ETV Bharat / business

વિશેષ: PM ગરીબ કલ્યાણ યોજનાઓ માટે 20 કરોડ જન ધન ખાતાઓની વિગતો એક દિવસમાં સંગ્રહિત કરાઈ - પીએમ ગરીબ કલ્યાણ યોજના

પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર આગામી 20 મહિનામાં 20.40 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રોકડ તરીકે દર મહિને 500 રૂપિયા પ્રદાન કરશે.

modi
modi
author img

By

Published : Mar 30, 2020, 11:02 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતના ગરીબ વર્ગને કોરોના વાઈરસના વિપરીત પ્રભાવથી બચાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજનાની ઘોષણાના દિવસે 20 કરોડથી વધુ મહિલા જન ધન ખાતાધારકોનો ડેટા એકત્રિત કર્યા હતા જેનો મુખ્ય હેતુ લોકડાઉન સમયગાળા દરમિયાન 80 કરોડ ગરીબ લોકોના હાથમાં ખોરાક, ઇંધણ અને થોડીક રોકડ આપવાનો હતો.

પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર આગામી 20 મહિનામાં 20.40 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રોકડ તરીકે દર મહિને 5,00 રૂપિયા પ્રદાન કરશે.

જાહેર ક્ષેત્રની બેન્કોના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "DFS દ્વારા ડેટા 26 માર્ચના રોજ મંગાવવામાં આવ્યો હતો, અને બેન્કને તે જ તારીખે જમા કરવાની સલાહ અપાઇ હતી અને DFS ના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું."

તેમણે કહ્યું, કે "અમારા છેલ્લા અનુભવોને જોતા સૌથી વધુ સંભાવના છે કે DFS NPCIના માધ્યમથી અમારા માટે લાભાર્થીઓના ડેટા રુટ કરે."

આવી જ રીતે 8કરોડથી વધુ ઉજ્જવલા સબસિડીવાળી ગેસ યોજનાના લાભાર્થોના ડેટા પહેલેથી જ તેલ માર્કેટિંગ કંપનીઓ અને સાર્વજનિક બેન્કો પાસ ઉપલબ્ધ છે, કેમ કે આ યોજના ચાલુ છે.

તેમણે વધુમાં કહ્યું કે , "બેન્ક પહેલાથી જ એલપીજી ઉપભોક્તાઓ માટે સબસિડીઆપી રહી છે, તેથી જ એલપીજી સિલેંડરની સંપૂર્ણ કિંમત ઉજ્જવલા લાભાર્થીઓને અમારા માધ્યમથી આપવામાં કોઈ મુશ્કેલી નહીં પડે."

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતના ગરીબ વર્ગને કોરોના વાઈરસના વિપરીત પ્રભાવથી બચાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજનાની ઘોષણાના દિવસે 20 કરોડથી વધુ મહિલા જન ધન ખાતાધારકોનો ડેટા એકત્રિત કર્યા હતા જેનો મુખ્ય હેતુ લોકડાઉન સમયગાળા દરમિયાન 80 કરોડ ગરીબ લોકોના હાથમાં ખોરાક, ઇંધણ અને થોડીક રોકડ આપવાનો હતો.

પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર આગામી 20 મહિનામાં 20.40 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રોકડ તરીકે દર મહિને 5,00 રૂપિયા પ્રદાન કરશે.

જાહેર ક્ષેત્રની બેન્કોના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "DFS દ્વારા ડેટા 26 માર્ચના રોજ મંગાવવામાં આવ્યો હતો, અને બેન્કને તે જ તારીખે જમા કરવાની સલાહ અપાઇ હતી અને DFS ના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું."

તેમણે કહ્યું, કે "અમારા છેલ્લા અનુભવોને જોતા સૌથી વધુ સંભાવના છે કે DFS NPCIના માધ્યમથી અમારા માટે લાભાર્થીઓના ડેટા રુટ કરે."

આવી જ રીતે 8કરોડથી વધુ ઉજ્જવલા સબસિડીવાળી ગેસ યોજનાના લાભાર્થોના ડેટા પહેલેથી જ તેલ માર્કેટિંગ કંપનીઓ અને સાર્વજનિક બેન્કો પાસ ઉપલબ્ધ છે, કેમ કે આ યોજના ચાલુ છે.

તેમણે વધુમાં કહ્યું કે , "બેન્ક પહેલાથી જ એલપીજી ઉપભોક્તાઓ માટે સબસિડીઆપી રહી છે, તેથી જ એલપીજી સિલેંડરની સંપૂર્ણ કિંમત ઉજ્જવલા લાભાર્થીઓને અમારા માધ્યમથી આપવામાં કોઈ મુશ્કેલી નહીં પડે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.