ETV Bharat / bharat

NCP પ્રમુખ શરદ પવારની દૌસા ખાતે શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી - મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ શરદ પવાર

NCPના પ્રમુખ અને મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ શરદ પવાર એક દિવસીય દૌસાની મુલાકાતે હતા. આ દરમિયાન, તેઓ એક ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. આ પ્રવાસમાં રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

NCP પ્રમુખ શરદ પવારની દૌસા ખાતે શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી
NCP પ્રમુખ શરદ પવારની દૌસા ખાતે શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી
author img

By

Published : Mar 27, 2021, 2:16 PM IST

  • રાજ્યસભાના સાંસદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે
  • ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી
  • રાજકીય ઉથલપાથલ વચ્ચે મીડિયા સામે મૌન રાખ્યું

દૌસા (મહારાષ્ટ્ર): NCP પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન, તેઓએ ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. દૌસામાં લગભગ 2 કલાક સુધી, શાળાની મુલાકાત લીધી અને શાળાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે શરદ પવારે કહ્યું કે, આ શાળા એક ઉત્તમ શાળા છે, મેં દેશ-વિદેશમાં ઘણી ખાનગી શાળાઓ જોઈ છે, શાળાઓની મુલાકાત લીધી છે પરંતુ, આ શ્રેષ્ઠ શાળા છે, આવી સ્થિતિમાં તે દૌસા માટે ખૂબ સારું સાબિત થશે.

આ પણ વાંચો: મારી સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરોઃ અનિલ દેશમુખ

શરદ પવારનું મીડિયા સામે મૌન

NCPના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મીડિયા સામે મૌન રાખ્યું હતું. જ્યારે, મીડિયા કર્મચારીઓએ તેમને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બાળકોનાં મોત વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે, શરદ પવારે કહ્યું કે તે મામલો કોર્ટમાં જઈ ચુક્યો છે. તેના પર કંઈપણ કહેવું યોગ્ય નથી.

આ પણ વાંચો: પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

  • રાજ્યસભાના સાંસદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે
  • ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી
  • રાજકીય ઉથલપાથલ વચ્ચે મીડિયા સામે મૌન રાખ્યું

દૌસા (મહારાષ્ટ્ર): NCP પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર શુક્રવારે એક દિવસના દૌસાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન, તેઓએ ખાનગી શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. દૌસામાં લગભગ 2 કલાક સુધી, શાળાની મુલાકાત લીધી અને શાળાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે શરદ પવારે કહ્યું કે, આ શાળા એક ઉત્તમ શાળા છે, મેં દેશ-વિદેશમાં ઘણી ખાનગી શાળાઓ જોઈ છે, શાળાઓની મુલાકાત લીધી છે પરંતુ, આ શ્રેષ્ઠ શાળા છે, આવી સ્થિતિમાં તે દૌસા માટે ખૂબ સારું સાબિત થશે.

આ પણ વાંચો: મારી સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરોઃ અનિલ દેશમુખ

શરદ પવારનું મીડિયા સામે મૌન

NCPના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મીડિયા સામે મૌન રાખ્યું હતું. જ્યારે, મીડિયા કર્મચારીઓએ તેમને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બાળકોનાં મોત વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે, શરદ પવારે કહ્યું કે તે મામલો કોર્ટમાં જઈ ચુક્યો છે. તેના પર કંઈપણ કહેવું યોગ્ય નથી.

આ પણ વાંચો: પવારે ફરી દેશમુખનો કર્યો બચાવ, કહ્યું આરોપોમાં દમ નથી રાજીનામાંનો સવાલ નથી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.