- પ્રિમોન્સુન કામગીરીને લઇને મેયરની હાજરીમાં મળી સામાન્ય બેઠક
- તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા હોદ્દેદારોને આપ્યા આદેશ
- પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ હોવાની મેયરે આપી માહિતી
અમદાવાદ: ગુજરાતમાં 20 જૂનથી રાજ્યમાં આવનારા વરસાદને પગલે મેયરે બેઠક બોલાવી હતી. આ બાદ, મીડિયા સાથે વાતચીત કરતા મેયર કિરીટ સોલંકી જણાવ્યું હતું કે, હાલ પ્રિ-મોન્સૂન કામગીરીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બીજા તબક્કાની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પાણી ભરાવવાની વધુ સમસ્યા આવે છે તેવા 17 એરીયા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આવા કુલ 40 જેટલા સ્થળો હતા. જ્યાં, વધુ પ્રમાણમાં પાણી ભરાતું હતું. પરંતુ, આ વર્ષે માત્ર 17 જગ્યાએ વધુ પાણી ભરાવવાની સમસ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.
આ પણ વાંચો: પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે
મેયરે અધિકારીને આપેલા સૂચનો
બેઠક દરમિયાન મેયરે અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીને અપગ્રેડેશન તારાપુર તેમજ જરૂરી જગ્યાએ કંટ્રોલરૂમનું આયોજન પણ કરવું આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા સ્ટ્રીટ લાઇટના થાંભલા પડવા અને વીજકરંટથી અકસ્માત શક્યતાઓનું ચોમાસા પહેલા નિરાકરણ અધિકારીઓએ લાવવું પડશે. આ ઉપરાંત, ચોમાસું આવે તે પહેલાં જ યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ-ટુ રાખવી પડશે. વધુમાં મેયરે અધિકારીઓને સૂચના આપી હતી કે, તમામ જાહેરાતમાં હોડી ચેક કરવા અને જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી અધિકારીઓએ રાખવી પડશે.
આ પણ વાંચો: કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ