નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે, લિસ્ટેડ કંપનીઓએ તેમના વ્યવસાય પર કોવિડ -19ની અસરનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેમના વ્યવસાય, કામગીરી અને નાણાંકીય ક્ષેત્રમાં થયેલા પ્રભાવ વિશે આકલન થવું જોઈએ.
SEBIએ લિસ્ટેડ કંપનીઓને કોવિડ-19ના પ્રભાવ વિશે થોડી માહિતી પૂરી પાડવા કહ્યું છે. કોરોના વાઈરસના રોગચાળો ફેલાવાને લીધે અને ત્યારબાદ લૉકડાઉનને લીધે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપાર પ્રવૃત્તિઓને અસર થઈ છે.