ETV Bharat / bharat

Manipur Crime News: મણિપુરના ચર્ચમાં ગોળીબાર, 9 વ્યક્તિઓના કરુણ મોત

author img

By

Published : Jun 14, 2023, 5:12 PM IST

મણિપુરમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં એક ચર્ચમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કુકી આતંકવાદીઓએ એક ચર્ચ પર હુમલો કર્યો અને મહિલાઓ સહિત નવ લોકોની હત્યા કરી.

Manipur Breaking News: મણિપુરના ચર્ચમાં ગોળીબાર, 9 વ્યક્તિઓના કરુણ મોત
Manipur Breaking News: મણિપુરના ચર્ચમાં ગોળીબાર, 9 વ્યક્તિઓના કરુણ મોત

ઇમ્ફાલ: તાજેતરમાં મણિપુરના એક ચર્ચમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. બદમાશોના ફાયરિંગમાં મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. પૂર્વ ઇમ્ફાલના ખામેનલોક ખાતેના એક ચર્ચમાં મંગળવારે રાત્રે ગોળીબાર થયો હતો.

ચર્ચમાં ગોળીબાર: હુમલા વખતે ચર્ચમાં 25થી વધુ લોકો હતા. ઘાયલોને હાલમાં ઇમ્ફાલની રાજ મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુકી ઉગ્રવાદીઓની સંડોવણી હોવાની આશંકા છે. મણિપુર સરકારના IPROના ડિરેક્ટર હિસ્નામ બાલક્રિષ્નને હુમલાની પુષ્ટિ કરી છે.

કુકી આતંકવાદીઓનો ત્રાસ: અગાઉ, સોમવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓ અને ગામના સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબાર પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના સગોલમંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાંગસુમ ગામમાં થયો હતો. જેમાં ગોળીબારના કારણે નવ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સોમવારે સવારે લગભગ 10 વાગ્યે નોંગસુમ ગામ તરફ ગોળીબાર કર્યો હતો.

ઇમ્ફાલના ખામેનલોક વિસ્તારમાં આજે સવારે હિંસામાં નવ લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આસામ રાઈફલ્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. નોંધનીય છે કે, મણિપુરમાં ઘણી જગ્યાએ આસામ રાઈફલ પાછી ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, હિંસાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ મંગળવારે ફુન્દ્રેઈ ખાતે 37 આસામ રાઈફલ્સ બટાલિયન પર હુમલો કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે આસામ રાઈફલ્સ વિસ્તારમાં ભય પેદા કરી રહી છે. --- શિવકાંત સિંહ (SP, ઇમ્ફાલ ઇસ્ટ)

રાજ્યપાલે મુલાકાત કરી: મણિપુરના રાજ્યપાલ અનુસુઆ વાઇકે સોમવારે જ સુરચંદપુર અને બિષ્ણુપુર જિલ્લામાં અનેક રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત લોકો સાથે વાત કરતી વખતે રાજ્યપાલે વિસ્થાપિતોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

તપાસ માટે SITની રચના: પાંચ દિવસ પહેલા કુકી ગામમાં હુમલામાં એક વૃદ્ધ મહિલા સહિત ત્રણના મોત થયા હતા. આ હુમલો મણિપુરના કાંગપોકપી જિલ્લાના કુકી ગામમાં ગયા શુક્રવારે વહેલી સવારે થયો હતો. આ હુમલામાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં એક 67 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે.કેન્દ્રીય તપાસ બ્યુરોએ (CBI) મણિપુર સરકાર દ્વારા સૂચિત હિંસાના છ કેસોની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી છે.

ITLF નો દાવો: ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલની આગેવાની હેઠળની SITમાં દસ અધિકારીઓનો સમાવેશ થાય છે. CBIએ શુક્રવારે તપાસ સંભાળી હતી. એક ગ્રામીણ અને સ્વદેશી આદિજાતિ નેતાઓ ફોરમ (ITLF) એ દાવો કર્યો હતો કે, સેના અને પોલીસ ગણવેશના વેશમાં આવેલા મેઈતી આતંકવાદીઓએ કાંગકાપોકપી અને ઇમ્ફાલ પશ્ચિમના જંક્શન પર આવેલા ખોકેન ગામ પર હુમલો કર્યો હતો. પોલીસને હુમલાખોરોનો કોઈ સુરાગ નહોતો.

  1. Arunachal Pradesh: શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલ પંપના કેશિયરનું અપહરણ કર્યું, એકને મારી ગોળી
  2. તાલાળાનો સેના જવાન અરુણાચલ પ્રદેશમાં શહીદ, સૈનિક સન્માન સાથે પાર્થિવ દેહ વતન લવાયો

ઇમ્ફાલ: તાજેતરમાં મણિપુરના એક ચર્ચમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. બદમાશોના ફાયરિંગમાં મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. પૂર્વ ઇમ્ફાલના ખામેનલોક ખાતેના એક ચર્ચમાં મંગળવારે રાત્રે ગોળીબાર થયો હતો.

ચર્ચમાં ગોળીબાર: હુમલા વખતે ચર્ચમાં 25થી વધુ લોકો હતા. ઘાયલોને હાલમાં ઇમ્ફાલની રાજ મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુકી ઉગ્રવાદીઓની સંડોવણી હોવાની આશંકા છે. મણિપુર સરકારના IPROના ડિરેક્ટર હિસ્નામ બાલક્રિષ્નને હુમલાની પુષ્ટિ કરી છે.

કુકી આતંકવાદીઓનો ત્રાસ: અગાઉ, સોમવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓ અને ગામના સ્વયંસેવકો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબાર પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના સગોલમંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાંગસુમ ગામમાં થયો હતો. જેમાં ગોળીબારના કારણે નવ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સોમવારે સવારે લગભગ 10 વાગ્યે નોંગસુમ ગામ તરફ ગોળીબાર કર્યો હતો.

ઇમ્ફાલના ખામેનલોક વિસ્તારમાં આજે સવારે હિંસામાં નવ લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આસામ રાઈફલ્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. નોંધનીય છે કે, મણિપુરમાં ઘણી જગ્યાએ આસામ રાઈફલ પાછી ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, હિંસાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ મંગળવારે ફુન્દ્રેઈ ખાતે 37 આસામ રાઈફલ્સ બટાલિયન પર હુમલો કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે આસામ રાઈફલ્સ વિસ્તારમાં ભય પેદા કરી રહી છે. --- શિવકાંત સિંહ (SP, ઇમ્ફાલ ઇસ્ટ)

રાજ્યપાલે મુલાકાત કરી: મણિપુરના રાજ્યપાલ અનુસુઆ વાઇકે સોમવારે જ સુરચંદપુર અને બિષ્ણુપુર જિલ્લામાં અનેક રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત લોકો સાથે વાત કરતી વખતે રાજ્યપાલે વિસ્થાપિતોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

તપાસ માટે SITની રચના: પાંચ દિવસ પહેલા કુકી ગામમાં હુમલામાં એક વૃદ્ધ મહિલા સહિત ત્રણના મોત થયા હતા. આ હુમલો મણિપુરના કાંગપોકપી જિલ્લાના કુકી ગામમાં ગયા શુક્રવારે વહેલી સવારે થયો હતો. આ હુમલામાં અજાણ્યા આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં એક 67 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે.કેન્દ્રીય તપાસ બ્યુરોએ (CBI) મણિપુર સરકાર દ્વારા સૂચિત હિંસાના છ કેસોની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની (SIT) રચના કરી છે.

ITLF નો દાવો: ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલની આગેવાની હેઠળની SITમાં દસ અધિકારીઓનો સમાવેશ થાય છે. CBIએ શુક્રવારે તપાસ સંભાળી હતી. એક ગ્રામીણ અને સ્વદેશી આદિજાતિ નેતાઓ ફોરમ (ITLF) એ દાવો કર્યો હતો કે, સેના અને પોલીસ ગણવેશના વેશમાં આવેલા મેઈતી આતંકવાદીઓએ કાંગકાપોકપી અને ઇમ્ફાલ પશ્ચિમના જંક્શન પર આવેલા ખોકેન ગામ પર હુમલો કર્યો હતો. પોલીસને હુમલાખોરોનો કોઈ સુરાગ નહોતો.

  1. Arunachal Pradesh: શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રોલ પંપના કેશિયરનું અપહરણ કર્યું, એકને મારી ગોળી
  2. તાલાળાનો સેના જવાન અરુણાચલ પ્રદેશમાં શહીદ, સૈનિક સન્માન સાથે પાર્થિવ દેહ વતન લવાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.