ETV Bharat / bharat

અમિત શાહ અને CM ભુપેશ બઘેલે નક્સલવાદી હુમલાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

author img

By

Published : Apr 5, 2021, 2:10 PM IST

Updated : Apr 5, 2021, 4:49 PM IST

છત્તીસગમાં નક્સલવાદી હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગ CM ભુપેશ બઘેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર રહ્યા હતા અને હુમલામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે આસામમાં પોતાનો પ્રચાર ટૂંકાવ્યો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરવા છત્તીસગઢ પહોંચ્યા હતા.

અમિત શાહ
અમિત શાહ
  • છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
  • 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
  • અમિત શાહ જવાનોને રાખવામાં આવ્યા છે તે ત્રણેય હોસ્પિટલોની મુલાકાત લેશે

જગદલપુર(છત્તીસગઢ): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નક્સલવાદી હુમલામાં 22 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં નક્સલીઓ સાથેની લડાઇમાં પોતાનો જીવ ગુમાવનાર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે અહીં પુષ્પાંજલિ સમારોહમાં હાજરી આપી હતી.

અમિત શાહે પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી

શનિવારે સુકમા અને બીજપુર જિલ્લાની સરહદ પર જોનાગુડા અને ટેકલગુડા ગામો વચ્ચે નક્સલીઓ સાથે થયેલી લડાઈમાં બાવીસ સુરક્ષા જવાન શહીદ થયા અને 31 અન્ય થયા હતાં. દિલ્હીથી છત્તીસગઢના જગદલપુર શહેર પહોંચ્યા બાદ શાહે અહીં પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી હતી, જ્યાં તિરંગાથી લપેટેલા કફિન્સમાં 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહો રાખવામાં આવ્યા હતા અને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:બીજાપુરમાં નક્સલવાદી હુમલો: ગૃહપ્રધાન અમિત શાહ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત સૈનિકોને મળશે

શહીદ જવાનોને પુષ્પાંજલી અપાઈ

અમિત શાહ, છત્તીસગના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ અને અન્ય મહાનુભાવોએ સુરક્ષાકર્મીઓના નશ્વર દેહો પર પુષ્પાંજલિ અર્પી હતી. બીજપુર જિલ્લા સાથે જોડાયેલા અન્ય શહીદ જવાનોને બીજપુર શહેરમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો

શાહ અહીં પોલીસ કોઓર્ડિનેશન સેન્ટર ખાતે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE)ની પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. મુખ્ય પ્રધાન બાઘેલ, રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લીધો હતો. શાહ ત્યારબાદ હેલિકોપ્ટરમાં CGPFના CSPFના બાસગુડા કેમ્પ માટે રવાના થશે અને ત્યાં CRPF અને રાજ્ય પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત અને બપોરનું ભોજન કરશે.

આ પણ વાંચો:છત્તીસગઢ એટેક: સુરક્ષા દળો પર 400 નક્સલવાદીઓએ કર્યો હતો હુમલો

કેન્દ્રીય ગૃહમંત્રીએ નક્સલવાદીઓને યોગ્ય પ્રતિસાદ આપવાની પ્રતિજ્ઞા લીધી

બાદમાં તે રાયપુર જશે અને ત્રણ હોસ્પિટલોની મુલાકાત લેશે જ્યાં ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓને દાખલ કરવામાં આવ્યા છે. શાહ સોમવારે સાંજે 5.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે નક્સલવાદીઓને યોગ્ય પ્રતિસાદ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.

CRPF જવાન રાકેશ્વરસિંહ મનહસ સુધી ગુમ

CoBRA (Commando Battalion for Resolute Action)ના CRPF જવાન રાકેશ્વરસિંહ મનહસ હજી સુધી ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. નક્સલવાદીઓને પણ ભારે નુકસાન થયાના સમાચાર છે. CRPF અને રાજ્ય પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને એક ઈન્દાસ રાઇફલ સાથે માદાવી વનોજા તરીકે ઓળખાતી મહિલા માઓવાદી કમાન્ડરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

  • છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
  • 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહોને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
  • અમિત શાહ જવાનોને રાખવામાં આવ્યા છે તે ત્રણેય હોસ્પિટલોની મુલાકાત લેશે

જગદલપુર(છત્તીસગઢ): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢ CM ભુપેશ બઘેલે સોમવારે જગદલપુરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં નક્સલવાદી હુમલામાં 22 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં નક્સલીઓ સાથેની લડાઇમાં પોતાનો જીવ ગુમાવનાર સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે અહીં પુષ્પાંજલિ સમારોહમાં હાજરી આપી હતી.

અમિત શાહે પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી

શનિવારે સુકમા અને બીજપુર જિલ્લાની સરહદ પર જોનાગુડા અને ટેકલગુડા ગામો વચ્ચે નક્સલીઓ સાથે થયેલી લડાઈમાં બાવીસ સુરક્ષા જવાન શહીદ થયા અને 31 અન્ય થયા હતાં. દિલ્હીથી છત્તીસગઢના જગદલપુર શહેર પહોંચ્યા બાદ શાહે અહીં પોલીસ લાઇન્સની મૂલાકાત લીધી હતી, જ્યાં તિરંગાથી લપેટેલા કફિન્સમાં 14 સુરક્ષા જવાનોના નશ્વર દેહો રાખવામાં આવ્યા હતા અને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:બીજાપુરમાં નક્સલવાદી હુમલો: ગૃહપ્રધાન અમિત શાહ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત સૈનિકોને મળશે

શહીદ જવાનોને પુષ્પાંજલી અપાઈ

અમિત શાહ, છત્તીસગના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ અને અન્ય મહાનુભાવોએ સુરક્ષાકર્મીઓના નશ્વર દેહો પર પુષ્પાંજલિ અર્પી હતી. બીજપુર જિલ્લા સાથે જોડાયેલા અન્ય શહીદ જવાનોને બીજપુર શહેરમાં યોજાયો હતો, જેમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો

શાહ અહીં પોલીસ કોઓર્ડિનેશન સેન્ટર ખાતે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE)ની પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. મુખ્ય પ્રધાન બાઘેલ, રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લીધો હતો. શાહ ત્યારબાદ હેલિકોપ્ટરમાં CGPFના CSPFના બાસગુડા કેમ્પ માટે રવાના થશે અને ત્યાં CRPF અને રાજ્ય પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત અને બપોરનું ભોજન કરશે.

આ પણ વાંચો:છત્તીસગઢ એટેક: સુરક્ષા દળો પર 400 નક્સલવાદીઓએ કર્યો હતો હુમલો

કેન્દ્રીય ગૃહમંત્રીએ નક્સલવાદીઓને યોગ્ય પ્રતિસાદ આપવાની પ્રતિજ્ઞા લીધી

બાદમાં તે રાયપુર જશે અને ત્રણ હોસ્પિટલોની મુલાકાત લેશે જ્યાં ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓને દાખલ કરવામાં આવ્યા છે. શાહ સોમવારે સાંજે 5.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારે નક્સલવાદીઓને યોગ્ય પ્રતિસાદ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.

CRPF જવાન રાકેશ્વરસિંહ મનહસ સુધી ગુમ

CoBRA (Commando Battalion for Resolute Action)ના CRPF જવાન રાકેશ્વરસિંહ મનહસ હજી સુધી ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. નક્સલવાદીઓને પણ ભારે નુકસાન થયાના સમાચાર છે. CRPF અને રાજ્ય પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને એક ઈન્દાસ રાઇફલ સાથે માદાવી વનોજા તરીકે ઓળખાતી મહિલા માઓવાદી કમાન્ડરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

Last Updated : Apr 5, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.