ભારતીય રીઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રૂ 200 અને રૂ 500ની મહાત્મા ગાંધીની નવી શ્રેણીની ચલણી નોટો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં નવનિયુક્ત RBI ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. મહત્વનું છે કે, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભૂતકાળમાં RBI દ્વારા જેટલી ચલણી નોટ જાહેર કરવામાં આવી છે, તે કાયદાકીય રીતે ચલણમાં રહેશે. તેની સાથે આ નવી શ્રેણીની નોટો પણ જાહેર કરવામાં આવશે.
