ETV Bharat / business

કોટક મહિન્દ્રા બેન્કે બચત ખાતાના વ્યાજમાં 0.50 ટકાનો કર્યો ઘટાડો - કોટક મહિન્દ્રા બેન્ક વ્યાજ દરમાં ઘટાડો

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે એક લાખ રૂપિયાથી વધુની દૈનિક થાપણો પર 4 ટકા વ્યાજ આપવામાં આવશે, જે અગાઉ 4.50 ટકા હતું. તે જ સમયે જમા રકમ પર વ્યાજ 3.50 ટકા રહેશે.

કોટક બેન્ક
કોટક બેન્ક
author img

By

Published : May 25, 2020, 10:51 PM IST

મુંબઈ: ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્ક એ સોમવારે બચત થાપણ ખાતાઓ પરના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ બેન્કે ગયા મહિને થાપણો પર મળેલા વ્યાજને બે વાર ઘટાડ્યું હતું.

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે એક લાખ રૂપિયાથી વધુની દૈનિક થાપણો પર 4 ટકા વ્યાજ આપવામાં આવશે, જે અગાઉ 4.50 ટકા હતું. તે જ સમયે જમા રકમ પર વ્યાજ 3.50 ટકા રહેશે. વ્યાજ દરમાં સુધારો ફક્ત ભારતના રહેવાસીઓના જમા ખાતાઓ પર લાગુ થશે. નોંધનીય છે કે, રિઝર્વ બેન્કના પોલિસી રેટમાં ઘટાડાની સાથે લોનની માંગમાં પણ ઘટાડો થયો છે. જેથી વ્યાજ દર પણ નીચે આવી રહ્યાં છે.

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ પર 2.75 ટકા વ્યાજ ચૂકવે છે, જ્યારે યસ બેન્ક સહિત અન્ય લોકોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં થાપણો પરનું વ્યાજ ઓછું કરવામાં આવશે.

મુંબઈ: ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્ક એ સોમવારે બચત થાપણ ખાતાઓ પરના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ બેન્કે ગયા મહિને થાપણો પર મળેલા વ્યાજને બે વાર ઘટાડ્યું હતું.

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવારે એક લાખ રૂપિયાથી વધુની દૈનિક થાપણો પર 4 ટકા વ્યાજ આપવામાં આવશે, જે અગાઉ 4.50 ટકા હતું. તે જ સમયે જમા રકમ પર વ્યાજ 3.50 ટકા રહેશે. વ્યાજ દરમાં સુધારો ફક્ત ભારતના રહેવાસીઓના જમા ખાતાઓ પર લાગુ થશે. નોંધનીય છે કે, રિઝર્વ બેન્કના પોલિસી રેટમાં ઘટાડાની સાથે લોનની માંગમાં પણ ઘટાડો થયો છે. જેથી વ્યાજ દર પણ નીચે આવી રહ્યાં છે.

દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ પર 2.75 ટકા વ્યાજ ચૂકવે છે, જ્યારે યસ બેન્ક સહિત અન્ય લોકોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં થાપણો પરનું વ્યાજ ઓછું કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.