ETV Bharat / bharat

MP PT USHA : સ્પ્રિન્ટ ક્વીન્સ પીટી ઉષાએ રાજ્યસભાની અધ્યક્ષતા કરી

રાજ્યસભામાં નામાંકિત સંસદસભ્ય તરીકે પીટી ઉષાએ 8 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ટૂંક સમય માટે અધ્યક્ષતા કરી હતી. અધ્યક્ષ જગદીપ ધનખરની ગેરહાજરીમાં પીટી ઉષાએ સત્રનું કામકાજ સંભાળ્યું હતું. રમતગમતના ક્ષેત્રની જેમ પીટી ઉષાએ આરામથી સત્રની દેખરેખ કરતા જોવા મળ્યા હતા.

author img

By

Published : Aug 2, 2023, 2:51 PM IST

MP PT USHA
MP PT USHA

નવી દિલ્હી : સ્પ્રિન્ટ ક્વીન પીટી ઉષા ભાજપ દ્વારા સંસદના નામાંકિત સભ્ય છે. જેમણે ટ્રેક અને ફિલ્ડ એરેનાથી રાજ્યસભા કોરિડોર સુધીની મુસાફરી કરી હતી. જ્યારે બુધવારે રાજ્યસભા ગૃહમાં તેઓનું એક નવું રૂપ જોવા મળ્યું હતું. અધ્યક્ષ જગદીપ ધનખરની ગેરહાજરીમાં તેઓએ સત્રની અધ્યક્ષતા કરી જેમાં રાબેતા મુજબ કામકાજ સંભાળ્યું હતું. રમતગમતના ક્ષેત્રની જેમ પીટી ઉષાએ આરામથી સત્રના ચર્ચાની દેખરેખ કરતા જોવા મળ્યા હતા.

જગદીપ ધનખરે કર્યા વખાણ : જોકે, ભૂતપૂર્વ અનુભવી રાજકારણી ધનખરના એલાન સાથે ન હતા. થોડા સમય પછી ખુરશી પર પાછા ફરેલા ધનખરે ઉષાના ભરપૂર વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, તેમનું પ્રદર્શન ફિલ્ડમાં અને બહાર રાજ્યસભામાં ઉત્તમ હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્યસભામાં નામાંકિત સંસદસભ્ય તરીકે ઉષાએ 8 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ટૂંક સમય માટે અધ્યક્ષતા કરી હતી. ત્યારે તેઓએ ડેસ્ક પર સંસદના સભ્યોના ધક્કામુક્કી વચ્ચે ખુરશી સંભાળી હતી.

ઉમદા કામગીરી : શરૂઆતમાં તેઓને આ કામગીરી વધુ આરામદાયક લાગતી ન હતી. પરંતુ તેઓએ વક્તાઓને મુદ્દાઓ પર ચર્ચા કરવાનું કહીને સરળતાથી કાર્યવાહીનું સંચાલન કર્યું હતું. તાજેતરમાં જ ચેરમેન જગદીપ ધનખર દ્વારા વાઈસ ચેરપર્સનની પેનલ માટે ઉષાની પસંદગી કરવામાં આવી હતી.

રાજકારણથી દૂર : પીટી ઉષાએ અગાઉ રાજકારણમાં જોડાવાની અનિચ્છા દર્શાવી હતી. કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપના નેતાઓના સંપર્ક વચ્ચે 2016 માં કોઝિકોડમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની આયોજક સમિતિના અધ્યક્ષ તરીકે નામ આપ્યું હતું.

સંસદના નામાંકિત સભ્ય : થોડા સમય બાદ પીટી ઉષા આખરે રાજકારણમાં જોડાવા માટે સંમત થઈ હતી. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહમાં નામાંકિત થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમણે તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, પીટી ઉષા દરેક ભારતીય માટે પ્રેરણારુપ છે. રમતગમતમાં તેઓની સિદ્ધિઓ વ્યાપકપણે જાણીતી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઉભરતા રમતવીરોને માર્ગદર્શન આપવાનું તેઓનું કાર્ય એટલું જ પ્રશંસનીય છે.

  1. સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ
  2. Nuh Violence Updates: 8 જિલ્લામાં કલમ 144 લાગુ, જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત

નવી દિલ્હી : સ્પ્રિન્ટ ક્વીન પીટી ઉષા ભાજપ દ્વારા સંસદના નામાંકિત સભ્ય છે. જેમણે ટ્રેક અને ફિલ્ડ એરેનાથી રાજ્યસભા કોરિડોર સુધીની મુસાફરી કરી હતી. જ્યારે બુધવારે રાજ્યસભા ગૃહમાં તેઓનું એક નવું રૂપ જોવા મળ્યું હતું. અધ્યક્ષ જગદીપ ધનખરની ગેરહાજરીમાં તેઓએ સત્રની અધ્યક્ષતા કરી જેમાં રાબેતા મુજબ કામકાજ સંભાળ્યું હતું. રમતગમતના ક્ષેત્રની જેમ પીટી ઉષાએ આરામથી સત્રના ચર્ચાની દેખરેખ કરતા જોવા મળ્યા હતા.

જગદીપ ધનખરે કર્યા વખાણ : જોકે, ભૂતપૂર્વ અનુભવી રાજકારણી ધનખરના એલાન સાથે ન હતા. થોડા સમય પછી ખુરશી પર પાછા ફરેલા ધનખરે ઉષાના ભરપૂર વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, તેમનું પ્રદર્શન ફિલ્ડમાં અને બહાર રાજ્યસભામાં ઉત્તમ હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્યસભામાં નામાંકિત સંસદસભ્ય તરીકે ઉષાએ 8 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ટૂંક સમય માટે અધ્યક્ષતા કરી હતી. ત્યારે તેઓએ ડેસ્ક પર સંસદના સભ્યોના ધક્કામુક્કી વચ્ચે ખુરશી સંભાળી હતી.

ઉમદા કામગીરી : શરૂઆતમાં તેઓને આ કામગીરી વધુ આરામદાયક લાગતી ન હતી. પરંતુ તેઓએ વક્તાઓને મુદ્દાઓ પર ચર્ચા કરવાનું કહીને સરળતાથી કાર્યવાહીનું સંચાલન કર્યું હતું. તાજેતરમાં જ ચેરમેન જગદીપ ધનખર દ્વારા વાઈસ ચેરપર્સનની પેનલ માટે ઉષાની પસંદગી કરવામાં આવી હતી.

રાજકારણથી દૂર : પીટી ઉષાએ અગાઉ રાજકારણમાં જોડાવાની અનિચ્છા દર્શાવી હતી. કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપના નેતાઓના સંપર્ક વચ્ચે 2016 માં કોઝિકોડમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની આયોજક સમિતિના અધ્યક્ષ તરીકે નામ આપ્યું હતું.

સંસદના નામાંકિત સભ્ય : થોડા સમય બાદ પીટી ઉષા આખરે રાજકારણમાં જોડાવા માટે સંમત થઈ હતી. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહમાં નામાંકિત થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમણે તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, પીટી ઉષા દરેક ભારતીય માટે પ્રેરણારુપ છે. રમતગમતમાં તેઓની સિદ્ધિઓ વ્યાપકપણે જાણીતી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઉભરતા રમતવીરોને માર્ગદર્શન આપવાનું તેઓનું કાર્ય એટલું જ પ્રશંસનીય છે.

  1. સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ
  2. Nuh Violence Updates: 8 જિલ્લામાં કલમ 144 લાગુ, જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી ધોરણે સ્થગિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.