ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં 184 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 6 કેસ કોરોના પોઝિટિવ નોંધાતાં કુલ આંકડો 184 પર પહોંચ્યો છે.

author img

By

Published : May 28, 2020, 8:28 PM IST

અમદાવાદ જિલ્લામાં 184 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં
અમદાવાદ જિલ્લામાં 184 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ગુરુવારે નવો એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં ધોળકા તાલુકામાં આંકડો વધીને 71 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં બાદ બદરખા ગામમાં કેસ નોંધાતાં આટલાં કેસ વધ્યાં હતાં. જોકે મૂળ ધોળકા શહેરમાં કોરોના આટલી હદે ફેલાયો નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 22 બાવળા - 10 ધંધુકા 4, વિરમગામ 04, અને માંડલ તાલુકામાં 01 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનથી પણ 09 દર્દીઓના મોત નીપજ્યાં છે.


અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.88 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતાં 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં 24 કલાકમાં 35 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયાં છે. ધોળકામાં 71 અને સાણંદમાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

અમદાવાદ:અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ગુરુવારે નવો એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં ધોળકા તાલુકામાં આંકડો વધીને 71 પર પહોંચ્યો છે. જ્યારે દસ્ક્રોઇ તાલુકામાં કોરોનાના 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં બાદ બદરખા ગામમાં કેસ નોંધાતાં આટલાં કેસ વધ્યાં હતાં. જોકે મૂળ ધોળકા શહેરમાં કોરોના આટલી હદે ફેલાયો નથી. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 22 બાવળા - 10 ધંધુકા 4, વિરમગામ 04, અને માંડલ તાલુકામાં 01 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. જિલ્લામાં કોરોનથી પણ 09 દર્દીઓના મોત નીપજ્યાં છે.


અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.88 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતાં 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં 24 કલાકમાં 35 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયાં છે. ધોળકામાં 71 અને સાણંદમાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.