ETV Bharat / business

સરકારનો યુ-ટર્ન: નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજદર યથાવત, નાણાંપ્રધાને આપી માહિતી

author img

By

Published : Apr 1, 2021, 9:16 AM IST

Updated : Apr 1, 2021, 2:36 PM IST

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના દરોમાં ઘટાડાનો આદેશ પાછો ખેંચ્યો છે. બુધવારે, જાહેર બચાવ ભંડોળ (PPF) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) સહિતની નાની બચત યોજનાઓ પર, વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

સરકારનો યુ-ટર્ન: નાની બચત યોજનાઓ પર જુના વ્યાજ દર યથાવત, નાણાંપ્રધાને આપી માહિતી
સરકારનો યુ-ટર્ન: નાની બચત યોજનાઓ પર જુના વ્યાજ દર યથાવત, નાણાંપ્રધાને આપી માહિતી
  • કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના દરોમાં ઘટાડાનો આદેશ પાછો ખેંચ્યો
  • વરિષ્ઠ નાગરિક બચત યોજના પરનો વ્યાજ દર 0.9 ટકા ઘટાડીને 6.5 ટકા કરાયો
  • કિસાન વિકાસ પત્ર પરનો વાર્ષિક વ્યાજ દર ૦.7 ટકા ઘટાડીને 6.2 ટકા કરાયો

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે ટ્વિટ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દરોમાં ઘટાડાના આદેશને પાછો ખેંચી લીધો છે. સીતારમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજ દર 2020-2021ના ​​છેલ્લા ક્વાર્ટરમાં હતા એટલા જ રહેશે. PPF સહિતની નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નાણા મંત્રાલયે PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, બુધવારે, સરકારે જાહેર બચાવ ભંડોળ (PPF) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કપાત એપ્રિલ 1થી શરૂ થતાં 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે કરવામાં આવી હતી.

એક વર્ષની મુદતની થાપણો પર ઘટાડો કરાયો

નાણાં મંત્રાલયે રજૂ કરેલા જાહેરનામા મુજબ, PPF પરનું વ્યાજ 0.7 ટકા ઘટીને 6.4 ટકા કરાયું હતું, જ્યારે, NSC પર તે 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરાયું છે. જાહેરનામા મુજબ, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન માટે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષની વરિષ્ઠ નાગરિક બચત યોજના પરનો વ્યાજ દર 0.9 ટકા ઘટાડીને 6.5 ટકા કરાયો હતો. આ યોજના અંતર્ગત ત્રિમાસિક ધોરણે વ્યાજ આપવામાં આવે છે. પહેલીવાર બચત ખાતામાં જમા કરાયેલી રકમ પરનું વ્યાજ 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરાયું હતું. હમણાં સુધી તેમાં વાર્ષિક 4 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજમાં મહત્તમ 1.1 ટકાનો ઘટાડો એક વર્ષની મુદતની થાપણો પર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: RBIએ વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો, લોનના ઈએમઆઈ માટે પણ લેવાયો નિર્ણય, જૂઓ વીડિયો

યોજનાઓના વ્યાજને સરકારી બોન્ડના વળતર સાથે જોડવામાં આવશે

2 વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયું હતું. ત્રણ વર્ષના સમયગાળા માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.4 ટકા ઘટાડ્યું હતું. તે જ સમયે, પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.9 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરાયું હતું. 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા પરનું વ્યાજ 0.7 ટકા ઘટીને 6.9 ટકા થયું હતું. કિસાન વિકાસ પત્ર પરનો વાર્ષિક વ્યાજ દર ૦.7 ટકા ઘટીને 6.2 ટકા કરાયો હતો. હમણાં સુધી આ પરનું વ્યાજ 6.9 ટકા હતું., 2016માં નાણાં મંત્રાલયે ત્રિમાસિક ધોરણે વ્યાજ દર નક્કી કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, નાની બચત યોજનાઓ પરના વ્યાજને સરકારી બોન્ડના વળતર સાથે જોડવામાં આવશે. જો કે, સરકારનું જાહેરનામું રદ થતાં હવે લોકોને પહેલાના દરે વ્યાજ મળશે.

નાણા મંત્રાલયે PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

સરકારે બુધવારે PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અને NSC (નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડો 1 એપ્રિલથી શરૂ 2021-22ના પહેલા ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં ઘટાડાના અનુમાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.નાણા મંત્રાલયની સૂચના અનુસાર, PPF પર વ્યાજ 0.7 ટકા ઘટાડી 6.4 ટકા જ્યારે NSC પર 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરી દેવાયો હતો. નાની બચત યોજનાઓ પર વ્યાજ ક્વાર્ટરના આધારે સૂચિત કરવામાં આવે છે.

બચત ખાતામાં હવે 4 ટકાની જગ્યા માત્ર 3.5 ટકા વ્યાજ મળશે તેવી જાહેરતા કરાઇ હતી

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટર એપ્રિલ-જૂનના સમયગાળા માટે વિભિન્ન નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરાયો હતો. પંચવર્ષીય વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર 0.9 ટકા ઘટીને 6.5 ટકા કરાયો હતો. આ યોજના અંતર્ગત વ્યાજ ક્વાર્ટર પર આધારિત આપવામાં આવે છે. પહેલી વાર બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરાયો હતો. અત્યાર સુધી બચત ખાતામાં 4 ટકા વ્યાજ મળતું હતું.

  • કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના દરોમાં ઘટાડાનો આદેશ પાછો ખેંચ્યો
  • વરિષ્ઠ નાગરિક બચત યોજના પરનો વ્યાજ દર 0.9 ટકા ઘટાડીને 6.5 ટકા કરાયો
  • કિસાન વિકાસ પત્ર પરનો વાર્ષિક વ્યાજ દર ૦.7 ટકા ઘટાડીને 6.2 ટકા કરાયો

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે ટ્વિટ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દરોમાં ઘટાડાના આદેશને પાછો ખેંચી લીધો છે. સીતારમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજ દર 2020-2021ના ​​છેલ્લા ક્વાર્ટરમાં હતા એટલા જ રહેશે. PPF સહિતની નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: નાણા મંત્રાલયે PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, બુધવારે, સરકારે જાહેર બચાવ ભંડોળ (PPF) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કપાત એપ્રિલ 1થી શરૂ થતાં 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે કરવામાં આવી હતી.

એક વર્ષની મુદતની થાપણો પર ઘટાડો કરાયો

નાણાં મંત્રાલયે રજૂ કરેલા જાહેરનામા મુજબ, PPF પરનું વ્યાજ 0.7 ટકા ઘટીને 6.4 ટકા કરાયું હતું, જ્યારે, NSC પર તે 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરાયું છે. જાહેરનામા મુજબ, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન માટે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષની વરિષ્ઠ નાગરિક બચત યોજના પરનો વ્યાજ દર 0.9 ટકા ઘટાડીને 6.5 ટકા કરાયો હતો. આ યોજના અંતર્ગત ત્રિમાસિક ધોરણે વ્યાજ આપવામાં આવે છે. પહેલીવાર બચત ખાતામાં જમા કરાયેલી રકમ પરનું વ્યાજ 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરાયું હતું. હમણાં સુધી તેમાં વાર્ષિક 4 ટકા વ્યાજ મળતું હતું. વ્યાજમાં મહત્તમ 1.1 ટકાનો ઘટાડો એક વર્ષની મુદતની થાપણો પર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: RBIએ વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો, લોનના ઈએમઆઈ માટે પણ લેવાયો નિર્ણય, જૂઓ વીડિયો

યોજનાઓના વ્યાજને સરકારી બોન્ડના વળતર સાથે જોડવામાં આવશે

2 વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયું હતું. ત્રણ વર્ષના સમયગાળા માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.4 ટકા ઘટાડ્યું હતું. તે જ સમયે, પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝિટ પરનું વ્યાજ 0.9 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરાયું હતું. 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બચત યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા પરનું વ્યાજ 0.7 ટકા ઘટીને 6.9 ટકા થયું હતું. કિસાન વિકાસ પત્ર પરનો વાર્ષિક વ્યાજ દર ૦.7 ટકા ઘટીને 6.2 ટકા કરાયો હતો. હમણાં સુધી આ પરનું વ્યાજ 6.9 ટકા હતું., 2016માં નાણાં મંત્રાલયે ત્રિમાસિક ધોરણે વ્યાજ દર નક્કી કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, નાની બચત યોજનાઓ પરના વ્યાજને સરકારી બોન્ડના વળતર સાથે જોડવામાં આવશે. જો કે, સરકારનું જાહેરનામું રદ થતાં હવે લોકોને પહેલાના દરે વ્યાજ મળશે.

નાણા મંત્રાલયે PPF, NSC સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

સરકારે બુધવારે PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અને NSC (નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડો 1 એપ્રિલથી શરૂ 2021-22ના પહેલા ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે. વ્યાજ દરમાં ઘટાડાના અનુમાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.નાણા મંત્રાલયની સૂચના અનુસાર, PPF પર વ્યાજ 0.7 ટકા ઘટાડી 6.4 ટકા જ્યારે NSC પર 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરી દેવાયો હતો. નાની બચત યોજનાઓ પર વ્યાજ ક્વાર્ટરના આધારે સૂચિત કરવામાં આવે છે.

બચત ખાતામાં હવે 4 ટકાની જગ્યા માત્ર 3.5 ટકા વ્યાજ મળશે તેવી જાહેરતા કરાઇ હતી

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટર એપ્રિલ-જૂનના સમયગાળા માટે વિભિન્ન નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરાયો હતો. પંચવર્ષીય વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર 0.9 ટકા ઘટીને 6.5 ટકા કરાયો હતો. આ યોજના અંતર્ગત વ્યાજ ક્વાર્ટર પર આધારિત આપવામાં આવે છે. પહેલી વાર બચત ખાતામાં જમા રકમ પર વ્યાજ 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરાયો હતો. અત્યાર સુધી બચત ખાતામાં 4 ટકા વ્યાજ મળતું હતું.

Last Updated : Apr 1, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.