ETV Bharat / bharat

KCRએ કહ્યું, લોકોએ 2024માં ભાજપ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ

author img

By

Published : Aug 30, 2022, 12:09 PM IST

તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે કેન્દ્રની ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. સરકાર પર કટાક્ષ કરતા KCRએ કહ્યું કે, લોકોએ 2024માં ભાજપ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. આ ઉપરાંત, અમિત શાહના ચપ્પલ ઉઠાવનાર ભાજપ પ્રદેશ પ્રમુખને પણ આડેહાથ લીધા હતા. make BJP free India, KCR Attack BJP Government, BJP free India in 2024

લોકોએ 2024માં ભાજપ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ
લોકોએ 2024માં ભાજપ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ

હૈદરાબાદ: રાજધાનીથી 165 કિમી દૂર પેડાપલ્લી ખાતે જાહેર સભાને સંબોધતા કે.સી આરએ સોમવારે કેન્દ્રની NDA સરકાર પર કટાક્ષ કર્યો (Make BJP free India) હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકોએ 2024માં ભારતીય જનતા પાર્ટી મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ સાથે તેમણે દાવો કર્યો કે, ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોની સરકાર આવશે. KCR Attack BJP Government

આ પણ વાંચો : KCR protest in Delhi : મોદીને તેલંગાણાના મુખ્યપ્રધાનનું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યુ કે..

કેન્દ્ર સરકારનું સફેદ જૂઠ : ચંદ્રશેખર રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોલમાલ પીએમ ગણાવ્યા હતા. KCRએ વધુમાં કહ્યું કે, તેઓ (વડાપ્રધાન) અને કેન્દ્ર જે પણ કહે છે તે સફેદ જૂઠ છે. આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ અને 2024 માં ભાજપ મુક્ત ભારત બનાવવા માટે તૈયાર રહેવું જોઈએ. આ સૂત્ર સાથે આપણે આગળ વધવું જોઈએ. તો જ આપણે દેશને બચાવી શકીશું, નહીંતર દેશને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી. BJP free India in 2024

સ્વાભિમાનને ગીરવે મુક્યું : બીજી તરફ, ભાજપના તેલંગાણા એકમના પ્રમુખ બી સંજય કુમાર પર પ્રહાર કરતા રાવે કહ્યું કે, કેટલાક સંન્યાસી છે જેઓ તેલંગાણાના સ્વાભિમાનને ગીરવે મુકીને ચપ્પલ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. KCR તાજેતરમાં સામે આવેલા એક વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં રાજ્ય ભાજપના પ્રમુખ કથિત રીતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ચપ્પલ લઈ જતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો : CM ચંદ્રશેખર રાવે કહ્યું, કલ્યાણકારી યોજનાઓને મફત ગિફ્ટ કહેવી એ લોકોનું અપમાન છે

શાહના ચપ્પલ ઉઠાવ્યા : મુખ્યપ્રધાન KCRએ પૂછ્યું કે, શું આપણે દિલ્હીથી આવેલા ચોરોના ગુલામ બની જઈએ. મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત મોડલ (Gujarat model) બતાવીને વડાપ્રધાન બન્યા છે, પરંતુ વાસ્તવમાં આ પશ્ચિમી રાજ્યોમાં જ્યા દારૂબંધી છે, ત્યાં નકલી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે.

હૈદરાબાદ: રાજધાનીથી 165 કિમી દૂર પેડાપલ્લી ખાતે જાહેર સભાને સંબોધતા કે.સી આરએ સોમવારે કેન્દ્રની NDA સરકાર પર કટાક્ષ કર્યો (Make BJP free India) હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકોએ 2024માં ભારતીય જનતા પાર્ટી મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ સાથે તેમણે દાવો કર્યો કે, ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોની સરકાર આવશે. KCR Attack BJP Government

આ પણ વાંચો : KCR protest in Delhi : મોદીને તેલંગાણાના મુખ્યપ્રધાનનું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યુ કે..

કેન્દ્ર સરકારનું સફેદ જૂઠ : ચંદ્રશેખર રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોલમાલ પીએમ ગણાવ્યા હતા. KCRએ વધુમાં કહ્યું કે, તેઓ (વડાપ્રધાન) અને કેન્દ્ર જે પણ કહે છે તે સફેદ જૂઠ છે. આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ અને 2024 માં ભાજપ મુક્ત ભારત બનાવવા માટે તૈયાર રહેવું જોઈએ. આ સૂત્ર સાથે આપણે આગળ વધવું જોઈએ. તો જ આપણે દેશને બચાવી શકીશું, નહીંતર દેશને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી. BJP free India in 2024

સ્વાભિમાનને ગીરવે મુક્યું : બીજી તરફ, ભાજપના તેલંગાણા એકમના પ્રમુખ બી સંજય કુમાર પર પ્રહાર કરતા રાવે કહ્યું કે, કેટલાક સંન્યાસી છે જેઓ તેલંગાણાના સ્વાભિમાનને ગીરવે મુકીને ચપ્પલ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. KCR તાજેતરમાં સામે આવેલા એક વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં રાજ્ય ભાજપના પ્રમુખ કથિત રીતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ચપ્પલ લઈ જતા જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચો : CM ચંદ્રશેખર રાવે કહ્યું, કલ્યાણકારી યોજનાઓને મફત ગિફ્ટ કહેવી એ લોકોનું અપમાન છે

શાહના ચપ્પલ ઉઠાવ્યા : મુખ્યપ્રધાન KCRએ પૂછ્યું કે, શું આપણે દિલ્હીથી આવેલા ચોરોના ગુલામ બની જઈએ. મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત મોડલ (Gujarat model) બતાવીને વડાપ્રધાન બન્યા છે, પરંતુ વાસ્તવમાં આ પશ્ચિમી રાજ્યોમાં જ્યા દારૂબંધી છે, ત્યાં નકલી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.