ETV Bharat / city

અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક

ગુજરાતમાં 20 જૂનથી મેઘરાજાની પધરામણી થાય તેવી શક્યતાઓ છે. ત્યારે, સામાન્ય વરસાદમાં ભારે નુકસાન થતું હોવાના કારણે અમદાવાદ શહેરમાં પ્રિમોન્સુન કામગીરીને લઇને મંગળવારે મનપાના હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન શહેરના પ્રથમ નાગરિક અને અધિકારીઓને કેટલીક સૂચનાઓ આપી હતી. જેમાં ઝાડના ટ્રીમિંગ, મેનહોલ અને કેચપીટની સફાઈ, જર્જરિત મકાનો અંગેના પગલા વગેરે જેવી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

author img

By

Published : Jun 8, 2021, 8:11 PM IST

અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક
અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક
  • પ્રિમોન્સુન કામગીરીને લઇને મેયરની હાજરીમાં મળી સામાન્ય બેઠક
  • તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા હોદ્દેદારોને આપ્યા આદેશ
  • પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ હોવાની મેયરે આપી માહિતી

અમદાવાદ: ગુજરાતમાં 20 જૂનથી રાજ્યમાં આવનારા વરસાદને પગલે મેયરે બેઠક બોલાવી હતી. આ બાદ, મીડિયા સાથે વાતચીત કરતા મેયર કિરીટ સોલંકી જણાવ્યું હતું કે, હાલ પ્રિ-મોન્સૂન કામગીરીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બીજા તબક્કાની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પાણી ભરાવવાની વધુ સમસ્યા આવે છે તેવા 17 એરીયા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આવા કુલ 40 જેટલા સ્થળો હતા. જ્યાં, વધુ પ્રમાણમાં પાણી ભરાતું હતું. પરંતુ, આ વર્ષે માત્ર 17 જગ્યાએ વધુ પાણી ભરાવવાની સમસ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.

અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચો: પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે

મેયરે અધિકારીને આપેલા સૂચનો

બેઠક દરમિયાન મેયરે અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીને અપગ્રેડેશન તારાપુર તેમજ જરૂરી જગ્યાએ કંટ્રોલરૂમનું આયોજન પણ કરવું આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા સ્ટ્રીટ લાઇટના થાંભલા પડવા અને વીજકરંટથી અકસ્માત શક્યતાઓનું ચોમાસા પહેલા નિરાકરણ અધિકારીઓએ લાવવું પડશે. આ ઉપરાંત, ચોમાસું આવે તે પહેલાં જ યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ-ટુ રાખવી પડશે. વધુમાં મેયરે અધિકારીઓને સૂચના આપી હતી કે, તમામ જાહેરાતમાં હોડી ચેક કરવા અને જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી અધિકારીઓએ રાખવી પડશે.

આ પણ વાંચો: કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ

  • પ્રિમોન્સુન કામગીરીને લઇને મેયરની હાજરીમાં મળી સામાન્ય બેઠક
  • તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા હોદ્દેદારોને આપ્યા આદેશ
  • પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ હોવાની મેયરે આપી માહિતી

અમદાવાદ: ગુજરાતમાં 20 જૂનથી રાજ્યમાં આવનારા વરસાદને પગલે મેયરે બેઠક બોલાવી હતી. આ બાદ, મીડિયા સાથે વાતચીત કરતા મેયર કિરીટ સોલંકી જણાવ્યું હતું કે, હાલ પ્રિ-મોન્સૂન કામગીરીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બીજા તબક્કાની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પાણી ભરાવવાની વધુ સમસ્યા આવે છે તેવા 17 એરીયા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આવા કુલ 40 જેટલા સ્થળો હતા. જ્યાં, વધુ પ્રમાણમાં પાણી ભરાતું હતું. પરંતુ, આ વર્ષે માત્ર 17 જગ્યાએ વધુ પાણી ભરાવવાની સમસ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.

અમદાવાદમાં પ્રિમોન્સૂનની કામગીરી મુદ્દે મેયરની અધ્યક્ષતામાં મળી બેઠક

આ પણ વાંચો: પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે

મેયરે અધિકારીને આપેલા સૂચનો

બેઠક દરમિયાન મેયરે અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીને અપગ્રેડેશન તારાપુર તેમજ જરૂરી જગ્યાએ કંટ્રોલરૂમનું આયોજન પણ કરવું આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા સ્ટ્રીટ લાઇટના થાંભલા પડવા અને વીજકરંટથી અકસ્માત શક્યતાઓનું ચોમાસા પહેલા નિરાકરણ અધિકારીઓએ લાવવું પડશે. આ ઉપરાંત, ચોમાસું આવે તે પહેલાં જ યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ-ટુ રાખવી પડશે. વધુમાં મેયરે અધિકારીઓને સૂચના આપી હતી કે, તમામ જાહેરાતમાં હોડી ચેક કરવા અને જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી અધિકારીઓએ રાખવી પડશે.

આ પણ વાંચો: કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.