ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટ 5 ઓગસ્ટે પેગાસસ જાસૂસી અરજી પર સુનાવણી કરશે

પેગાસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટ 5 ઓગસ્ટે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચમાં આ કેસની સુનવણી થશે. તાજેતરમાં વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી.

author img

By

Published : Aug 1, 2021, 2:07 PM IST

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
  • પેગાસસ જાસૂસી કેસમાં 5 ઓગસ્ટના રોજ સુનાવણી
  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ સુનાવણી કરશે
  • વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી અરજી દાખલ કરાઇ

નવી દિલ્હી : પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ 5 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અપીલ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી કરવાની જરૂર છે. તે નાગરિક સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી બાબત છે. આની સુનવણી જલ્દી થવી જોઈએ. સિબ્બલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે, સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ, પત્રકારો અને ન્યાયાધીશોના ફોન ટેપ કર્યા હતા. તેની અસર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પડી હતી. આના પર ચીફ જસ્ટિસ રમણે જણાવ્યું હતું કે, આગલા અઠવાડિયે સુનાવણી થશે.

આ પણ વાંચો : પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

પેગાસસ પર વિપક્ષના કેન્દ્ર સરકાર પર નિશાન

પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, શું ભારત સરકાર અથવા તેની કોઇ એજન્સીએ ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ અથવા પરવાનગી મેળવી હતી. પેગાસસ કેસને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. સંસદથી રસ્તા સુધી વિપક્ષી દળોના નેતાઓ અને સરકાર સામે મોરચો ખોલી રહ્યું છે. સંસદમાં વિપક્ષી દળોના સાંસદો આ મુદ્દે સતત હંગામો મચાવી રહ્યા છે. આ સાથે જ તેઓ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પાસેથી જવાબની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો -

  • પેગાસસ જાસૂસી કેસમાં 5 ઓગસ્ટના રોજ સુનાવણી
  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ સુનાવણી કરશે
  • વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી અરજી દાખલ કરાઇ

નવી દિલ્હી : પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ 5 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અપીલ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી કરવાની જરૂર છે. તે નાગરિક સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી બાબત છે. આની સુનવણી જલ્દી થવી જોઈએ. સિબ્બલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે, સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ, પત્રકારો અને ન્યાયાધીશોના ફોન ટેપ કર્યા હતા. તેની અસર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પડી હતી. આના પર ચીફ જસ્ટિસ રમણે જણાવ્યું હતું કે, આગલા અઠવાડિયે સુનાવણી થશે.

આ પણ વાંચો : પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

પેગાસસ પર વિપક્ષના કેન્દ્ર સરકાર પર નિશાન

પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, શું ભારત સરકાર અથવા તેની કોઇ એજન્સીએ ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ કરવા માટે લાઇસન્સ અથવા પરવાનગી મેળવી હતી. પેગાસસ કેસને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. સંસદથી રસ્તા સુધી વિપક્ષી દળોના નેતાઓ અને સરકાર સામે મોરચો ખોલી રહ્યું છે. સંસદમાં વિપક્ષી દળોના સાંસદો આ મુદ્દે સતત હંગામો મચાવી રહ્યા છે. આ સાથે જ તેઓ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પાસેથી જવાબની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.