ETV Bharat / city

અમદાવાદમાં 31 પોસ્ટ ઓફિસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે

author img

By

Published : Jun 22, 2020, 4:35 PM IST

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરની 31 પોસ્ટ ઓફિસોમાં સોમવારથી પંદર દિવસ સુધી તમામ પ્રકારના વ્યવહારો બંધ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે
અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે

અમદાવાદ: શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 18 હજારથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે.ત્યારે વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરની 31 પોસ્ટ ઓફિસો સોમવારથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારના વ્યવહારો થશે નહી.

અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે
અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે

કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં પણ બેંકો ચાલુ હતી અને સરકારી કચેરીઓ પણ અડધી કેપેસિટીથી ચાલતી હતી.પરંતુ લોકડાઉન ખૂલ્યા બાદ હવે કોરોનાને મોકળું મેદાન મળ્યું હોય તેમ અમદાવાદમાં દરરોજ કોરોના વાઇરસના કેસ ત્રણ આંકડામાં આવી રહ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને નાણાકીય સંસ્થાઓમાં લેવડદેવડ માટે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને આ સંસ્થાઓના કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

જો કે આ નિર્ણયના પગલે નાની બચતના ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. તેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 18 હજારથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે.ત્યારે વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરની 31 પોસ્ટ ઓફિસો સોમવારથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કોઈપણ પ્રકારના વ્યવહારો થશે નહી.

અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે
અમદાવાદ શહેરમાં 31 પોસ્ટ ઓફીસ આગામી 15 દિવસ સુધી બંધ રહેશે

કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં પણ બેંકો ચાલુ હતી અને સરકારી કચેરીઓ પણ અડધી કેપેસિટીથી ચાલતી હતી.પરંતુ લોકડાઉન ખૂલ્યા બાદ હવે કોરોનાને મોકળું મેદાન મળ્યું હોય તેમ અમદાવાદમાં દરરોજ કોરોના વાઇરસના કેસ ત્રણ આંકડામાં આવી રહ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને નાણાકીય સંસ્થાઓમાં લેવડદેવડ માટે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને આ સંસ્થાઓના કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

જો કે આ નિર્ણયના પગલે નાની બચતના ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. તેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.