ન્યુઝ ડેસ્ક: ઈન્ટરનેટ જગતમાં અગ્રણી, ગૂગલે પ્રખ્યાત મલયાલમ કવિ નલપ્પટ બાલામણિ અમ્માને તેમની 113મી જન્મજયંતિ (Malayalam poet Balamani Amma) પર વિશેષ ગૂગલ ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. સામાન્ય રીતે માતૃત્વની કવયિત્રી તરીકે ઓળખાતી આ કવયિત્રીને તેના પૈતૃક (Google releases doodle of Balamani Amma) ઘરના વરંડા પર બેઠેલા ખાસ ડૂડલમાં લખતી બતાવવામાં આવી છે.
આ પણ વાંચો: World Athletics Championships: પહેલા જ પ્રયાસમાં મારી બાજી, ફાઇનલમાં પહોંચ્યા નીરજ ચોપરા
બાલામણિ અમ્માના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો..
- બાલામણિ અમ્માનો (Balamani Amma) જન્મ 1909માં કેરળના ત્રિશૂર જિલ્લામાં થયો હતો. અમ્માએ ક્યારેય કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હોવાનું કહેવાય છે. તેમણે તેમના કાકા નલપ્પટ નારાયણ મેનન પાસેથી ઘરે જ શિક્ષણ મેળવ્યું હતું.
- 19 વર્ષની ઉંમરે અમ્માના લગ્ન વી.એમ. નાયર સાથે થઈ ગયા હતા. જેઓ મલયાલમ અખબાર 'માતૃભૂમિ'ના મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજિંગ એડિટર હતા.
- કોપ્પુકાઈ, અમ્માની પ્રથમ કવિતા 1930 માં પ્રકાશિત થઈ હતી. કોચીન સામ્રાજ્યના ભૂતપૂર્વ શાસક પરીક્ષિત થમપુરાન તરફથી તેમને પ્રતિભાશાળી કવિ તરીકેની ઓળખ પણ મળી હતી. થમપુરાને તેમને 'સાહિત્ય નિપુણ પુરસ્કારમ'થી (Sahitya Punun Purasaram) સન્માનિત કર્યા હતા.
- તેણીની પ્રારંભિક કવિતાઓમાં પૌરાણિક પાત્રો અને વાર્તાઓને અપનાવીને માતૃત્વ અને સ્ત્રીઓને શક્તિશાળી વ્યક્તિઓ તરીકે રજૂ કરી છે.
- અમ્માએ તેમની કવિતાઓ મલયાલમમાં લખી હતી અને તેમના કાર્યોને સમગ્ર દક્ષિણ ભારતમાં ઓળખવામાં આવી હતી. તેણીની કેટલીક પ્રખ્યાત કવિતાઓ અમ્મા (મા), મુથાસી (દાદી), અને મઝુવિન્ટે કથા (ધ સ્ટોરી ઓફ ધ કુલ્હાડી) છે.
- દાદીને સાહિત્યિક કાર્યો માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં સરસ્વતી સન્માન અને પદ્મ વિભૂષણનો (Padma Vibhushan) સમાવેશ થાય છે, જે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. અમ્માની પુત્રી કમલા દાસને 1984માં સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી.