ગુવાહાટી: પારિવારિક વિવાદને ઉકેલવા માટે પોલીસ દ્વારા લાંચ તરીકે માંગવામાં આવેલી 40,000 રૂપિયાની રકમ ચૂકવવામાં અસમર્થ, આસામના કામરૂપ જિલ્લાના અમીનગાંવ વિસ્તારમાં શુક્રવારે સવારે એક પરિણીત યુવકે આત્મહત્યા કરી (youth commits suicide in Assam ) હતી.
આ પણ વાંચો: કર્ણાટકથી આફ્રિકન પોપટની જોડી ગુજરાતના ઝૂને સોંપાઈ
ભુવનેશ્વર પૌલે ગુરુવારે રાત્રે તેની પત્ની સાથે નજીવો ઝઘડો કર્યો હતો, જે પછી તેની પત્નીએ તેની વિરુદ્ધ અમીનગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની પત્નીની હાજરીમાં સમાધાન કરીને મામલો થાળે પાડવા માટે ભુવનેશ્વરને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.
આ પણ વાંચો: મહાત્મા ગાંધીની તસવીરને નુકસાન કરતા રાહુલ ગાંધીના પીએની ધરપકડ
ભુવનેશ્વરના પરિવારજનોના આક્ષેપ મુજબ પતિ અને પત્ની બંને સમાધાન પર પહોંચ્યા હોવા છતાં, એક પોલીસ અધિકારીએ ભુવનેશ્વર પાસેથી તેને જેલમાં ન મોકલવા માટે 40000 રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ અધિકારીએ યુવકને ખૂબ જ ધમકી આપી હતી કે જો તે રકમ નહીં ચૂકવે તો તે તેને જેલમાં મોકલી દેશે, ભુવનેશ્વરની મોટી બહેને સ્થાનિક મીડિયાને જાણ કરી હતી, જેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેના ભાઈએ પોલીસ દ્વારા માંગેલી રકમની વ્યવસ્થા કરવામાં તેની લાચારી દર્શાવી હતી. પરિવારજનોને શુક્રવારે સવારે ભુવનેશ્વરનો મૃતદેહ તેના રૂમમાં લટકતો જોવા મળ્યો હતો.