ETV Bharat / city

અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેર ગટગટાવ્યું

author img

By

Published : Dec 23, 2020, 8:19 PM IST

Updated : Dec 23, 2020, 8:34 PM IST

અમદાવાદના થલતેજ વોર્ડના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે ઝેરી દવા પી લેતા અન્ય સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેર ગટગટાવ્યું
અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેર ગટગટાવ્યું

  • કર્મચારીએ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા પીધી
  • પડતર પ્રશ્નોની નિકાલ નહીં થતા પીધી દવા
  • અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા ભર્યું પગલું

અમદાવાદઃ શહેરમાં સફાઈ કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓ દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય કે યોગ્ય જવાબ નહીં અપાતા બુધવારના રોજ સફાઇ કર્મચારીના અગ્રણી ગુણવંત ખત્રીએ ઝોનલ ઓફિસે ઝેરી દવા પી લેતા તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેર ગટગટાવ્યું

સફાઈ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો

બોડકદેવમાં બનેલી ઘટના બાદ સફાઈ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ અધિકારીઓ પાસે માંગણીઓ કરવામાં આવશે અને નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન પણ કર્મચારીઓ દ્વારા કરાશે તેવુ સફાઇ કર્મચારીઓએ જણાવ્યું હતું.

  • કર્મચારીએ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા પીધી
  • પડતર પ્રશ્નોની નિકાલ નહીં થતા પીધી દવા
  • અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા ભર્યું પગલું

અમદાવાદઃ શહેરમાં સફાઈ કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓ દ્વારા વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય કે યોગ્ય જવાબ નહીં અપાતા બુધવારના રોજ સફાઇ કર્મચારીના અગ્રણી ગુણવંત ખત્રીએ ઝોનલ ઓફિસે ઝેરી દવા પી લેતા તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના સફાઈ કર્મચારીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેર ગટગટાવ્યું

સફાઈ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો

બોડકદેવમાં બનેલી ઘટના બાદ સફાઈ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ અધિકારીઓ પાસે માંગણીઓ કરવામાં આવશે અને નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન પણ કર્મચારીઓ દ્વારા કરાશે તેવુ સફાઇ કર્મચારીઓએ જણાવ્યું હતું.

Last Updated : Dec 23, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.