- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે જશે
- રાષ્ટ્રપતિ બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી આપશે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1 એપ્રિલે હરિદ્વાર જશે
દહેરાદૂન (ઉત્તરાખંડ): 2 એપ્રિલેના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરાખંડના 2 દિવસીય પ્રવાસે જશે. 2 એપ્રિલે રાષ્ટ્રપતિ ઋષિકેશના પરમાર્થ નિકેતન, હરિદ્વારમાં શાંતિકુંજ અને બાબા રામદેવના પતંજલિના કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં મંદિરોની બહાર બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો લાગ્યા
પોલીસ વહીવટીતંત્ર ખડે પગે
રાષ્ટ્રપતિની મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વહીવટીતંત્ર અને સુરક્ષાકર્મીએ ખડે પગે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1 એપ્રિલથી શરૂ થનારા કુંભ દરમિયાન ઉત્તરાખંડમાં બે દિવસીય પ્રવાસ પર જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ 1 એપ્રિલે હરિદ્વાર જશે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા શામેલ, કાશી વિશ્વનાથના દર્શન કરશે