સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટ્રેનના ટ્રાયલની મંજુરી પણ આપવામાં આવી છે. નવી ટ્રેનનું ટ્રાયલ 130 કિલોમીટરની ઝડપે કરવામાં આવશે. આ ટ્રેનને મુસાફરી પૂર્ણ કરવા માટે 8 કલાકનો સમય લાગશે.
આ ટ્રેન નવી દિલ્હીથી સવારે 6 વાગ્યે શરૂ થશે અને બપોરે બે વાગ્યે માતા વૈષ્ણ દેવી માટે કટરા પહોંચશે. દરેક સ્ટેશન માટે 2 મિનિટનો હોલ્ટ છે, જેમાં અંબાલા, સનેહવાલ, લુધિયાણા અને જમ્મુ તાવિનો સમાવેશ થાય છે.
આ પ્રથમ ટ્રેન હશે, જે નવી દિલ્હીથી કટરા સુધીની મુસાફરી ફક્ત 8 કલાકમાં પૂરી કરશે, કારણ કે તે રસ્તાની સૌથી ઝડપી ટ્રેનને તેના છેલ્લા સ્ટેશન સુધી પહોંચવામાં 11 કલાક અને 40 મિનિટનો સમય લાગે છે. પહેલા આ ટ્રેનની યોજના જમ્મુ તાવી સુધીની હતી, પરંતુ હવે આ માર્ગ કટરા સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ટ્રેનના લોન્ચ માટે તારીખની હજુ કોઇ જાહેરાત થઈ નથી.