ETV Bharat / bharat

Sukma Naxalite News: સુકમામાં નક્સલવાદીઓ સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ

author img

By

Published : Feb 25, 2023, 2:15 PM IST

સવારે 9 વાગ્યાની આસપાસ જગરગુંડા અને કુંદેડની વચ્ચે ઓચિંતો હુમલો કરીને બેઠેલા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 3 જવાનો શહીદ થયા હતા. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.

Sukma News: સુકમામાં નક્સલવાદીઓ સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ
Sukma News: સુકમામાં નક્સલવાદીઓ સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ

સુકમા: ડીઆરજીના જવાન કુંદેડ અને જગરગુંડા વચ્ચે સવારે સર્ચ પર નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 3 જવાન શહીદ થયા. જવાનોએ પણ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. આ વિસ્તારમાં સૈન્ય ટુકડીઓની તપાસ ચાલું છે."આ વિસ્તારમાં છાશવારે હુમલાઓ થતા રહે છે. ફરી વાર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.

  • #UPDATE | Three DRG officials were killed during the encounter between security forces and Naxals in district Sukma. The deceased include ASI Ramuram Nag, Assistant Constable Kunjam Joga and Sainik Vanjam Bheema.

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિશાન બનાવવાનો પ્રયાસ: ફેબ્રુઆરી મહિનામાં જ નક્સલવાદીઓએ બસ્તર ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં ઘણી વખત જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ 12 ફેબ્રુઆરીએ કાંકેર જિલ્લાના છોટેબેટીયા પોલીસ સ્ટેશન હેઠળના આલંદના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કોઈ જવાનને નુકસાન થયું નથી. જેમાં અનેક નક્સલવાદીઓના ઈજાગ્રસ્ત થવાના સમાચાર હતા. સ્થળ પરથી મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી આવી હતી.

આ પણ વાંચો MCD Standing Committee Polls: સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી રદ, હવે ફરીથી 27 ફેબ્રુઆરીએ થશે ચૂંટણી

નક્સલવાદીઓ ભાગી ગયા: 8 ફેબ્રુઆરીએ જ નક્સલવાદીઓએ બીજાપુરના સરહદી વિસ્તાર તારેમમાં સર્ચ ઓપરેશન દરમિયાન ડીઆરજી, એસટીએફ અને કોબ્રા પોલીસ પર હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ ગોળીબાર બાદ નક્સલવાદીઓ ભાગી ગયા હતા. જોકે સુરક્ષા દળોએ કેટલાક નક્સલવાદીઓને પકડવાનો દાવો કર્યો હતો. સ્થળ પરથી સુરક્ષા દળના જવાનોને મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી હતી. આ ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા હતા.જ્યારે બે જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો AMIT SHAH ON BIHAR VISIT: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહાર પર, છેલ્લા 6 મહિનામાં 3જી મુલાકાત

ગ્રામજનનું મોત: બીજી તરફ, 8 ફેબ્રુઆરીના રોજ સવારે 4.00 થી 5.00 વાગ્યાની વચ્ચે, થાણા તાર્રેમ હેઠળના ગુંડમ ચુટવાઈ જંગલમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક ગ્રામજનનું મોત થયું હતું. એન્કાઉન્ટર બાદ ગ્રામજનોએ એન્કાઉન્ટરને નકલી હોવાનું જણાવ્યું હતું. સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટર દરમિયાન ગામ નક્સલી ઓચિંતો ઘેરામાં ફસાઈ ગયું હતું.

સંવેદનશીલ વિસ્તારઃ નક્સલીઓ તરફથી આ કોઈ પહેલો હુમલો નથી. આ પહેલા પણ નક્સલીઓએ અચાનક સૈન્ય છાવણી પર હુમલો કરી દીધો હતો. જેમાં જવાનોને મોટું નુકસાન થયું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે શહીદ થયેલા જવાનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે એમના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.

સુકમા: ડીઆરજીના જવાન કુંદેડ અને જગરગુંડા વચ્ચે સવારે સર્ચ પર નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 3 જવાન શહીદ થયા. જવાનોએ પણ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. આ વિસ્તારમાં સૈન્ય ટુકડીઓની તપાસ ચાલું છે."આ વિસ્તારમાં છાશવારે હુમલાઓ થતા રહે છે. ફરી વાર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.

  • #UPDATE | Three DRG officials were killed during the encounter between security forces and Naxals in district Sukma. The deceased include ASI Ramuram Nag, Assistant Constable Kunjam Joga and Sainik Vanjam Bheema.

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિશાન બનાવવાનો પ્રયાસ: ફેબ્રુઆરી મહિનામાં જ નક્સલવાદીઓએ બસ્તર ડિવિઝનના વિવિધ વિસ્તારોમાં ઘણી વખત જવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ 12 ફેબ્રુઆરીએ કાંકેર જિલ્લાના છોટેબેટીયા પોલીસ સ્ટેશન હેઠળના આલંદના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કોઈ જવાનને નુકસાન થયું નથી. જેમાં અનેક નક્સલવાદીઓના ઈજાગ્રસ્ત થવાના સમાચાર હતા. સ્થળ પરથી મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી આવી હતી.

આ પણ વાંચો MCD Standing Committee Polls: સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી રદ, હવે ફરીથી 27 ફેબ્રુઆરીએ થશે ચૂંટણી

નક્સલવાદીઓ ભાગી ગયા: 8 ફેબ્રુઆરીએ જ નક્સલવાદીઓએ બીજાપુરના સરહદી વિસ્તાર તારેમમાં સર્ચ ઓપરેશન દરમિયાન ડીઆરજી, એસટીએફ અને કોબ્રા પોલીસ પર હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ ગોળીબાર બાદ નક્સલવાદીઓ ભાગી ગયા હતા. જોકે સુરક્ષા દળોએ કેટલાક નક્સલવાદીઓને પકડવાનો દાવો કર્યો હતો. સ્થળ પરથી સુરક્ષા દળના જવાનોને મોટી માત્રામાં નક્સલવાદી સામગ્રી મળી હતી. આ ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા હતા.જ્યારે બે જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો AMIT SHAH ON BIHAR VISIT: લોકસભા ચૂંટણીને લઇને અમિત શાહની નજર બિહાર પર, છેલ્લા 6 મહિનામાં 3જી મુલાકાત

ગ્રામજનનું મોત: બીજી તરફ, 8 ફેબ્રુઆરીના રોજ સવારે 4.00 થી 5.00 વાગ્યાની વચ્ચે, થાણા તાર્રેમ હેઠળના ગુંડમ ચુટવાઈ જંગલમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક ગ્રામજનનું મોત થયું હતું. એન્કાઉન્ટર બાદ ગ્રામજનોએ એન્કાઉન્ટરને નકલી હોવાનું જણાવ્યું હતું. સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટર દરમિયાન ગામ નક્સલી ઓચિંતો ઘેરામાં ફસાઈ ગયું હતું.

સંવેદનશીલ વિસ્તારઃ નક્સલીઓ તરફથી આ કોઈ પહેલો હુમલો નથી. આ પહેલા પણ નક્સલીઓએ અચાનક સૈન્ય છાવણી પર હુમલો કરી દીધો હતો. જેમાં જવાનોને મોટું નુકસાન થયું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે શહીદ થયેલા જવાનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે એમના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.