નવી દિલ્હી: 8 જૂનથી લોકડાઉન નિયમોમાં રાહત મળતા વાહનના વેચાણમાં સુધારો થયો છે, પરંતુ તે ગયા વર્ષ કરતા વેચાણ ઓછું થયું છે. કોવિડ-19 મહામારીનું સંક્રમણ હજુ પણ ચાલુ છે, જેથી કંપનીઓ પર આની અસર પડી છે.
8 જૂનથી લોકડાઉન નિયમોમાં રાહત મળતા વાહનના વેચાણમાં સુધારો થયો છે, પરંતુ તે ગયા વર્ષ કરતા ઓછા છે. કોવિડ -19 મહામારીની અસર વાહન વેચાણ પર પડી છે.ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) દેશની 1,440 પ્રાદેશિક પરિવહન કચેરીઓમાંથી 1,230 આંકડા એકત્રિત કરે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગયા વર્ષે જૂનમાં, કુલ 2,05,011 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું વેચાણ 40.92 ટકા ઘટીને 7,90,118 વાહનો પર પહોંચ્યું છે. જૂન 2019માં, 13,37,462 ટુ-વ્હીલર્સ વેચાયા હતા.વાણિજ્ય વાહનોનું વેચાણ 83.83 ટકા ઘટીને 10,509 એકમ અને થ્રી વ્હીલરનું વેચાણ 75.43 ટકા ઘટીને 11,993 એકમ પર પહોંચી ગયું છે. જૂન 2019 માં, તે અનુક્રમે 64,976 અને 48,804 એકમ હતું.
જુદી જુદી કેટેગરીમાં વાહનોનું કુલ વેચાણ 42 ટકા ઘટીને 984395 વાહન રહ્યું છે જે જૂન 2019 માં 16,97,166 એકમોનું હતું.FADAના પ્રમુખ હંસરાજ કાલે જણાવ્યું કે, કોવિડ -19 ના દર્દીઓની વધતી સંખ્યાની સાથે આર્થિક નરમીના વાતાવરણએ પણ ગ્રાહકોની ધારણાને અસર કરી છે. મોટા શહેરોમાં તેની વધુ અસર જોવા મળી રહી છે.