ETV Bharat / bharat

Uttar Pradesh Crime: માતાએ 3 બાળકોને કૂવામાં ફેંકી ઘરને આગ લગાવી, ફોન પર પતિ સાથે ઝઘડો પગલું ભર્યુ

ગુસ્સામાં માણસ કંઇ પણ કરી શકે છે. તેમને તે અહેસાસ ગુસ્સો શાંત થતાની સાથે ખબર પડે છે. તે શું કામનું? જબ ચિડીયા ચૂક ગઇ ખેત. જયાં સુધી ગુસ્સો ઓછા થાય ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બની છે. જેમાં મહિલાનો તેના પતિ સાથે ફોન પર ઝઘડો થયો હતો, ત્યારબાદ ગુસ્સામાં તેણે પહેલા તેના ત્રણ માસૂમ બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા, પછી ઘરને આગ ચાંપી દીધી હતી.

author img

By

Published : Jun 3, 2023, 1:55 PM IST

માતાએ ત્રણ બાળકોને કૂવામાં ફેંકી ઘરને આગ લગાવી, ફોન પર પતિ સાથે ઝઘડો થતાં ભર્યું આ પગલું
માતાએ ત્રણ બાળકોને કૂવામાં ફેંકી ઘરને આગ લગાવી, ફોન પર પતિ સાથે ઝઘડો થતાં ભર્યું આ પગલું

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના સંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પજરા ગામની એક મહિલાએ પહેલા ગુસ્સામાં પોતાના ત્રણ માસૂમ બાળકોને કૂવામાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેણે આત્મહત્યા કરવા માટે ઘરને આગ લગાવી દીધી હતી. ત્રણેય બાળકોના કુવામાં ફેંકી દેવાતા મોત નિપજ્યા હતા. આગની જ્વાળાઓ વધતી જોઈને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહિલાને બચાવી હતી.

મૃતદેહ બહાર કાઢ્યા: આ ઘટના શુક્રવારે રાત્રે શરૂ થઈ હતી. મહિલાનો પતિ મુંબઈમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે પતિ-પત્ની ફોન પર વાત કરી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ મહિલાએ તેના બે પુત્રો અને એક પુત્રીને કૂવામાં ફેંકી દીધા હતા. ઘરને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતાં ગ્રામજનોએ મહિલાને બચાવી અને પહેલા કુવામાં ફેંકી દેવાયેલા ત્રણ માસૂમ બાળકોમાંથી બેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ ત્રીજા બાળકનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

બાળકો ડૂબી ગયા: પોલીસના જણાવ્યા અનુસાર, પાજરા ગામના રહેવાસી અમરજીત કોલના ત્રણ બાળકો, 08 વર્ષનો આકાશ, 02 વર્ષનો કૃતિ અને 01 વર્ષનો અનુ કુવામાં પડી ગયા હતા, ઘટનાસ્થળે પહોંચીને તરત જ કૃતિ અને અનુના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બહાર કાઢવામાં આવ્યા હતા. કલાકોની શોધખોળ બાદ આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરજીતની પત્ની ચંદા તેના ત્રણ બાળકો સાથે ઘરમાં રહેતી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર રાત્રિભોજન કર્યા બાદ બધા સૂઈ ગયા હતા. આ દરમિયાન મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી અને બૂમો પાડવા લાગી. જ્યારે ગ્રામજનોએ બાળકો વિશે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, તેઓ કૂવામાં છે.ગામલોકોએ આગ બુઝાવી અને પછી કૂવામાં જોયું તો બાળકો ડૂબી ગયા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી: એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઑપરેશન ઓપી સિંહે જણાવ્યું હતું કે, ત્રણ બાળકોના પડી જવાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કૌટુંબિક અણબનાવના કારણે મહિલાએ બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે.

  1. Bihar News : જયમાલાની વિધિ દરમિયાન ઘરની બાલ્કની તૂટી પડી, મહિલાઓ અને બાળકો છત પરથી નીચે પડ્યા
  2. Hyderabad News: બાળકી પાર્કિંગમાં સૂતી હતી, અચાનક કાર આવી અને પછી...

મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના સંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પજરા ગામની એક મહિલાએ પહેલા ગુસ્સામાં પોતાના ત્રણ માસૂમ બાળકોને કૂવામાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેણે આત્મહત્યા કરવા માટે ઘરને આગ લગાવી દીધી હતી. ત્રણેય બાળકોના કુવામાં ફેંકી દેવાતા મોત નિપજ્યા હતા. આગની જ્વાળાઓ વધતી જોઈને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહિલાને બચાવી હતી.

મૃતદેહ બહાર કાઢ્યા: આ ઘટના શુક્રવારે રાત્રે શરૂ થઈ હતી. મહિલાનો પતિ મુંબઈમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે પતિ-પત્ની ફોન પર વાત કરી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ મહિલાએ તેના બે પુત્રો અને એક પુત્રીને કૂવામાં ફેંકી દીધા હતા. ઘરને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતાં ગ્રામજનોએ મહિલાને બચાવી અને પહેલા કુવામાં ફેંકી દેવાયેલા ત્રણ માસૂમ બાળકોમાંથી બેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ ત્રીજા બાળકનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

બાળકો ડૂબી ગયા: પોલીસના જણાવ્યા અનુસાર, પાજરા ગામના રહેવાસી અમરજીત કોલના ત્રણ બાળકો, 08 વર્ષનો આકાશ, 02 વર્ષનો કૃતિ અને 01 વર્ષનો અનુ કુવામાં પડી ગયા હતા, ઘટનાસ્થળે પહોંચીને તરત જ કૃતિ અને અનુના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બહાર કાઢવામાં આવ્યા હતા. કલાકોની શોધખોળ બાદ આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરજીતની પત્ની ચંદા તેના ત્રણ બાળકો સાથે ઘરમાં રહેતી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર રાત્રિભોજન કર્યા બાદ બધા સૂઈ ગયા હતા. આ દરમિયાન મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી અને બૂમો પાડવા લાગી. જ્યારે ગ્રામજનોએ બાળકો વિશે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, તેઓ કૂવામાં છે.ગામલોકોએ આગ બુઝાવી અને પછી કૂવામાં જોયું તો બાળકો ડૂબી ગયા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી: એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ઑપરેશન ઓપી સિંહે જણાવ્યું હતું કે, ત્રણ બાળકોના પડી જવાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કૌટુંબિક અણબનાવના કારણે મહિલાએ બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસ કરવામાં આવી રહી છે.

  1. Bihar News : જયમાલાની વિધિ દરમિયાન ઘરની બાલ્કની તૂટી પડી, મહિલાઓ અને બાળકો છત પરથી નીચે પડ્યા
  2. Hyderabad News: બાળકી પાર્કિંગમાં સૂતી હતી, અચાનક કાર આવી અને પછી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.