- કોરોનાની બીજી વેવ દરેક લાકો માટે મુશ્કેલ
- IndiGo દ્વારા ફ્લાઈ્ટસની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો
- LWP સિસ્ટમ લાગુ કરવામાં આવી
નવી દિલ્હી: એરલાઇન કેરિયર ઈન્ડિગોએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીના વરિષ્ઠ કર્મચારીઓ સપ્ટેમ્બર સુધી દર મહિને ચાર દિવસ ફરજિયાત અવેતન રજા (LWP) પર જશે. કોવિડ -19 (Covid-19) રોગચાળાની બીજી વેવને કારણે મુસાફરોની સંખ્યામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ પગલું ભર્યું છે.
બીજી વેવ તમામ માટે મુશ્કેલ
ઈન્ડિગોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (ફ્લાઇટ ઓપરેશન) આશિમ મિત્રાએ એરલાઇન્સના પાઇલટ્સને ઈ-મેલમાં જણાવ્યું હતું કે, 'રોગચાળોની બીજી વેવ આપણા બધા માટે મુશ્કેલ છે. આને કારણે મુસાફરોની સંખ્યા નીચે આવી છે. આવી સ્થિતિમાં અમારે વેપારી ફ્લાઇટ્સમાં ઘટાડો કરવો પડશે.
આ પણ વાંચો : લૉકડાઉન પછી ઈન્ડિગો નવી કાર્યપદ્વતિ સાથે ઉડાન ભરશે
LWP સિસ્ટમ લાગુ કરવામાં આવશે
તેમણે કહ્યું કે ક્ષમતાના અવરોધોને કારણે એરલાઇન તમામ કર્મચારીઓ માટે LWP સિસ્ટમ લાગુ કરશે. તે કર્મચારી જૂથના આધારે 1.5 થી 4 દિવસનો રહેશે. બી અને એ-બેન્ડમાં આવતા કર્મચારીઓ આમાં શામેલ નથી. એરલાઇન્સના મોટાભાગના કર્મચારીઓ બી અને એ-બેન્ડમાં છે. આ સૌથી નીચો બેન્ડ છે.મિત્રાના કહેવા મુજબ, 'બધા પાઇલટ્સ 1 જૂન, 2021 થી આગામી ત્રણ મહિના માટે ત્રણ દિવસ LWP લેશે.
આ પણ વાંચો : ઈન્ડીગો ઍરલાઈન્સના 2 પ્રમોટરો વચ્ચે મતભેદ, લૉ ફર્મનો લીધો સહારો