ETV Bharat / bharat

Rajya Sabha Disruptions સામે વૈંકેયા નાયડુની નારાજગી: 'કોઇપણ સભ્ય સંચાલન અંગે નિર્દેશ આપી શકે નહીં' - વિપક્ષોનો વિરોધ

સંસદના ચોમાસુ સત્રનો આજે 11 મો દિવસ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સતત ચાલી રહેલા હંગામાના ( Rajya Sabha Disruptions ) કારણે ખોરવાઈ રહી છે. રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થયા બાદ પણ સાંસદોના સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતાં. સરકાર સામે રાજ્યસભાના આંદોલનકારી સભ્યોએ પ્લેકાર્ડ સાથે વેલમાં પ્રવેશ કરીને હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું હતું. અધ્યક્ષ વેંકૈયા નાયડુ ( Vainkeya Naidu ) આ કારણે ભારે નારાજ થયાં અને કહ્યું કે 'કોઇપણ સભ્ય કાર્યવાહીના સંચાલન અંગે અધ્યક્ષને નિર્દેશ આપી શકતા નથી.'

Rajya Sabha Disruptions સામે વૈંકેયા નાયડુની નારાજગી: 'કોઇપણ સભ્ય સંચાલન અંગે નિર્દેશ આપી શકે નહીં'
Rajya Sabha Disruptions સામે વૈંકેયા નાયડુની નારાજગી: 'કોઇપણ સભ્ય સંચાલન અંગે નિર્દેશ આપી શકે નહીં'
author img

By

Published : Aug 3, 2021, 3:46 PM IST

  • રાજ્યસભામાં હંગામાને લઇ અધ્યક્ષે દર્શાવી નારાજગી
  • અધ્યક્ષ વૈંકેયા નાયડુએ વિપક્ષની હરકતો પર કરી કડક ટીપ્પણી
  • 'કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં.'

નવી દિલ્હીઃ રાજ્યસભામાં હંગામો ( Rajya Sabha Disruptions ) ફરી એકવખત અધ્યક્ષ વેંકૈયા નાયડુની ( Vainkeya Naidu ) નારાજગીનું કારણ બન્યો હતો. પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે અવાજ ઉઠાવતાં સાંસદોના વલણ પર અધ્યક્ષ નાયડુએ આજે ​​કડક સ્વરમાં કહ્યું કે કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં. જણાવી દઈએ કે 19 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રના પહેલા દિવસથી રાજ્યસભામાં હંગામો ચાલી રહ્યો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.

આ પહેલાં નાયડુએ કરી હતી ટીપ્પણી

અધ્યક્ષ નાયડુએ ( Vainkeya Naidu ) સંસદીય કાર્યવાહીમાં અગાઉ અન્ય પ્રસંગે પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. સંસદના બંને ગૃહોમાં હંગામો (Parliament Disruptions) અને પેગાસસ જાસૂસી એપિસોડ પર વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત, કેટલાક પ્રસંગોએ ગૃહમાં અભદ્ર વર્તન પણ જોવા મળ્યું છે. 26 જુલાઈએ પણ ચેરમેન વેંકૈયા નાયડુનું દર્દ છલકાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે દરેક પસાર થતા દિવસ સાથે આપણે લાચાર બની રહ્યાં છીએ.

દેશને નુકસાન અને સદનના હિતને પણ નુકસાન

બીજા દિવસે એટલે કે 27 મી જુલાઇએ પણ સદનની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના વિપક્ષના વલણ અંગે આત્મમંથન કરવા માટે હંગામો મચાવતા ( Vainkeya Naidu ) સભ્યોને અપીલ કરતા નાયડુએ કહ્યું હતું કે, શૂન્ય કલાક, વિશેષ ઉલ્લેખ વગેરે દ્વારા મુદ્દા ઉઠાવવાની તક મળે છે. સાથે પ્રશ્નકાળ અંતર્ગત, તેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓને લગતા પ્રશ્નો પૂછી શકે છે. તેમણે કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં ખલેલ ( Rajya Sabha Disruptions ) પાડવાથી માત્ર દેશના હિતને જ નુકસાન નથી થતું, પરંતુ સભ્યો અને સંસદના હિતોને પણ અસર થાય છે.

આ પણ વાંચોઃ વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

આ પણ વાંચોઃ સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના 133 કરોડ રૂપિયા વેડફાયા

  • રાજ્યસભામાં હંગામાને લઇ અધ્યક્ષે દર્શાવી નારાજગી
  • અધ્યક્ષ વૈંકેયા નાયડુએ વિપક્ષની હરકતો પર કરી કડક ટીપ્પણી
  • 'કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં.'

નવી દિલ્હીઃ રાજ્યસભામાં હંગામો ( Rajya Sabha Disruptions ) ફરી એકવખત અધ્યક્ષ વેંકૈયા નાયડુની ( Vainkeya Naidu ) નારાજગીનું કારણ બન્યો હતો. પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ્સ સાથે અવાજ ઉઠાવતાં સાંસદોના વલણ પર અધ્યક્ષ નાયડુએ આજે ​​કડક સ્વરમાં કહ્યું કે કોઈ પણ સાંસદ અધ્ચક્ષને સંચાલનની કાર્યવાહીને લઇને નિર્દેશિત કરી શકે નહીં. જણાવી દઈએ કે 19 જુલાઈથી શરૂ થયેલા ચોમાસુ સત્રના પહેલા દિવસથી રાજ્યસભામાં હંગામો ચાલી રહ્યો છે. જેના કારણે ગૃહની કાર્યવાહી સતત ખોરવાઈ રહી છે.

આ પહેલાં નાયડુએ કરી હતી ટીપ્પણી

અધ્યક્ષ નાયડુએ ( Vainkeya Naidu ) સંસદીય કાર્યવાહીમાં અગાઉ અન્ય પ્રસંગે પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. સંસદના બંને ગૃહોમાં હંગામો (Parliament Disruptions) અને પેગાસસ જાસૂસી એપિસોડ પર વિપક્ષી સાંસદો દ્વારા સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત, કેટલાક પ્રસંગોએ ગૃહમાં અભદ્ર વર્તન પણ જોવા મળ્યું છે. 26 જુલાઈએ પણ ચેરમેન વેંકૈયા નાયડુનું દર્દ છલકાઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે દરેક પસાર થતા દિવસ સાથે આપણે લાચાર બની રહ્યાં છીએ.

દેશને નુકસાન અને સદનના હિતને પણ નુકસાન

બીજા દિવસે એટલે કે 27 મી જુલાઇએ પણ સદનની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના વિપક્ષના વલણ અંગે આત્મમંથન કરવા માટે હંગામો મચાવતા ( Vainkeya Naidu ) સભ્યોને અપીલ કરતા નાયડુએ કહ્યું હતું કે, શૂન્ય કલાક, વિશેષ ઉલ્લેખ વગેરે દ્વારા મુદ્દા ઉઠાવવાની તક મળે છે. સાથે પ્રશ્નકાળ અંતર્ગત, તેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓને લગતા પ્રશ્નો પૂછી શકે છે. તેમણે કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં ખલેલ ( Rajya Sabha Disruptions ) પાડવાથી માત્ર દેશના હિતને જ નુકસાન નથી થતું, પરંતુ સભ્યો અને સંસદના હિતોને પણ અસર થાય છે.

આ પણ વાંચોઃ વિરોધ પક્ષની માનસિકતા મહિલા અને દલિત વિરોધી : વડાપ્રધાન મોદી

આ પણ વાંચોઃ સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના 133 કરોડ રૂપિયા વેડફાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.