- અમદાવાદમાં નકલી ડૉક્ટરની ટોળકી ઝડપાઈ
- મહિલા નર્સ આવી પોલીસના ચૂંગાલમાં
- નકલી ડૉક્ટરની ટોળકીમાં હતી સંડોવણી
- મહિલા નર્સ કોવિડ હોસ્પિટલમાં કરે છે નોકરી
અમદાવાદ : અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે પૈસા ખંખેરનારી મહિલા નર્સની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ઇસનપુરમાં રહેતી રિના કચ્છી, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ નકલી ડૉક્ટર બનીને રૂપિયા 1.50 લાખની છેતરપીંડી કરી હતી. અમરાઈવાડીમાં રહેતા વિશાલભાઈને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પાડોશીની મદદથી તેમને ઘરે સારવાર માટે આ ઠગ નકલી ડૉક્ટરની ટોળકીનો સંપર્ક કર્યો હતો. 15 દિવસ સુધી કોવિડના ઈલાજ કરવાના બહાને રૂપિયા 1.50 લાખ પડાવ્યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા વિશાલભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. નકલી ડૉક્ટરના કારણે વિશાલભાઈને કોવિડની સારવાર નહિ મળતા તેમનો જીવ ગયો હતો. જેથી પોલીસે આ ત્રણેય ઠગ ત્રિપુટીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાંથી બે નકલી ડૉક્ટર ઝડપાયા
નકલી ડૉક્ટરની લાલચે એક નિર્દોષનો લીધો જીવ
નકલી ડૉક્ટરોનો ભાંડો ફૂટ્યા બાદ પૂછપરછ કરતા મહિલા નર્સ રિના કચ્છી વટવામાં આવેલી સ્પર્સ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ આ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઈલાજનો અનુભવ હોવાથી આ ત્રિપુટીએ ઘરે સારવાર આપવાના નામે છેતરપીંડી કરવાનું શરૂ કર્યુ હતું. મૃતકના પાડોશીને પણ આ ટોળકીએ સારવાર આપી હતી. કોઈ ડૉકટરના કહેવાથી ટોળકી ત્યાં સારવાર આપી રહી હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસ સ્પર્સ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : સિવિલમાં આવી પહોંચ્યો નકલી ડૉક્ટર, દર્દીઓ પાસેથી પડાવ્યા પૈસા
પોલીસે વધુ તપાસ શરૂ કરી
કોવિડના નકલી ડૉકટર ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. આ નકલી ડૉક્ટરની સાથે અસલી ડૉક્ટરની સંડોવણીની શંકા પોલીસે વ્યકત કરી છે, ત્યારે પોલીસે આ ટોળકી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે. તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.