જ્યારે બીજી તરફ તે તેના પિતાને પણ કહી રહી છે કે, તેના ગયા બાદ કોઈ બખેડો ન ઉભો થાય.

  • આરીફને મેટ્રો કોર્ટે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
  • પોલીસ તપાસમાં આઇશાએ આરીફને લખેલો પત્ર પણ પોલીસને મળ્યો
  • આઇશા આત્મહત્યા કેસમાં જોડાઇ નવી કડી

અમદાવાદ : આઇશા આત્મહત્યા કેસમાં સસરા પક્ષ તરફથી ત્રાસી સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવનારી આઇશાના પતિ આરીફને બુધવારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે આરીફના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ શુક્રવારના રોજ પૂરા થતા આરીફને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ નામદાર કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

પોલીસને તપાસમાં આઇશાએ લખેલો પત્ર મળ્યો

તપાસ કરી રહેલી પોલીસને આઇશાએ આરીફને લખેલો પત્ર મળી આવ્યો હતો. જેમાં તેને આરીફને પત્રમાં લખ્યું છે કે, આરીફે તેની સાથે દગો કર્યો છે અને તેનું નામ ખોટી રીતે આસીફ સાથે જોડી દેવામાં આવ્યું છે.

કોર્ટે આરીફને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

આત્મહત્યા માટે દુષ્પ્રેરણા માટે શું છે કાયદામાં જોગવાઈ?

ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 306 અંતર્ગત આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આઇશા પક્ષ તરફથી પણ તેમના વકીલે જણાવ્યું હતું કે, આઇશાને ન્યાય મળે તે માટે કડકથી કડક સજા થાય તેવા તેમના પ્રયાસો રહેશે.

આઇશા આત્મહત્યા કેસની સમગ્ર વિગતો

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

27 ફેબ્રુઆરી, 2021 અમદાવાદ : શહેરમાં એક પરિણીત યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. તેમને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પોતાના શબ્દોથી હસતા મોઢે દુઃખ વ્યક્ત કરતી જોવા મળે છે અને છેલ્લા શબ્દોમાં દુનિયાને અલવિદા કહીં નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

આઇશાનો પતિ અને સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા હતા

આ અંગે વટવામાં રહેતા અને સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આઇશાના પિતા લિયાકતઅલી મકરાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયા દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પણ ચાલી રહ્યો છે.

તારે મરવું હોય તો મરી જા અને મને વીડિયો મોકલી દેજે

વર્ષ 2019થી આઇશા પિયરમાં રહીને બેંકમાં મ્યૂચ્યુઅલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ગત ગુરુવારે આઇશા નોકરીએ ગઈ હતી. જ્યાંથી બપોરે તેને પિતાને ફોન કરીને આરીફને ફોન કર્યો હોવાનું જણાવ્યું હતુ. આઇશાએ પિતાને જણાવ્યું કે, આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી. હું આત્મહત્યા કરી લઈશ તેવું કહેતાં, આરીફે આઇશાને કહ્યું હતું કે, તારે મરવું હોય તો મરી જા અને પૂરાવાના ભાગરૂપે મને વીડિયો મોકલી દેજે.

બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળ્યો

જે બાદ આઈશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશા કોઈ અગમ્ય પગલું ન ભરે તે માટે તેની માતાએ સમજાવી હતી અને માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાનો મૃતદેહ બાહર કાઢ્યો હતો.

પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધાયો

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આઇશાના મોબાઈલમાં જોયું તો તેને એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતાં પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે તેના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આઈશા લડાઈઓ કે લિયે નહીં બની…!

“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ, આઇશા આરીફખાન…

ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…

ઇસમે કિસીકા દબાવ નહીં હૈ, અબ બસ ક્યા કહે? યે સમજ લિજીયે કે ખુદાકી જિંદગી ઇતની હોતી હે...

ઔર મુઝે ઇતની જિંદગી બહોત સુકુન વાલી લગતી હૈ...

ઔર ડેડ કબ તક લડેંગે અપનો સે કેસ વિડ્રોલ કર દો...

આઇશા લડાઈઓ કે લીયે નહીં બની, પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે...

ચલો અપની જિંદગી તો યહી તક હૈ...

મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી કહાં ગલતી રહ ગઈ મેરે સે?

માં બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહ ગઈ મુઝ મેં યા શાયદ તકદીર મેં...

મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે...

મુઝે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે... ચલો અલવિદા.”

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો

'સમજ લિજીયે કે ખુદા કી ઝીંદગી ઇતની હોતી હે"

પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન...ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું... ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે... ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો, નહિ કરના, આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફસે ઉસે પરેશાન થોડી કરેગે?"

'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે'

​​​​​અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ?, મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે, પર શાયદ કહી કમી રેહ ગઈ, મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું, અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે.'

'મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે'

'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો, એક તરફા મેં કુછ હાસિલ નહીં હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે, ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું, ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના, મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચૂકી હું કાફી હે, થેંક્યું. મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ

જે બાદમાં ફરી આઇશાને લઈ જતાં ઝઘડો થયો હતો અનવ ફરી અમદાવાદ તેને પિયરમાં મૂકી જતા આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

આઇશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નીકળ્યાં હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના પોલીસનું નિવેદન

રિવરફ્રન્ટ યુવતી આપઘાત મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 25 તારીખે આઇશા ઘરેથી નીકળી હતી, ત્યારે તેના સાસુ અને સસરા સાથે એટલે કે સાસરીમાં અણબનાવ બનતા તેને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આઇશા સાસરીમાં જવા તૈયાર નહોતી. આ મામલે તેના માતાપિતાએ તેને સમજાવી હતી, પરંતુ જ્યારે આઇશાએ આપઘાત કર્યો એ પહેલાં તેના પતિ આરીફ સાથે તેને ફોન પર વાત કરી હતી અને તેમાં તેને કહ્યું હતું કે હું આત્મહત્યા કરી લઈશ. જેથી આરીફે જણાવ્યું કે તારે મરવું હોય તો મરી જા, પરંતુ મરવાની વાત વીડિયોમાં મોકલજે. આ મામલે પોલીસના જણાવ્યા મુજબ પીડિતા પતિના ઘરે જવા માંગતી હતી, પરંતુ તેનો પતિ તેને ધરાર સ્વીકારવા તૈયાર ન હતો. જે કારણે આઇશાએ પોતાનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર

5 માર્ચ, અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. કોર્ટે આઈશાના પતિના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, પોલીસ પૂછપરછમાં આરિફ આર્થિક રીતે સદ્ધર છે અને તેની પાસે ચાર દુકાનો અને ત્રણ ભવ્ય મકાનો છે. તે સદ્ધર હોવા છતાં આઈશાના પિતા પાસે અવારનવાર પૈસાની માગ કરીને માનસિક ત્રાસ આપતો હતો.

આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ

આઇશાને ન્યાય મળે તે માટેની અરજી કરતા આઇશાના પિતાએ જણાવ્યું હતું કે, આરીફને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈ બબાલ ઉભી થાય તેવુ હું ઇચ્છતો નથી. ઉલ્લેખનીય છે કે, પોલીસે 2 માર્ચના રોજ આઇશાના પતિને પાલિમાંથી ઝડપી લીધો હતો. જે બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

પતિને આજીજી કરતો વીડિયો થયો હતો વાયરલ

આ અગાઉ આઇશા તેના પતિને આજીજી કરતી હોય તેને લઇ સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા જસ્ટિસ ફોર આઇશાનો મેસેજ ટ્રેન્ડ કરી રહ્યો છે. વીડિયોમાં આઇશા પોતાના પતિને આજીજી કરી રહી છે, જ્યારે બીજી તરફ તે તેના પિતાને પણ કહી રહી છે કે, તેના ગયા બાદ કોઈ બખેડો ન ઉભો થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.