ETV Bharat / bharat

સંરક્ષણ ફાળવણીમાં મધ્યમ વધારો

author img

By

Published : Feb 2, 2021, 8:29 PM IST

2020માં કોવિડ રોગચાળોએ પ્રચંડ માનવ દુ:ખ અને વૈશ્વિક સ્તરે જીવનનું નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં થતા સંકોચથી અભૂતપૂર્વ આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો અને તેથી નીતિ નિર્માતાઓ માટે એક ગંભીર પડકાર ઉભો થયો હતો, જેમની પાસે ગંભીરતાથી પુન:પ્રાપ્તિ માટે નાણાકીય મર્યાદાઓ સાથે ધીમો માર્ગ બનાવવાની યોજના હતી.

બજેટ 2021-22
બજેટ 2021-22

સંરક્ષણ ફાળવણીમાં મધ્યમ વધારો

ન્યૂઝ ડેસ્ક: 2020માં કોવિડ રોગચાળોએ પ્રચંડ માનવ દુ:ખ અને વૈશ્વિક સ્તરે જીવનનું નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં થતા સંકોચથી અભૂતપૂર્વ આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો અને તેથી નીતિ નિર્માતાઓ માટે એક ગંભીર પડકાર ઉભો થયો હતો, જેમની પાસે ગંભીરતાથી પુન:પ્રાપ્તિ માટે નાણાકીય મર્યાદાઓ સાથે ધીમો માર્ગ બનાવવાની યોજના હતી.


આ પૃષ્ઠભૂમિ સાથે સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ થયેલા વાર્ષિક ભારતીય બજેટમાં જાહેર આરોગ્ય અને નાગરિકની સુખાકારીને અવરોધિત કરતા મોટા ભાગનાં ક્ષેત્રોમાં આ ‘પેટે પાટા બાંધવાની' લાક્ષણિકતા પ્રતિબિંબિત થઈ છે.


આગાહી મુજબ, સૌથી વધુ વધારો જાહેર આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ અને સંબંધિત માળખાકીય સુવિધાઓ અને નાણાકીય વર્ષ 2021-22 માટેનો કુલ ખર્ચ રૂપિયા 2,23,846 કરોડની જોગવાઈ સહિત રોગપ્રતિકારક રસી માટે 35,000 કરોડ, જે પાછલા વર્ષ કરતાં 137 ટકા વધ્યા છે અને તેનું સ્વાગત કરવું જોઈએ. તે યોગ્યતા યાદ અપાવે છે કે વિશ્વ હજી સુધી કોવિડ પછીના તબક્કામાં નથી અને ચકાસાયેલ સલામત ક્ષેત્રમાં આ સંક્રમણ રસ્તા પર એક કે બે વર્ષ હોઈ શકે છે.


પ્રાચીન ભારતીય ગ્રંથમાં દર્શાવાયેલ માનવીય સલામતી અથવા ‘યોગક્ષેમ’ પ્રમાણે, ચાણક્ય દ્વારા ‘અર્થશાસ્ત્ર’ એ પણ તેને (માનવ સુરક્ષાને) સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી છે. સાર્વભૌમત્વ સાથે જોડાયેલી રાષ્ટ્રીય સુરક્ષા એટલી જ તીવ્ર જવાબદારી છે કે જે ચૂંટાયેલા રાજકીય નેતૃત્વ પર ઊભી થાય. મોદી સરકાર માટે 2020ના ઉનાળામાં લદ્દાખ ક્ષેત્રમાં અંકુશિત એલએસી (વાસ્તવિક નિયંત્રણની લાઇન) તરફના ચીની અતિક્રમણને જોતાં આ હજી વધુ તાકીદનું બની રહ્યું છે.


આમ આ વર્ષ માટે સંરક્ષણ ફાળવણીની જે આતુરતાથી રાહ જોવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ આશ્ચર્ય મળ્યું નથી. એકંદરે વધારો નજીવો રહ્યો છે અને અગાઉના નાણાકીય વર્ષના સુધારેલા ખર્ચ (આરઇ) થી જે રૂપિયા 4,71,000 કરોડની સંરક્ષણ ફાળવણી હવે વધારીને રૂપિયા 4,78,000 કરાયું છે. જે નાણાકીય વર્ષ 2021-22 માટેનો બજેટ અંદાજ (BE) છે. વર્તમાન વિનિમય દરે આ આશરે 65.48 અબજ અમેરિકી ડૉલર છે.

આ રીતે પાછલા વર્ષના આરઇમાંથી થયેલો વધારો સાધારણ 1.48 ટકા છે અને આ ફાળવણી વર્તમાન નાણાકીય વર્ષ માટે અનુમાનિત જીડીપીના 1.63 ટકા હોવાનો અંદાજ છે. 2011-12માં જીડીપીના ટકાથી સંરક્ષણ ફાળવણી ક્રમશ: ઘટાડાતી આવી છે. જોકે વ્યાવસાયિક ભલામણ એ છે કે વિશ્વસનીય ભારતીય સૈન્યની વ્યવહારિક અને અસરકારક સંભાળ રહેવી જોઈએ. આથી, આ આંકડો 3 ટકા તરફ જવો જોઈએ.ભારતે જે પડકારોના પ્રકારોને ઉકેલવાના હતા તેનાથી સ્પષ્ટ છે કે ચીનનો પડકાર હોવા છતાં સંરક્ષણ ક્ષેત્રે ભૂતકાળની તુલનામાં તેણે વધુ કડક રસ્તો અપનાવવો પડશે.

છૂટાછવાયા આંકડામાં એક સૂચનાત્મક કથા છે. કુલ રૂપિયા 4,78,000 કરોડની ફાળવણીમાં રૂપિયા 1,16, 000 પેન્શન તરીકે અને રૂપિયા 3,62,000 કરોડ રૂપિયા સંરક્ષણ સેવાઓ માટે ફાળવાયા છે. પાછલા વર્ષની તુલનામાં, છેલ્લો આંકડો થોડો વધુ મજબૂત છે, કારણ કે તે રૂપિયા 3,37,000 કરોડથી થી રૂપિયા 3,62,000 કરોડ આખા સંરક્ષણ મંત્રાલય અને તેના વિવિધ વિભાગો માટે ફાળવણીરૂપે થયો છે.

નાણાકીય વર્ષ 2011-22 માટે સંરક્ષણ ફાળવણીનો મૂડી ખર્ચ રૂપિયા 1,35,000 કરોડ છે અને આ બજેટનું મથાળું છે જેના હેઠળ ઉપકરણોનું આધુનિકીકરણ અને નવી ઇન્વેન્ટરી (જેમ કે ટાંકી-જહાજો-વિમાન)ની પ્રાપ્તિ આકાર લે છે થાય છે. પેટા-લખાણ સૂચવે છે કે ગત ગલવાન દુર્ઘટનાવાળા વર્ષમાં, સુધારેલો મૂડી ખર્ચ રૂપિયા 1,34,510 કરોડ છે. આથી આ નાણાકીય વર્ષ માટેના બજેટ મૂડી ફાળવણીમાં પાછલા વર્ષના આરઇમાંથી વાસ્તવિક વધારો સાધારણ રૂપિયા 500 કરોડ છે.

અગાઉના નાણાકીય વર્ષમાં મૂડી ઘટકનો બજેટ અંદાજ રૂપિયા 1,14,000 કરોડ કરાયો હતો અને બીઇથી બીઇ સુધી જોતાં, 21,000 કરોડનો વધારો મહત્વપૂર્ણ 19 ટકાના કૂદકા તરીકે સ્વાગત કરવામાં આવ્યો છે. જોકે વધુ માન્ય તુલના છેલ્લા આરઇથી હાલના બીઇ સુધીની છે - જે એક સાધારણ રૂપિયા 500 કરોડ, અથવા 0.5 ટકાથી ઓછી છે.

ત્રણેય સેવાઓ, ભૂમિ દળ-નૌકાદળ-હવાઈ દળને બોર્ડમાં લાંબા સમયથી બાકી રહેલી ઇન્વેન્ટરી ઘટાડાને વધારવા માટે નાણાના ઉમેરાની તીવ્ર જરૂર છે. આમ, મૂડી ફાળવણી એ દરેક સશસ્ત્ર દળની ઑપરેશનલ વિશ્વસનીયતાની નિર્ણાયક સૂચક છે અને અહીં ચિત્ર અસ્પષ્ટ છે.

અગાઉના નાણાકીય વર્ષમાં સુધારેલ મૂડી ખર્ચ (વાસ્તવિક ખર્ચ થયેલ રકમ) નીચે મુજબ હતી: ભૂમિ દળ - રૂપિયા 33,213 કરોડ; નૌ સેના - રૂપિયા 37,542 કરોડ; અને વાયુ દળ રૂપિયા 55,055 કરોડ છે. વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) માં, બજેટ મૂડી ફાળવણી છે- ભૂમિ દળ - રૂપિયા 36,482 કરોડ; નૌકા દળ - રૂપિયા 33,254 કરોડ; અને વાયુ દળ - રૂપિયા 53,215 કરોડ છે.

ટૂંકમાં, વધુ ઉચ્ચ સંરક્ષણ નેતૃત્વ દ્વારા વર્તમાન બજેટ ફાળવણી અને ઇન્વેન્ટરી આયોજન જે સૂચવે છે તે છે, વર્તમાન સુરક્ષા પડકારો (ચીન સાથે સંકળાયેલ એલ.એ.સી.) અને સંબંધિત દ્વિ-મોરચા સંબંધી સંજોગોને ધ્યાનમાં રાખતાં, આ વર્ષે સેનાને અગ્રતા આપવાની છે. આમ, ભૂમિ દળ માટે મૂડી ફાળવણીમાં (રૂપિયા 3269 કરોડનો) વધારો થયો છે , જ્યારે નૌકાદળ અને વાયુ દળ માટે તે ઘટાડવામાં આવ્યો છે.

તેના પરથી નીકળતું અનુમાન એ છે કે ભારતના ઉચ્ચ સંરક્ષણ પ્રબંધન દ્વારા આ વર્ષ માટે સીમા પર લશ્કરી ક્ષમતા (નૌકાદળ અને હવાઈ દળ)ની વૃદ્ધિ અટકાવી છે. આશા છે કે જો ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રીતે સુધરશે તો આવતા વર્ષે લક્ષ્યમાં પરિવર્તન આવશે.

લશ્કરી મશીનના આધુનિકીકરણ માટે પૂરતા નાણાં પૂરા પાડવાં એ ભારતીય રાજકીય સર્વોચ્ચ નેતૃત્વ માટે એક જટિલ પડકાર છે. જ્યારે આ કોઈ શુભ સરખામણી નથી - ગત વખતે ભારતની જીડીપીના ટકાવારી તરીકે સંરક્ષણ ફાળવણી હાલમાં જેટલી ઓછી છે તેટલી તે સમયે હતી - ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સુકાની હતા. અને ભારતને ઑક્ટોબર 1962માં ભારે આંચકો લાગ્યો હતો. ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કદાચ ન પણ કરે પરંતુ તેની લયની ધારણા બરાબર કરવી જોઈએ.

- સી ઉદય ભાસ્કર

સંરક્ષણ ફાળવણીમાં મધ્યમ વધારો

ન્યૂઝ ડેસ્ક: 2020માં કોવિડ રોગચાળોએ પ્રચંડ માનવ દુ:ખ અને વૈશ્વિક સ્તરે જીવનનું નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં થતા સંકોચથી અભૂતપૂર્વ આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો અને તેથી નીતિ નિર્માતાઓ માટે એક ગંભીર પડકાર ઉભો થયો હતો, જેમની પાસે ગંભીરતાથી પુન:પ્રાપ્તિ માટે નાણાકીય મર્યાદાઓ સાથે ધીમો માર્ગ બનાવવાની યોજના હતી.


આ પૃષ્ઠભૂમિ સાથે સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ થયેલા વાર્ષિક ભારતીય બજેટમાં જાહેર આરોગ્ય અને નાગરિકની સુખાકારીને અવરોધિત કરતા મોટા ભાગનાં ક્ષેત્રોમાં આ ‘પેટે પાટા બાંધવાની' લાક્ષણિકતા પ્રતિબિંબિત થઈ છે.


આગાહી મુજબ, સૌથી વધુ વધારો જાહેર આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ અને સંબંધિત માળખાકીય સુવિધાઓ અને નાણાકીય વર્ષ 2021-22 માટેનો કુલ ખર્ચ રૂપિયા 2,23,846 કરોડની જોગવાઈ સહિત રોગપ્રતિકારક રસી માટે 35,000 કરોડ, જે પાછલા વર્ષ કરતાં 137 ટકા વધ્યા છે અને તેનું સ્વાગત કરવું જોઈએ. તે યોગ્યતા યાદ અપાવે છે કે વિશ્વ હજી સુધી કોવિડ પછીના તબક્કામાં નથી અને ચકાસાયેલ સલામત ક્ષેત્રમાં આ સંક્રમણ રસ્તા પર એક કે બે વર્ષ હોઈ શકે છે.


પ્રાચીન ભારતીય ગ્રંથમાં દર્શાવાયેલ માનવીય સલામતી અથવા ‘યોગક્ષેમ’ પ્રમાણે, ચાણક્ય દ્વારા ‘અર્થશાસ્ત્ર’ એ પણ તેને (માનવ સુરક્ષાને) સર્વોચ્ચ પ્રાધાન્યતા આપી છે. સાર્વભૌમત્વ સાથે જોડાયેલી રાષ્ટ્રીય સુરક્ષા એટલી જ તીવ્ર જવાબદારી છે કે જે ચૂંટાયેલા રાજકીય નેતૃત્વ પર ઊભી થાય. મોદી સરકાર માટે 2020ના ઉનાળામાં લદ્દાખ ક્ષેત્રમાં અંકુશિત એલએસી (વાસ્તવિક નિયંત્રણની લાઇન) તરફના ચીની અતિક્રમણને જોતાં આ હજી વધુ તાકીદનું બની રહ્યું છે.


આમ આ વર્ષ માટે સંરક્ષણ ફાળવણીની જે આતુરતાથી રાહ જોવામાં આવી હતી પરંતુ તેમાં કોઈ આશ્ચર્ય મળ્યું નથી. એકંદરે વધારો નજીવો રહ્યો છે અને અગાઉના નાણાકીય વર્ષના સુધારેલા ખર્ચ (આરઇ) થી જે રૂપિયા 4,71,000 કરોડની સંરક્ષણ ફાળવણી હવે વધારીને રૂપિયા 4,78,000 કરાયું છે. જે નાણાકીય વર્ષ 2021-22 માટેનો બજેટ અંદાજ (BE) છે. વર્તમાન વિનિમય દરે આ આશરે 65.48 અબજ અમેરિકી ડૉલર છે.

આ રીતે પાછલા વર્ષના આરઇમાંથી થયેલો વધારો સાધારણ 1.48 ટકા છે અને આ ફાળવણી વર્તમાન નાણાકીય વર્ષ માટે અનુમાનિત જીડીપીના 1.63 ટકા હોવાનો અંદાજ છે. 2011-12માં જીડીપીના ટકાથી સંરક્ષણ ફાળવણી ક્રમશ: ઘટાડાતી આવી છે. જોકે વ્યાવસાયિક ભલામણ એ છે કે વિશ્વસનીય ભારતીય સૈન્યની વ્યવહારિક અને અસરકારક સંભાળ રહેવી જોઈએ. આથી, આ આંકડો 3 ટકા તરફ જવો જોઈએ.ભારતે જે પડકારોના પ્રકારોને ઉકેલવાના હતા તેનાથી સ્પષ્ટ છે કે ચીનનો પડકાર હોવા છતાં સંરક્ષણ ક્ષેત્રે ભૂતકાળની તુલનામાં તેણે વધુ કડક રસ્તો અપનાવવો પડશે.

છૂટાછવાયા આંકડામાં એક સૂચનાત્મક કથા છે. કુલ રૂપિયા 4,78,000 કરોડની ફાળવણીમાં રૂપિયા 1,16, 000 પેન્શન તરીકે અને રૂપિયા 3,62,000 કરોડ રૂપિયા સંરક્ષણ સેવાઓ માટે ફાળવાયા છે. પાછલા વર્ષની તુલનામાં, છેલ્લો આંકડો થોડો વધુ મજબૂત છે, કારણ કે તે રૂપિયા 3,37,000 કરોડથી થી રૂપિયા 3,62,000 કરોડ આખા સંરક્ષણ મંત્રાલય અને તેના વિવિધ વિભાગો માટે ફાળવણીરૂપે થયો છે.

નાણાકીય વર્ષ 2011-22 માટે સંરક્ષણ ફાળવણીનો મૂડી ખર્ચ રૂપિયા 1,35,000 કરોડ છે અને આ બજેટનું મથાળું છે જેના હેઠળ ઉપકરણોનું આધુનિકીકરણ અને નવી ઇન્વેન્ટરી (જેમ કે ટાંકી-જહાજો-વિમાન)ની પ્રાપ્તિ આકાર લે છે થાય છે. પેટા-લખાણ સૂચવે છે કે ગત ગલવાન દુર્ઘટનાવાળા વર્ષમાં, સુધારેલો મૂડી ખર્ચ રૂપિયા 1,34,510 કરોડ છે. આથી આ નાણાકીય વર્ષ માટેના બજેટ મૂડી ફાળવણીમાં પાછલા વર્ષના આરઇમાંથી વાસ્તવિક વધારો સાધારણ રૂપિયા 500 કરોડ છે.

અગાઉના નાણાકીય વર્ષમાં મૂડી ઘટકનો બજેટ અંદાજ રૂપિયા 1,14,000 કરોડ કરાયો હતો અને બીઇથી બીઇ સુધી જોતાં, 21,000 કરોડનો વધારો મહત્વપૂર્ણ 19 ટકાના કૂદકા તરીકે સ્વાગત કરવામાં આવ્યો છે. જોકે વધુ માન્ય તુલના છેલ્લા આરઇથી હાલના બીઇ સુધીની છે - જે એક સાધારણ રૂપિયા 500 કરોડ, અથવા 0.5 ટકાથી ઓછી છે.

ત્રણેય સેવાઓ, ભૂમિ દળ-નૌકાદળ-હવાઈ દળને બોર્ડમાં લાંબા સમયથી બાકી રહેલી ઇન્વેન્ટરી ઘટાડાને વધારવા માટે નાણાના ઉમેરાની તીવ્ર જરૂર છે. આમ, મૂડી ફાળવણી એ દરેક સશસ્ત્ર દળની ઑપરેશનલ વિશ્વસનીયતાની નિર્ણાયક સૂચક છે અને અહીં ચિત્ર અસ્પષ્ટ છે.

અગાઉના નાણાકીય વર્ષમાં સુધારેલ મૂડી ખર્ચ (વાસ્તવિક ખર્ચ થયેલ રકમ) નીચે મુજબ હતી: ભૂમિ દળ - રૂપિયા 33,213 કરોડ; નૌ સેના - રૂપિયા 37,542 કરોડ; અને વાયુ દળ રૂપિયા 55,055 કરોડ છે. વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) માં, બજેટ મૂડી ફાળવણી છે- ભૂમિ દળ - રૂપિયા 36,482 કરોડ; નૌકા દળ - રૂપિયા 33,254 કરોડ; અને વાયુ દળ - રૂપિયા 53,215 કરોડ છે.

ટૂંકમાં, વધુ ઉચ્ચ સંરક્ષણ નેતૃત્વ દ્વારા વર્તમાન બજેટ ફાળવણી અને ઇન્વેન્ટરી આયોજન જે સૂચવે છે તે છે, વર્તમાન સુરક્ષા પડકારો (ચીન સાથે સંકળાયેલ એલ.એ.સી.) અને સંબંધિત દ્વિ-મોરચા સંબંધી સંજોગોને ધ્યાનમાં રાખતાં, આ વર્ષે સેનાને અગ્રતા આપવાની છે. આમ, ભૂમિ દળ માટે મૂડી ફાળવણીમાં (રૂપિયા 3269 કરોડનો) વધારો થયો છે , જ્યારે નૌકાદળ અને વાયુ દળ માટે તે ઘટાડવામાં આવ્યો છે.

તેના પરથી નીકળતું અનુમાન એ છે કે ભારતના ઉચ્ચ સંરક્ષણ પ્રબંધન દ્વારા આ વર્ષ માટે સીમા પર લશ્કરી ક્ષમતા (નૌકાદળ અને હવાઈ દળ)ની વૃદ્ધિ અટકાવી છે. આશા છે કે જો ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રીતે સુધરશે તો આવતા વર્ષે લક્ષ્યમાં પરિવર્તન આવશે.

લશ્કરી મશીનના આધુનિકીકરણ માટે પૂરતા નાણાં પૂરા પાડવાં એ ભારતીય રાજકીય સર્વોચ્ચ નેતૃત્વ માટે એક જટિલ પડકાર છે. જ્યારે આ કોઈ શુભ સરખામણી નથી - ગત વખતે ભારતની જીડીપીના ટકાવારી તરીકે સંરક્ષણ ફાળવણી હાલમાં જેટલી ઓછી છે તેટલી તે સમયે હતી - ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સુકાની હતા. અને ભારતને ઑક્ટોબર 1962માં ભારે આંચકો લાગ્યો હતો. ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કદાચ ન પણ કરે પરંતુ તેની લયની ધારણા બરાબર કરવી જોઈએ.

- સી ઉદય ભાસ્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.