ETV Bharat / bharat

Hyderabad News: ડૉ. પ્રીતિને આંસુભરી વિદાય, વતનમાં અંતિમ સંસ્કાર

author img

By

Published : Feb 27, 2023, 8:29 PM IST

તેલંગાણાના મારુમુલથાંડામાં પ્રથમ વખત મેડિસિનનો અભ્યાસ કરનાર યુવતીના જીવનનો એકાએક અંત આવ્યો હતો. પોતાની દ્રઢતાથી જીવનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આદિવાસી યુવતી સમાજની પરિસ્થિતિઓને પાર કરી શકી નથી. જે યુવતીએ વિચાર્યું હતું કે તે એક ડૉક્ટર બનશે. તે 5 દિવસ મોત સાથે લડીને આખરે અંતિમ શ્વાસ લીધા હતા.

Hyderabad News:
Hyderabad News:Hyderabad News:

તેલંગાણા: હૈદરાબાદના નિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર પીજી મેડિકલ સ્ટુડન્ટ પ્રીતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે તેના મૃતદેહને હૈદરાબાદથી જનાગામા જિલ્લાના તેના વતન લઈ જવામાં આવ્યો હતો. પ્રીતિનો મૃતદેહ ઘરે જોઈને પરિવારજનો અને સગા-સંબંધીઓની આંસુઓ છલકાઈ ઉઠી હતી. બાદમાં બપોરના સમયે મૃતદેહને ટ્રેક્ટરમાં પ્રીતિના ઘર પાસેના ખેતરમાં લઈ જઈ દફનાવવામાં આવ્યો હતો.

નિમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: રવિવારે રાત્રે પ્રીતિનું નિધન થયું હોવાનું તબીબોએ જાહેર કરતાં નિમ્સ હોસ્પિટલમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પ્રીતિના પરિવારના સભ્યો, સંબંધીઓ, આદિવાસી સંગઠનો અને વિરોધ પક્ષના નેતાઓએ ધરણા કર્યા હતા. પોલીસે તેમને બળજબરીથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. વહેલી સવારે પ્રીતિનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેણીના મૃતદેહને તેના વતન ખાતે લાવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં ગ્રામજનોની સાથે મિત્રો, રાજકારણીઓ અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Kashmiri Pandit: પુલવામાના કાશ્મીરી પંડિતના અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટી પડી

આશાઓ પર પાણી: "હું ઈચ્છું છું કે સજાને તાત્કાલિક અમલમાં મુકવામાં આવે. હું સમાજને એક સંદેશ આપવા માંગુ છું. હું અન્ય કોઈને પ્રીતિ જેવા ન દેખાવાની અપીલ કરું છું. તેણે ઘણી આશા સાથે અભ્યાસ કર્યો. અમારા પરિવારમાં અત્યાર સુધી કોઈએ ડૉક્ટરનો અભ્યાસ કર્યો નથી. તેની બધી આશાઓ ઠગારી નીવડી છે." - નરેન્દ્ર, પ્રીતિના પિતા

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ

અમારા વિસ્તારની પ્રથમ ડૉક્ટર: "તેમણે બાળકોને સારી રીતે ભણાવ્યા. પ્રીતિ જ્યારે તહેવારો અને શુભ પ્રસંગો માટે ગામમાં આવતી ત્યારે તે દરેકનું હાર્દિક સ્વાગત કરતી. તે બાળકોને શિક્ષણ વિશે શીખવતી. તે કહેતી કે આપણે ભણીશું તો ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા મેળવીશું. પ્રીતિ અમારા વિસ્તારની પ્રથમ ડૉક્ટર હતી. અમે વિચાર્યું કે અમે પ્રીતિને ઉચ્ચ પદ પર જોઈશું. જ્યારે તે હોસ્પિટલમાં હતી ત્યારે અમને એક આશા હતી." - સ્થાનિક

પુત્રીની હત્યા થઈ હોવાનો દાવો: તેમની પુત્રી પ્રીતિએ આત્મહત્યા નથી કરી. પ્રીતિના પિતા નરેન્દ્રનો આરોપ છે કે આ હત્યા છે. સંતાનના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં તેણે કહ્યું કે પ્રીતિને કોઈએ ઈન્જેક્શન આપ્યું હતું અને પોલીસને તેની તપાસ કરવાની અપીલ કરી હતી. તેમણે એનેસ્થેસિયા વિભાગના એચઓડીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને સીટીંગ જજ સાથે તપાસ કરવા જણાવ્યું હતું.

તેલંગાણા: હૈદરાબાદના નિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર પીજી મેડિકલ સ્ટુડન્ટ પ્રીતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે તેના મૃતદેહને હૈદરાબાદથી જનાગામા જિલ્લાના તેના વતન લઈ જવામાં આવ્યો હતો. પ્રીતિનો મૃતદેહ ઘરે જોઈને પરિવારજનો અને સગા-સંબંધીઓની આંસુઓ છલકાઈ ઉઠી હતી. બાદમાં બપોરના સમયે મૃતદેહને ટ્રેક્ટરમાં પ્રીતિના ઘર પાસેના ખેતરમાં લઈ જઈ દફનાવવામાં આવ્યો હતો.

નિમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: રવિવારે રાત્રે પ્રીતિનું નિધન થયું હોવાનું તબીબોએ જાહેર કરતાં નિમ્સ હોસ્પિટલમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પ્રીતિના પરિવારના સભ્યો, સંબંધીઓ, આદિવાસી સંગઠનો અને વિરોધ પક્ષના નેતાઓએ ધરણા કર્યા હતા. પોલીસે તેમને બળજબરીથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. વહેલી સવારે પ્રીતિનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેણીના મૃતદેહને તેના વતન ખાતે લાવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં ગ્રામજનોની સાથે મિત્રો, રાજકારણીઓ અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Kashmiri Pandit: પુલવામાના કાશ્મીરી પંડિતના અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટી પડી

આશાઓ પર પાણી: "હું ઈચ્છું છું કે સજાને તાત્કાલિક અમલમાં મુકવામાં આવે. હું સમાજને એક સંદેશ આપવા માંગુ છું. હું અન્ય કોઈને પ્રીતિ જેવા ન દેખાવાની અપીલ કરું છું. તેણે ઘણી આશા સાથે અભ્યાસ કર્યો. અમારા પરિવારમાં અત્યાર સુધી કોઈએ ડૉક્ટરનો અભ્યાસ કર્યો નથી. તેની બધી આશાઓ ઠગારી નીવડી છે." - નરેન્દ્ર, પ્રીતિના પિતા

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ

અમારા વિસ્તારની પ્રથમ ડૉક્ટર: "તેમણે બાળકોને સારી રીતે ભણાવ્યા. પ્રીતિ જ્યારે તહેવારો અને શુભ પ્રસંગો માટે ગામમાં આવતી ત્યારે તે દરેકનું હાર્દિક સ્વાગત કરતી. તે બાળકોને શિક્ષણ વિશે શીખવતી. તે કહેતી કે આપણે ભણીશું તો ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા મેળવીશું. પ્રીતિ અમારા વિસ્તારની પ્રથમ ડૉક્ટર હતી. અમે વિચાર્યું કે અમે પ્રીતિને ઉચ્ચ પદ પર જોઈશું. જ્યારે તે હોસ્પિટલમાં હતી ત્યારે અમને એક આશા હતી." - સ્થાનિક

પુત્રીની હત્યા થઈ હોવાનો દાવો: તેમની પુત્રી પ્રીતિએ આત્મહત્યા નથી કરી. પ્રીતિના પિતા નરેન્દ્રનો આરોપ છે કે આ હત્યા છે. સંતાનના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં તેણે કહ્યું કે પ્રીતિને કોઈએ ઈન્જેક્શન આપ્યું હતું અને પોલીસને તેની તપાસ કરવાની અપીલ કરી હતી. તેમણે એનેસ્થેસિયા વિભાગના એચઓડીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને સીટીંગ જજ સાથે તપાસ કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.