ETV Bharat / bharat

ત્રિચીમાં ઇન્કમટેક્સ વિભાગે AIADMK ઉમેદવારના એક કરોડ રૂપિયા કર્યા કબ્જે

તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AIADMKના ઉમેદવારના કર્મચારીઓના ઘરેથી એક કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગને ચંદ્રશેખર દ્વારા મતદારોને પૈસા આપવા માટે અયોગ્ય રકમ જમા કરાવવા જણાવ્યું હતું. જણાવી દઈએ કે, 6 એપ્રિલે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

author img

By

Published : Mar 29, 2021, 7:56 PM IST

ઇન્કમટેક્સ વિભાગની ટીમે ચંદ્રશેખરના એક કરોડ રૂપિયા કબ્જે કર્યા
ઇન્કમટેક્સ વિભાગની ટીમે ચંદ્રશેખરના એક કરોડ રૂપિયા કબ્જે કર્યા
  • ઇન્કમટેક્સ વિભાગની ટીમે ચંદ્રશેખરના એક કરોડ રૂપિયા કબ્જે કર્યા
  • બાતમીને આધારે દરોડો પાડ્યો
  • ઘરે બિનહિસાબી પૈસા જમા કરાવવાનો આરોપ

ચેન્નઈ: તામિલનાડુના ત્રિચી જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે AIADMKના ઉમેદવાર ચંદ્રશેખરના કામદારોના ઘરોમાંથી આશરે એક કરોડ રૂપિયા કબ્જે કર્યા છે. ચંદ્રશેખર ત્રિચી જિલ્લાના મનપરાઈ મત વિસ્તારના AIADMK ઉમેદવાર છે. તેમના પર ચૂંટણી માટે ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ

બે કર્મચારીઓના ઘરે દરોડો પાડ્યો

ગેરકાયદેસર પૈસા રાખવાની બાતમીને આધારે આવકવેરા વિભાગે ચંદ્રશેખરના જેસીબી ડ્રાઇવર અને અન્ય બે કર્મચારીઓના ઘરે દરોડો પાડ્યો હતો. છ કલાક સુધી ચાલેલા દરોડા દરમિયાન આવકવેરા વિભાગે એક કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે AIADMKના પૂર્વ સાંસદ શશિકલા પુષ્પના અપમાનજનક ફોટાને દૂર કરવા નિર્દેશ આપ્યો

ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવાનો આરોપ

AIADMKના ઉમેદવાર ચંદ્રશેખર પર મતદારોને પૈસા આપવા માટે તેમના કર્મચારીઓના ઘરે બિનહિસાબી પૈસા જમા કરાવવાનો આરોપ છે.

  • ઇન્કમટેક્સ વિભાગની ટીમે ચંદ્રશેખરના એક કરોડ રૂપિયા કબ્જે કર્યા
  • બાતમીને આધારે દરોડો પાડ્યો
  • ઘરે બિનહિસાબી પૈસા જમા કરાવવાનો આરોપ

ચેન્નઈ: તામિલનાડુના ત્રિચી જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગની ટીમે AIADMKના ઉમેદવાર ચંદ્રશેખરના કામદારોના ઘરોમાંથી આશરે એક કરોડ રૂપિયા કબ્જે કર્યા છે. ચંદ્રશેખર ત્રિચી જિલ્લાના મનપરાઈ મત વિસ્તારના AIADMK ઉમેદવાર છે. તેમના પર ચૂંટણી માટે ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ

બે કર્મચારીઓના ઘરે દરોડો પાડ્યો

ગેરકાયદેસર પૈસા રાખવાની બાતમીને આધારે આવકવેરા વિભાગે ચંદ્રશેખરના જેસીબી ડ્રાઇવર અને અન્ય બે કર્મચારીઓના ઘરે દરોડો પાડ્યો હતો. છ કલાક સુધી ચાલેલા દરોડા દરમિયાન આવકવેરા વિભાગે એક કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે AIADMKના પૂર્વ સાંસદ શશિકલા પુષ્પના અપમાનજનક ફોટાને દૂર કરવા નિર્દેશ આપ્યો

ગેરકાયદેસર રીતે પૈસા જમા કરવાનો આરોપ

AIADMKના ઉમેદવાર ચંદ્રશેખર પર મતદારોને પૈસા આપવા માટે તેમના કર્મચારીઓના ઘરે બિનહિસાબી પૈસા જમા કરાવવાનો આરોપ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.