ETV Bharat / bharat

કોરોનાના કારણે જામીન અને પેરોલ પર છોડાયેલા 3,400 કેદી ગુમ

author img

By

Published : Apr 15, 2021, 12:15 PM IST

કોરોનાના કારણે જામીન અને પેરોલ પર છૂટેલા 3,400 કેદીઓ ગુમ થઈ ગયા છે. પેરોલ પૂરા થયા પછી પણ તેઓ જેલ નથી પહોંચ્યા. જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટને નિવેદન કરીને 6 હજારથી વધારે કેદીઓને જામીન અને પેરોલ પર છોડ્યા હતા. આમાંથી સજા મેળવી ચૂકેલા કેદીઓની સાથે જ મોટી સંખ્યામાં અન્ય કેદીઓ પણ હતા.

દિલ્હી
દિલ્હી
  • દિલ્હીમાં તિહાડ જેલથી 3,400થી વધારે કેદીઓને જામીન અને પેરોલ અપાયા હતા
  • કોરોનાના કારણે 6 હજારથી વધારે કેદીઓને આપવામાં આવ્યા હતા જામીન અને પેરોલ
  • જામીન અને પેરોલ પૂર્ણ થયા પછી પણ હજી સુધી મોટા ભાગના કેદી પરત નથી ફર્યા

નવી દિલ્હીઃ દિલ્હીમાં તિહાડ જેલથી જામીન અને પેરોલ પર છોડાયેલા 3,400થી વધારે કેદી ગુમ થઈ ગયા છે. કેદીઓએ પેરોલ અને જામીનનો સમયગાળો પૂર્ણ થયા પછી પણ સરેન્ડર નથી કર્યું. તિહાડ જેલથી એવા કેદીઓની યાદી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કેટલાક કેદીઓને જામીન અને પેરોલ પર છોડવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તેઓ જેલમાં પરત ફર્યા નથી.

આ પણ વાંચોઃ વડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ

જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટથી નિવેદન કરી કેદીઓને છોડ્યા હતા

એક માહિતી અનુસાર, વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા હતા. તે દરમિયાન તિહાડ જેલમાં સોશિયલ ડિસ્ટન્સ મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટથી નિવેદન કરીને 6 હજારથી વધારે કેદીઓને જામીન અને પેરોલ પર છોડ્યા હતા.

આ પણ વાંચોઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1,038 લોકોના મોત થયા

ગુમ થયેલા કેદીઓની પોલીસ તપાસ કરશે

તિહાડ જેલમાંથી 5,556 કેદીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. આમાંથી માત્ર 2,200 કેદીઓ જ જેલમાં સરેન્ડર કર્યું છે. આ કેદીઓએ માર્ચના અંતમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમની માહિતી દિલ્હી પોલીસને મોકલવામાં આવી છે. પોલીસ હવે ગુમ થયેલા કેદીઓ વિશે જાણકારી મેળવી રહી છે અને તેમની તપાસ કરી રહી છે.

  • દિલ્હીમાં તિહાડ જેલથી 3,400થી વધારે કેદીઓને જામીન અને પેરોલ અપાયા હતા
  • કોરોનાના કારણે 6 હજારથી વધારે કેદીઓને આપવામાં આવ્યા હતા જામીન અને પેરોલ
  • જામીન અને પેરોલ પૂર્ણ થયા પછી પણ હજી સુધી મોટા ભાગના કેદી પરત નથી ફર્યા

નવી દિલ્હીઃ દિલ્હીમાં તિહાડ જેલથી જામીન અને પેરોલ પર છોડાયેલા 3,400થી વધારે કેદી ગુમ થઈ ગયા છે. કેદીઓએ પેરોલ અને જામીનનો સમયગાળો પૂર્ણ થયા પછી પણ સરેન્ડર નથી કર્યું. તિહાડ જેલથી એવા કેદીઓની યાદી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કેટલાક કેદીઓને જામીન અને પેરોલ પર છોડવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તેઓ જેલમાં પરત ફર્યા નથી.

આ પણ વાંચોઃ વડોદરામાં ભાજપ દ્વારા ટેલી મેડિસિન એપ્લિકેશનનું કરાયું લોન્ચિંગ

જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટથી નિવેદન કરી કેદીઓને છોડ્યા હતા

એક માહિતી અનુસાર, વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા હતા. તે દરમિયાન તિહાડ જેલમાં સોશિયલ ડિસ્ટન્સ મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે જેલ તંત્રએ દિલ્હી સરકાર અને કોર્ટથી નિવેદન કરીને 6 હજારથી વધારે કેદીઓને જામીન અને પેરોલ પર છોડ્યા હતા.

આ પણ વાંચોઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1,038 લોકોના મોત થયા

ગુમ થયેલા કેદીઓની પોલીસ તપાસ કરશે

તિહાડ જેલમાંથી 5,556 કેદીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. આમાંથી માત્ર 2,200 કેદીઓ જ જેલમાં સરેન્ડર કર્યું છે. આ કેદીઓએ માર્ચના અંતમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમની માહિતી દિલ્હી પોલીસને મોકલવામાં આવી છે. પોલીસ હવે ગુમ થયેલા કેદીઓ વિશે જાણકારી મેળવી રહી છે અને તેમની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.