- ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)એ કોરોના અંગે કર્યું એક સંશોધન
- યુનિવર્સિટીએ કોરોનાની સંભવિત સારવારમાં પરજીવી દવા ઈવરમેક્ટિન (The drug ivermectin)નો ઉપયોગ કરવા પર પરિક્ષણ કર્યું
- દવા ઝડપથી વાઈરલ લોડ અને સામાન્ય કોવિડ-19ના દર્દીઓમાં લક્ષણોમાં ઘટાડો થશેઃ યુનિવર્સિટી
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની સંભવિત સારવારમાં પરજીવી દવા ઈવરમેક્ટિન (The drug ivermectin)નો ઉપયોગ કરવા પર પરિક્ષણ કર્યું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)એ કહ્યું હતું કે, સંશોધનોમાં જાણવા મળ્યું કે, ઈવરમેક્ટિન (Ivermectin)થી વાઈરસ પ્રતિકૃતિમાં ઘટાડો થયો છે. યુનિવર્સિટીએ કહ્યું હતું કે, દવા ઝડપથી વાઈરલ લોડ અને સામાન્ય કોવિડ-19ના દર્દીઓમાં લક્ષણોમાં ઘટાડો થશે.
આ પણ વાંચો- કોરોનાને લઈને એક નવા રીસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
બ્રિટિશ સંશોધનમાં જાણવા મળ્યું કે, એન્ટિબાયોટિક્સ એઝિથ્રોમાઈસિન અને ડોક્સીસાઈક્લિન સામાન્ય રીતે પ્રારંભિક તબક્કાના કોરોના સામે બિનઅસરકારક હતા. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O) અને યુરોપીય અને અમેરિકી નિયામકોએ કોરોનાના દર્દીઓમાં આ ઈવરમેક્ટિનના ઉપયોગ સામે ભલામણ કરી છે. તેના ઉપયોગ ભારત સહિત કેટલાક દેશોમાં બીમારીની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- કોરોનાના દર્દીઓમાં જોવા મળતું મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જીવલેણ હોઈ શકે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું પરામર્શ
આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા હતા નિર્દેશ
ભારત સરકારે ગયા અઠવાડિયે જાહેર કરેલા દિશા-નિર્દેશમાં કહ્યું હતું કે, પુખ્ત વયના કોરોનાના દર્દીઓની સારવારમાં કામ કરનારી વધુ દવા જેવી કે, આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લોરોક્વિન, ફેવિપિરાવિર જેવા ઔષધીઓ અને ડોક્સીસાઈક્લિન તથા એઝિથ્રોમાઈસિન જેવી એન્ટિબાયોટિક દવાઓનો કોરોનાથી પીડાતા બાળકો પર પરિક્ષણ નથી કરવામાં આવ્યું. આ માટે તે બાળકોની સારવાર માટે ભલામણ નથી.
ઈવરમેક્ટિન શું છે?
ખાદ્ય અને ઔષધ વ્યવસ્થા તંત્ર (FDC) દ્વારા ઈવરમેક્ટિન એક મંજૂર એન્ટિપેરોસિટિક દવા (Antipyretic drug) છે. તેનો ઉપયોગ ઘણા રોગની સારવાર માટે કરવામાં આવે છે, જેમાં ઓંકોસેરસિયાસિસ, હેલ્મિન્થિયસિસ અને ખંજવાળ સામેલ છે. આ ઉપરાંત મચ્છરો કરડવાથી થનારા મેલેરિયાને રોકવામાં પણ મદદ મળી છે.