- આંધ્રપ્રદેશમાંથી અલગ થયા બાદ 2014માં આ દિવસે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો
- વડાપ્રધાન મોદીએ તેલંગાણા સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
- ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા
હૈદરાબાદ: તેલંગાણા રાજ્ય 2 જૂન, 2014 ના રોજ આંધ્ર પ્રદેશની બહાર ભારતનું 29 મો સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ નાયડુએ તેલંગાણા સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે તેલંગણાની જનતાને તેના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, રાજ્યની અનોખી સંસ્કૃતિ અને મહેનતુ લોકોને ધન્ય છે. જેણે ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આંધ્રપ્રદેશમાંથી અલગ થયા બાદ 2014માં આ દિવસે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું
તેલંગણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. રાજ્યની અનન્ય સંસ્કૃતિ અને મહેનતુ લોકોએ ઘણા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેલંગાણાના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Global Parents Day 2021: માતા-પિતાના સમ્માન માટે આ દિવસની કરાય છે ઉજવણી, જાણો મહત્વની 10 વાતો
ઉપરાષ્ટ્રપતિનું ટ્વીટ
ઉપરાષ્ટ્રપતિના ટ્વીટમાં તેમણે કહ્યું કે, તેલંગાણામાં સદીઓ જૂની પરંપરાઓ છે અને તે સમૃદ્ધ ઇતિહાસ, વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો અને સ્થાપત્ય ભવ્યતા માટે પ્રખ્યાત છે. રાજ્ય અને તેના સક્ષમ લોકોએ રાષ્ટ્રના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. એમ નાયડુએ જણાવ્યું હતુ. રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિ અને તેના લોકોની સુખાકારી માટે મારી શુભકામનાઓ.
આ પણ વાંચો: International sex workers day: COVID-19 અને લોકડાઉન વચ્ચેના સંકટમાંથી પસાર થતાં યૌનકર્મીઓ
કોંગ્રેસ પાર્ટીએ પણ તેલંગાણા દિવસ નિમિત્તે રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા
બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ તેલંગાણા દિવસ નિમિત્તે રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા છે.આ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓમાં તહેવારોનું આયોજન કરવામાં આવે છે.રાજ્યની સ્થાપનાને સહમતી આપવામાં આવી હતી. ફેબ્રુઆરી 2014 સુધી, તેલંગાણાને લગતું સ્ટેટહૂડ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર કરવામાં આવ્યું. એપ્રિલ 2014 ની સામાન્ય ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ 119 માંથી 63 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. આપને જણાવી દઈએ કે કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા.