ETV Bharat / business

કોરોનાની મારઃ સરકાર તમામ ક્ષેત્રને રાહત આપવા પેકેજ પર કામ કરી રહી છે - સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ સંસ્થાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે, અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક પેકેજ આપવામાં આવશે. સરકાર તેના પર કામ કરી રહી છે.

currency
currency
author img

By

Published : May 7, 2020, 9:52 PM IST

નવી દિલ્હી: સરકાર માત્ર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) નહીં પણ અર્થતંત્રના તમામ ક્ષેત્રો માટેના પેકેજ પર કામ કરી રહી છે. માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ ગિરિધર અરમાને ગુરુવારે આ માહિતી આપી.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ સંસ્થાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક પેકેજ આપવામાં આવશે. સરકાર તેના પર કામ કરી રહી છે. કેન્દ્રીય એમએસએમઈ અને માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, ટૂંક સમયમાં જ પેકેજની જાહેરાત કરવામાં આવશે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વિવિધ વર્તુળોના પેકેજોની માંગ વધી રહી છે.

વિવિધ ઉદ્યોગ સંગઠનો અને એમએસએમઇ ક્ષેત્રના નિષ્ણાતો આ પેકેજની માંગ કરી રહ્યાં છે. એમએસએમઇ ક્ષેત્રનો દેશના વિકાસના 29 ટકા અને નિકાસમાં 48 ટકા હિસ્સો છે. આ ક્ષેત્ર રોજગાર આપવામાં પણ ખૂબ આગળ છે. જો કે, કોરોના વાઇરસને કારણે આ ક્ષેત્રમાં ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોબ કટ થવાની સંભાવના પણ છે.

નવી દિલ્હી: સરકાર માત્ર માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) નહીં પણ અર્થતંત્રના તમામ ક્ષેત્રો માટેના પેકેજ પર કામ કરી રહી છે. માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવ ગિરિધર અરમાને ગુરુવારે આ માહિતી આપી.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ સંસ્થાના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક પેકેજ આપવામાં આવશે. સરકાર તેના પર કામ કરી રહી છે. કેન્દ્રીય એમએસએમઈ અને માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, ટૂંક સમયમાં જ પેકેજની જાહેરાત કરવામાં આવશે. અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વિવિધ વર્તુળોના પેકેજોની માંગ વધી રહી છે.

વિવિધ ઉદ્યોગ સંગઠનો અને એમએસએમઇ ક્ષેત્રના નિષ્ણાતો આ પેકેજની માંગ કરી રહ્યાં છે. એમએસએમઇ ક્ષેત્રનો દેશના વિકાસના 29 ટકા અને નિકાસમાં 48 ટકા હિસ્સો છે. આ ક્ષેત્ર રોજગાર આપવામાં પણ ખૂબ આગળ છે. જો કે, કોરોના વાઇરસને કારણે આ ક્ષેત્રમાં ગંભીર સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોબ કટ થવાની સંભાવના પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.