ETV Bharat / bharat

Urinating Incident: શંકરની મુશ્કેલી વધી, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી

author img

By

Published : Jan 12, 2023, 7:32 AM IST

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પ્રવાસી (Urinating Incident Air India) પર પેશાબ કરનારો શંકર મિશ્રા કોર્ટમાં હાજર થયો હતો. શંકર મિશ્રાની જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. બુધવારે પટિયાલા કોર્ટે (Patiala Court Delhi) સુનાવણી કરતા શંકર મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. જેને લઈને આ મામલો ફરીથી ગરમાયો છે.

Urinating Incident: શંકરની મુશ્કેલી વધી, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી
Urinating Incident: શંકરની મુશ્કેલી વધી, કોર્ટે જામીન અરજી ફગાવી દીધી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પ્રવાસી પર પેશાબ કરનારા શંકર મિશ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે બુધવારે દિલ્હીની પટિયાલા કોર્ટે સુનાવણી કરી હતી. પટિયાલા કોર્ટે એની જામીન અરજી ફગાવી દીધી છે. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોમલ ગર્ગે પિટિશન પર સુનાવણી કરી હતી. ફરિયાદીએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, હકીકત એ પણ છે કે, એ સમયે શંકર નશામાં હતો. જેની સામે કોર્ટે એવું કહ્યું હતું કે શંકર ખૂબ જ પ્રતિભાશાળી છે. જો તેને મુક્તિ આપવામાં આવશે તો એ બીજાને પણ હેરાન કરશે.

આ પણ વાંચોઃ મેટ્રો ટ્રેક પર પી કરતો વીડિયો વાયરલ, DMRC એ આપ્યા તપાસના આદેશ

શું બોલ્યા વકીલઃ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, "તે ફરિયાદીને પ્રભાવિત કરી શકે તેવી પૂરી શક્યતા છે. તે કોઠાસૂઝ ધરાવનાર તે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ છે. તપાસ પ્રાથમિક તબક્કે છે." ફરિયાદી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું, "કોર્ટે તપાસ કરવી પડશે કે શું એવા ગુનેગારને જામીન આપી શકાય કે જેમણે પહેલા કહ્યું કે તેણે આ કર્યું, તેના માટે માફી માંગી. પછી પાછળથી પાછો ફર્યો. તે કહે છે કે તે નશામાં હતો. નશો ક્યારેય બચાવ ન હોઈ શકે.

ફરિયાદીને મેસેજઃ એવું નથી કે તેને તેની જાણ વગર દારૂ પીધો હતો. તેના પ્રભાવને કારણે એર ઈન્ડિયાએ એફઆઈઆર ન નોંધવાનું નક્કી કર્યું, મારી ફરિયાદ તારીખ 28 નવેમ્બર તેના પ્રભાવને કારણે છે. ફરિયાદીના વકીલે કોર્ટને જણાવ્યું કે મિશ્રાના પિતા ફરિયાદીને અનિચ્છનીય વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે. તેના વકીલે કહ્યું, "આરોપીના પિતા મને વ્હોટ્સએપમાં મેસેજ મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે કર્મ મને મારી નાખશે અને પછી મેસેજ ડિલીટ કરી દીધો.

આ પણ વાંચોઃ ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાની ઘટનાને લઈ CEO એ માફી માંગી

કોર્ટનો સવાલઃ આના પર કોર્ટે ફરિયાદીને પૂછ્યું કે તમારો નંબર આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો. ફરિયાદીના વકીલે કોર્ટને કહ્યું, " એર ઈન્ડિયાની ભૂલ છે. તેઓએ મને ગુનેગારની સામે બેસાડ્યો અને તે સમયે મારો નંબર બદલી નાખવામાં આવ્યો." મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ મનુ શર્માએ જો કે, આરોપોને સદંતર ફગાવી દીધા હતા. આરોપી શર્માએ જામીન અરજીમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ઉમેરી અને કહ્યું કે તેમની ધરપકડમાં અર્નેશ કુમારના આદેશનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી.

મોટો પ્રશ્નઃ એ પણ હાઇલાઇટ કર્યું હતું કે મિશ્રાએ આ મામલે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કરવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવીને આ મામલે એર ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પ્રક્રિયાને ટાળવાનો પ્રયાસ કર્યો ન હતો. હું તારીખ 6ઠ્ઠી જાન્યુઆરીએ હાજર થવાનો હતો. શું તેઓ તારીખ 6 જાન્યુઆરીએ તેમનું મન બનાવી લેશે કે હું બચી રહ્યો છું? 4 જાન્યુઆરીએ જ્યારે એફઆઈઆર નોંધવામાં આવી ત્યારે એર ઈન્ડિયાએ આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી. હું તેની સમક્ષ હાજર થયો. હું ભાગ્યો ન હતો. શું પ્રથમ કિસ્સામાં NBW જારી કરી શકાય છે.

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પ્રવાસી પર પેશાબ કરનારા શંકર મિશ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે બુધવારે દિલ્હીની પટિયાલા કોર્ટે સુનાવણી કરી હતી. પટિયાલા કોર્ટે એની જામીન અરજી ફગાવી દીધી છે. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોમલ ગર્ગે પિટિશન પર સુનાવણી કરી હતી. ફરિયાદીએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, હકીકત એ પણ છે કે, એ સમયે શંકર નશામાં હતો. જેની સામે કોર્ટે એવું કહ્યું હતું કે શંકર ખૂબ જ પ્રતિભાશાળી છે. જો તેને મુક્તિ આપવામાં આવશે તો એ બીજાને પણ હેરાન કરશે.

આ પણ વાંચોઃ મેટ્રો ટ્રેક પર પી કરતો વીડિયો વાયરલ, DMRC એ આપ્યા તપાસના આદેશ

શું બોલ્યા વકીલઃ સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, "તે ફરિયાદીને પ્રભાવિત કરી શકે તેવી પૂરી શક્યતા છે. તે કોઠાસૂઝ ધરાવનાર તે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ છે. તપાસ પ્રાથમિક તબક્કે છે." ફરિયાદી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું, "કોર્ટે તપાસ કરવી પડશે કે શું એવા ગુનેગારને જામીન આપી શકાય કે જેમણે પહેલા કહ્યું કે તેણે આ કર્યું, તેના માટે માફી માંગી. પછી પાછળથી પાછો ફર્યો. તે કહે છે કે તે નશામાં હતો. નશો ક્યારેય બચાવ ન હોઈ શકે.

ફરિયાદીને મેસેજઃ એવું નથી કે તેને તેની જાણ વગર દારૂ પીધો હતો. તેના પ્રભાવને કારણે એર ઈન્ડિયાએ એફઆઈઆર ન નોંધવાનું નક્કી કર્યું, મારી ફરિયાદ તારીખ 28 નવેમ્બર તેના પ્રભાવને કારણે છે. ફરિયાદીના વકીલે કોર્ટને જણાવ્યું કે મિશ્રાના પિતા ફરિયાદીને અનિચ્છનીય વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે. તેના વકીલે કહ્યું, "આરોપીના પિતા મને વ્હોટ્સએપમાં મેસેજ મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે કર્મ મને મારી નાખશે અને પછી મેસેજ ડિલીટ કરી દીધો.

આ પણ વાંચોઃ ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાની ઘટનાને લઈ CEO એ માફી માંગી

કોર્ટનો સવાલઃ આના પર કોર્ટે ફરિયાદીને પૂછ્યું કે તમારો નંબર આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો. ફરિયાદીના વકીલે કોર્ટને કહ્યું, " એર ઈન્ડિયાની ભૂલ છે. તેઓએ મને ગુનેગારની સામે બેસાડ્યો અને તે સમયે મારો નંબર બદલી નાખવામાં આવ્યો." મિશ્રા તરફથી હાજર રહેલા એડવોકેટ મનુ શર્માએ જો કે, આરોપોને સદંતર ફગાવી દીધા હતા. આરોપી શર્માએ જામીન અરજીમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ઉમેરી અને કહ્યું કે તેમની ધરપકડમાં અર્નેશ કુમારના આદેશનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી.

મોટો પ્રશ્નઃ એ પણ હાઇલાઇટ કર્યું હતું કે મિશ્રાએ આ મામલે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કરવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવીને આ મામલે એર ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પ્રક્રિયાને ટાળવાનો પ્રયાસ કર્યો ન હતો. હું તારીખ 6ઠ્ઠી જાન્યુઆરીએ હાજર થવાનો હતો. શું તેઓ તારીખ 6 જાન્યુઆરીએ તેમનું મન બનાવી લેશે કે હું બચી રહ્યો છું? 4 જાન્યુઆરીએ જ્યારે એફઆઈઆર નોંધવામાં આવી ત્યારે એર ઈન્ડિયાએ આંતરિક તપાસ શરૂ કરી દીધી હતી. હું તેની સમક્ષ હાજર થયો. હું ભાગ્યો ન હતો. શું પ્રથમ કિસ્સામાં NBW જારી કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.