ETV Bharat / bharat

સોપોર હુમલામાં આગળ તપાસ ન કરવા માટે 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા

author img

By

Published : Mar 30, 2021, 7:59 AM IST

Updated : Mar 30, 2021, 1:03 PM IST

સોપેરમાં 29 માર્ચે લગભગ 13:10 કલાકે સોપોર પોલીસને SDH સોપોર નજીક આતંકવાદ ગુનાની ઘટનાની માહિતી મળી હતી. જ્યાં આતંકવાદીઓએ મ્યુનિસિપલ કાઉન્સિલરો પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ પોલીસ અને CPF અધિકારીઓ તેમની ટીમો સાથે તાત્કાલિક આતંકિત ગુનાના સ્થળે પહોંચ્યા હતા.

આતંકવાદી સંગઠન
આતંકવાદી સંગઠન
  • સોપોરમાં સોમવારે મોટો આતંકી હુમલો થયો
  • સોપોરમાં સોપરે BDC અધ્યક્ષ ફરીદા ખાન પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો
  • હુમલામાં PSO સહિત બે લોકોનાં મોત નિપજ્યાં

જમ્મુ-કાશ્મીર : સોપોરમાં સોમવારે મોટો આતંકી હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, સોપોરમાં સોપરે BDC અધ્યક્ષ ફરીદા ખાન પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં PSO સહિત બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ હુમલામાં ફરીદા ખાન ગંભીર રીતે ઘાયલ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફરીદા ખાનને આ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, આ હુમલા પછી આ વિસ્તારમાં ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ(TRF)એ લીધી

હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ(TRF)એ લીધી છે. TRF એક વર્ષ જૂની સંસ્થા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, આ હુમલામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ શામેલ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓના વિસ્તારમાં છુપાય તેવી સંભાવના છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ સેના પર કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન ઘાયલ

IG વિજય કુમારે સોપોર પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી

સોપોરમાં આ આતંકી હુમલા બાદ 4 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આતંકવાદી હુમલા દરમિયાન કોઈ કાર્યવાહી ન કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોપોરમાં આતંકીઓએ હુમલો કર્યો ત્યારે આ 4 પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ તે સમયે તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હુમલો થયા બાદ કાશ્મીર ઝોનના IG વિજય કુમારે સોપોર પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એક અન્ય આતંકી હુમલો થયો

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એક અન્ય આતંકી હુમલો થયો હતો. જેમાં આતંકીઓએ ઉત્તર કાશ્મીરના સોપોર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસ ચોકી પર થયેલા આ આતંકી હુમલામાં બે પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ ચોકી પર આ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો હતો.

  • સોપોરમાં સોમવારે મોટો આતંકી હુમલો થયો
  • સોપોરમાં સોપરે BDC અધ્યક્ષ ફરીદા ખાન પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો
  • હુમલામાં PSO સહિત બે લોકોનાં મોત નિપજ્યાં

જમ્મુ-કાશ્મીર : સોપોરમાં સોમવારે મોટો આતંકી હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, સોપોરમાં સોપરે BDC અધ્યક્ષ ફરીદા ખાન પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં PSO સહિત બે લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ હુમલામાં ફરીદા ખાન ગંભીર રીતે ઘાયલ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફરીદા ખાનને આ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, આ હુમલા પછી આ વિસ્તારમાં ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ(TRF)એ લીધી

હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ(TRF)એ લીધી છે. TRF એક વર્ષ જૂની સંસ્થા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, આ હુમલામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ શામેલ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓના વિસ્તારમાં છુપાય તેવી સંભાવના છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ સેના પર કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન ઘાયલ

IG વિજય કુમારે સોપોર પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી

સોપોરમાં આ આતંકી હુમલા બાદ 4 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આતંકવાદી હુમલા દરમિયાન કોઈ કાર્યવાહી ન કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોપોરમાં આતંકીઓએ હુમલો કર્યો ત્યારે આ 4 પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ તે સમયે તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હુમલો થયા બાદ કાશ્મીર ઝોનના IG વિજય કુમારે સોપોર પહોંચ્યા હતા અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એક અન્ય આતંકી હુમલો થયો

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં એક અન્ય આતંકી હુમલો થયો હતો. જેમાં આતંકીઓએ ઉત્તર કાશ્મીરના સોપોર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પોલીસ ચોકી પર થયેલા આ આતંકી હુમલામાં બે પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ ચોકી પર આ આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો હતો.

Last Updated : Mar 30, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.