ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી અને નેપાળના PMએ ભારત-નેપાળ ટ્રેન સેવાઓનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ (Nepal PM Sher Bahadur Deuba) સંયુક્ત રીતે જયનગર (ભારત) અને કુર્થા (નેપાળ) વચ્ચે ક્રોસ બોર્ડર પેસેન્જર ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન (India Nepal Maitree Train) કર્યું, આ સાથે નેપાળમાં RuPay કાર્ડ પેમેન્ટ સિસ્ટમ અને અનેક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Apr 2, 2022, 4:13 PM IST

વડાપ્રધાન મોદી અને નેપાળના PMએ ભારત-નેપાળ ટ્રેન સેવાઓનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદી અને નેપાળના PMએ ભારત-નેપાળ ટ્રેન સેવાઓનું કર્યું ઉદ્ઘાટન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાએ (PM MODI AND NEPAL DEUBA) આજે ​​નેપાળમાં (Nepal PM Sher Bahadur Deuba) સંયુક્ત રીતે ક્રોસ-બોર્ડર પેસેન્જર ટ્રેન સેવાઓ, રુપે પેમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું અને અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ શનિવારે ભારતના જયનગર અને નેપાળમાં કુર્થા વચ્ચેની ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં (jointly inaugurate cross-border passenger train services) આવ્યું હતું. પેસેન્જર ટ્રેન સેવાઓ ભારતના અનુદાન હેઠળ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક: તેમણે સોલુ કોરિડોર 132 kV પાવર ટ્રાન્સમિશન લાઇન અને નેપાળમાં ભારત સરકારની ક્રેડિટ લાઇન હેઠળ બનેલા સબ-સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત નેપાળ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયું. બંને નેતાઓએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "અમારી બહુપક્ષીય ભાગીદારી પર વ્યાપક સંવાદ એજન્ડામાં છે." હૈદરાબાદ હાઉસ પહોંચતા પહેલા દેઉબાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

ભાજપ કાર્યાલયમાં નેપાળના વડાપ્રધાનનું સ્વાગત: શુક્રવારે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર દિલ્હીમાં દેઉબાને મળ્યા હતા. તેમણે કહ્યું કે, "મને ખાતરી છે કે, આ મુલાકાત અમારા નજીકના પડોશી સંબંધોને વધુ મજબૂત બનાવશે." આ પહેલા દેઉબાએ બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને પાર્ટી ચીફ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. દેઉબા તેમની પત્ની અને નેપાળના ચાર કેબિનેટ પ્રધાનો નડ્ડાને મળેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. નડ્ડાએ ભાજપ કાર્યાલયમાં નેપાળના વડાપ્રધાન દેઉબાનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: Football World Cup 2022 : ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ડ્રો, અમેરિકા ટકરાશે ઈરાન સાથે

સામાજિક કાર્યો વિશે માહિતી: ભાજપના વિદેશી બાબતોના સેલના વડા વિજય ચૌથાઈવાલેએ કહ્યું હતું કે, નેપાળના વડાપ્રધાન દેઉબા, તેમની પત્ની અને ચાર કેબિનેટ પ્રધાનોએ પાર્ટીના વડા નડ્ડાના આમંત્રણ પર ભાજપના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ચૌથાઈવાલેએ કહ્યું, 'આ ચર્ચાઓ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને ભાજપના વડાએ નેપાળના વડાપ્રધાનને કોરોના દરમિયાન પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી.'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાએ (PM MODI AND NEPAL DEUBA) આજે ​​નેપાળમાં (Nepal PM Sher Bahadur Deuba) સંયુક્ત રીતે ક્રોસ-બોર્ડર પેસેન્જર ટ્રેન સેવાઓ, રુપે પેમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું અને અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ શનિવારે ભારતના જયનગર અને નેપાળમાં કુર્થા વચ્ચેની ટ્રેન સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં (jointly inaugurate cross-border passenger train services) આવ્યું હતું. પેસેન્જર ટ્રેન સેવાઓ ભારતના અનુદાન હેઠળ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: Kejriwal-Mann Gujarat visit: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક: તેમણે સોલુ કોરિડોર 132 kV પાવર ટ્રાન્સમિશન લાઇન અને નેપાળમાં ભારત સરકારની ક્રેડિટ લાઇન હેઠળ બનેલા સબ-સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત નેપાળ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાં જોડાયું. બંને નેતાઓએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "અમારી બહુપક્ષીય ભાગીદારી પર વ્યાપક સંવાદ એજન્ડામાં છે." હૈદરાબાદ હાઉસ પહોંચતા પહેલા દેઉબાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

ભાજપ કાર્યાલયમાં નેપાળના વડાપ્રધાનનું સ્વાગત: શુક્રવારે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર દિલ્હીમાં દેઉબાને મળ્યા હતા. તેમણે કહ્યું કે, "મને ખાતરી છે કે, આ મુલાકાત અમારા નજીકના પડોશી સંબંધોને વધુ મજબૂત બનાવશે." આ પહેલા દેઉબાએ બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને પાર્ટી ચીફ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. દેઉબા તેમની પત્ની અને નેપાળના ચાર કેબિનેટ પ્રધાનો નડ્ડાને મળેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. નડ્ડાએ ભાજપ કાર્યાલયમાં નેપાળના વડાપ્રધાન દેઉબાનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: Football World Cup 2022 : ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ડ્રો, અમેરિકા ટકરાશે ઈરાન સાથે

સામાજિક કાર્યો વિશે માહિતી: ભાજપના વિદેશી બાબતોના સેલના વડા વિજય ચૌથાઈવાલેએ કહ્યું હતું કે, નેપાળના વડાપ્રધાન દેઉબા, તેમની પત્ની અને ચાર કેબિનેટ પ્રધાનોએ પાર્ટીના વડા નડ્ડાના આમંત્રણ પર ભાજપના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. ચૌથાઈવાલેએ કહ્યું, 'આ ચર્ચાઓ ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને ભાજપના વડાએ નેપાળના વડાપ્રધાનને કોરોના દરમિયાન પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.