- અમદાવાદ અને દાદર વચ્ચે દોડશે ખાશ ટ્રેન
- 20 ડિસેમ્બરથી બુકિંગ ચાલુ
- ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે
અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 09202/09201 અમદાવાદ - દાદર - અમદાવાદ ગુજરાત મેઇલ સ્પેશિયલ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
લગભગ7 :30 કલાકનો સફર
ટ્રેન નંબર 09202 અમદાવાદ - દાદર સ્પેશિયલ 21 ડિસેમ્બર, 2020થી દરરોજ 22:50 કલાકે અમદાવાદથી ચાલીને બીજા દિવસે સવારે 06: 15 કલાકે દાદર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ દાદરથી 22 ડિસેમ્બરથી 21:40 કલાકે ચાલીને બીજા દિવસે સવારે 05:55 વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં આ સ્થળોએ ઉભી રહેશે ટ્રેન
આ ટ્રેન માર્ગમાં બન્ને દિશામાં મણીનગર, મહેમદાબાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દહાનુરોડ અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.
ઓનલાઇન બુકિંગ રેલવેની વેબસાઈટ પર ઉપલબ્ધ
ટ્રેન નંબર 09202/09201નું બુકિંગ 20 ડિસેમ્બર 2020થી સુનિશ્ચિત પી.આર.એસ કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સીની વેબસાઇટ પર ચાલુ થશે.