ETV Bharat / business

કોવિડ-19ની સ્થિતિ પર નિર્ભર રહેશે આર્થિક પ્રોત્સાહનની આગળની કાર્યવાહીઃ સીતારમણ - કોવિડ 19

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ભાજપના નેતા નલિન કોહલીની સાથેના સંવાદમાં કહ્યું કે, આર્થિક વૃદ્ધિ દરનું વાસ્તવિક આકલન કરવું શક્ય નથી. કારણ કે, અત્યારે કહેવું મુશ્કેલ છે કે, આ મહામારી ક્યારે સમાપ્ત થશે.

Etv Bharat, Gujarati News, Business News, Nirmala Sitaraman
Nirmala Sitaraman
author img

By

Published : May 24, 2020, 11:27 AM IST

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની આગળની કાર્યવાહી કોવિડ 19ની સ્થિતિ પર આધારિત રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કના આ અનુમાન બાદ કહ્યું કે, 2020-21માં ભારતની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે. કોરોના વાઇરસ સંકટની વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે સરકારે 20.97 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી છે. આમાં રિઝર્વ બેન્ક દ્વારા 17 મે સુધી લેવામાં આવેલા 8.01 લાખ કરોડ રૂપિયાના પ્રવાહિતા વૃદ્ધિનાં પગલાં શામેલ છે.

સીતારમણે ભાજપના નેતા નલિન કોહલીની સાથેના સંવાદમાં કહ્યું કે, આર્થિક વૃદ્ધિ દરનું વાસ્તવિક આકલન કરવું શક્ય નથી. કારણ કે, અત્યારે કહેવું મુશ્કેલ છે કે, આ મહામારી ક્યારે સમાપ્ત થાય છે.

નાણાં પ્રધાને કહ્યું, "હું દરવાજા બંધ કરી રહી નથી. હું ઉદ્યોગ પાસેથી માહિતી લેવાનું ચાલુ રાખીશ, અમે કરેલી ઘોષણાઓ લાગુ કરવામાં આવશે. હવે જે પરિસ્થિતિ છે તે મુજબ પગલા ભરવા પડશે. આ વર્ષે હજી ફક્ત બે મહિના થયા છે. 10 મહિના બાકી છે. "

શુક્રવારે રિઝર્વ બેન્કે કહ્યું કે, કોવિડ -19 ની અસર ધારણા કરતા વધારે જોવા મળી છે. 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નો વિકાસ નકારાત્મક રહેશે. નાણાં પ્રધાને ગત સપ્તાહે પાંચ હપ્તામાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ને 3.70 લાખ કરોડનો ટેકો, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) ને 75,000 કરોડ, વીજળી વિતરણ કંપનીઓને 90,000 કરોડ રુપિયા આ રોગચાળાને પહોંચી વળવા ફાળવણીમાં વધારો, કેટલાક વિભાગોને ટેક્સમાં રાહત અને આરોગ્ય ક્ષેત્રને રૂપિયા 15,000 કરોડની ફાળવણી કરી હતી.

સીતારમણે કહ્યું કે, આ પેકેજ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, ભૂતપૂર્વ બેન્કરો, નાણાં મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીઓ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરાયું છે.

તેમણે કહ્યું કે, 'આ પેકેજને એ ધ્યાનમાં રાખીને' ડિઝાઇન 'કરવામાં આવ્યું છે કે, આપણે અત્યારે એક અસાધારણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અને ઘટાડો એટલો કે તેથી વધુ છે, અત્યારે અમારી પાસે આંકડા નથી. અહીં એ ધ્યાન રાખવું પડશે કે, ઘટાડા પૂર્ણ થશે. આને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવું પડશે, આ આપણે કરવાનું છે. "

સીતારમણે કહ્યું કે, સરકાર વહીવટી વિભાગો દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ની મંજૂરી ઝડપી બનાવવા માટે કામ કરી રહી છે. નીતિ અંગેની બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે અને કંપનીઓ તરફથી પાલન કરવામાં આવેલો બોજ ઓછો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 3,720 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 1.25 લાખ લોકોને તેનાથી સંક્રમિત થયા છે.

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની આગળની કાર્યવાહી કોવિડ 19ની સ્થિતિ પર આધારિત રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કના આ અનુમાન બાદ કહ્યું કે, 2020-21માં ભારતની અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે. કોરોના વાઇરસ સંકટની વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે સરકારે 20.97 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી છે. આમાં રિઝર્વ બેન્ક દ્વારા 17 મે સુધી લેવામાં આવેલા 8.01 લાખ કરોડ રૂપિયાના પ્રવાહિતા વૃદ્ધિનાં પગલાં શામેલ છે.

સીતારમણે ભાજપના નેતા નલિન કોહલીની સાથેના સંવાદમાં કહ્યું કે, આર્થિક વૃદ્ધિ દરનું વાસ્તવિક આકલન કરવું શક્ય નથી. કારણ કે, અત્યારે કહેવું મુશ્કેલ છે કે, આ મહામારી ક્યારે સમાપ્ત થાય છે.

નાણાં પ્રધાને કહ્યું, "હું દરવાજા બંધ કરી રહી નથી. હું ઉદ્યોગ પાસેથી માહિતી લેવાનું ચાલુ રાખીશ, અમે કરેલી ઘોષણાઓ લાગુ કરવામાં આવશે. હવે જે પરિસ્થિતિ છે તે મુજબ પગલા ભરવા પડશે. આ વર્ષે હજી ફક્ત બે મહિના થયા છે. 10 મહિના બાકી છે. "

શુક્રવારે રિઝર્વ બેન્કે કહ્યું કે, કોવિડ -19 ની અસર ધારણા કરતા વધારે જોવા મળી છે. 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) નો વિકાસ નકારાત્મક રહેશે. નાણાં પ્રધાને ગત સપ્તાહે પાંચ હપ્તામાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ને 3.70 લાખ કરોડનો ટેકો, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) ને 75,000 કરોડ, વીજળી વિતરણ કંપનીઓને 90,000 કરોડ રુપિયા આ રોગચાળાને પહોંચી વળવા ફાળવણીમાં વધારો, કેટલાક વિભાગોને ટેક્સમાં રાહત અને આરોગ્ય ક્ષેત્રને રૂપિયા 15,000 કરોડની ફાળવણી કરી હતી.

સીતારમણે કહ્યું કે, આ પેકેજ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, ભૂતપૂર્વ બેન્કરો, નાણાં મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીઓ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરાયું છે.

તેમણે કહ્યું કે, 'આ પેકેજને એ ધ્યાનમાં રાખીને' ડિઝાઇન 'કરવામાં આવ્યું છે કે, આપણે અત્યારે એક અસાધારણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અને ઘટાડો એટલો કે તેથી વધુ છે, અત્યારે અમારી પાસે આંકડા નથી. અહીં એ ધ્યાન રાખવું પડશે કે, ઘટાડા પૂર્ણ થશે. આને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવું પડશે, આ આપણે કરવાનું છે. "

સીતારમણે કહ્યું કે, સરકાર વહીવટી વિભાગો દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) ની મંજૂરી ઝડપી બનાવવા માટે કામ કરી રહી છે. નીતિ અંગેની બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી રહી છે અને કંપનીઓ તરફથી પાલન કરવામાં આવેલો બોજ ઓછો કરવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 3,720 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 1.25 લાખ લોકોને તેનાથી સંક્રમિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.