ETV Bharat / bharat

Karnataka Election 2023: પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરે ટિકિટ ન મળતાં ભાજપમાંથી આપ્યું રાજીનામું

author img

By

Published : Apr 16, 2023, 1:07 PM IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપ તરફથી ટિકિટ ન મળતા પૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટરાલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષના નેતા રહી ચુકેલા શેટ્ટરે કહ્યું કે, તેઓ ચોક્કસપણે ચૂંટણી લડશે.

Karnataka Election 2023: પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરે ટિકિટ ન મળતાં ભાજપમાંથી આપ્યું રાજીનામું
Karnataka Election 2023: પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરે ટિકિટ ન મળતાં ભાજપમાંથી આપ્યું રાજીનામું

કર્ણાટક: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ ન મળવાને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શેટ્ટર (67)એ કહ્યું કે, તેઓ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે. રાજ્યમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા શેટ્ટરે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ "અરાજકતાની ઊંચાઈ": અતીક અહેમદ, અશરદની હત્યાનો વિરોધ

ચૂંટણી લડવાનો નિર્ણયઃ પાર્ટીમાં તેમના યોગદાન અને રાજ્યમાં મુખ્ય હોદ્દા પર તેમની જવાબદારીઓને યાદ કરતાં શેટ્ટરે કહ્યું, “મારું જે રીતે અપમાન થયું તે જોઈને હું પરેશાન છું. મને લાગ્યું કે મારે તેને પડકાર આપવો જોઈએ. તેથી જ મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું સિરસી જઈશ અને વિધાનસભામાંથી મારું રાજીનામું (સ્પીકરને) સુપરત કરીશ. આખરે રાજ્યમાં મેં બનાવેલી પાર્ટીમાંથી હું રાજીનામું આપીશ.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

સુનિયોજિત કાવતરું ઘડાયુંઃ લિંગાયત નેતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમની સામે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પહેલા શનિવારે રાત્રે જ કર્ણાટકના મુખ્યપ્રઘાન બસવરાજ બોમાઈ અને કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન શેટ્ટરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શેટ્ટર (67) ને યુવાનો માટે માર્ગ બનાવવા માટે 10 મેની વિધાનસભાની ચૂંટણી ન લડવા જણાવ્યું છે.બોમાઈ, જોશી અને પ્રધાન સાથેની બેઠક પહેલા શેટ્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમને તેમના પરિવારના કોઈપણ સભ્યને ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે, તેઓ આ માટે સંમત નથી.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder Video: જાણો કોણ હતો અતીક અહેમદ, શા માટે તેને ઉત્તર પ્રદેશનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવ્યો

કર્ણાટક: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરે રવિવારે 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ ન મળવાને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શેટ્ટર (67)એ કહ્યું કે, તેઓ પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપી દેશે. રાજ્યમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા શેટ્ટરે એમ પણ કહ્યું હતું કે, તેઓ ચોક્કસપણે આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ "અરાજકતાની ઊંચાઈ": અતીક અહેમદ, અશરદની હત્યાનો વિરોધ

ચૂંટણી લડવાનો નિર્ણયઃ પાર્ટીમાં તેમના યોગદાન અને રાજ્યમાં મુખ્ય હોદ્દા પર તેમની જવાબદારીઓને યાદ કરતાં શેટ્ટરે કહ્યું, “મારું જે રીતે અપમાન થયું તે જોઈને હું પરેશાન છું. મને લાગ્યું કે મારે તેને પડકાર આપવો જોઈએ. તેથી જ મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું સિરસી જઈશ અને વિધાનસભામાંથી મારું રાજીનામું (સ્પીકરને) સુપરત કરીશ. આખરે રાજ્યમાં મેં બનાવેલી પાર્ટીમાંથી હું રાજીનામું આપીશ.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

સુનિયોજિત કાવતરું ઘડાયુંઃ લિંગાયત નેતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમની સામે સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પહેલા શનિવારે રાત્રે જ કર્ણાટકના મુખ્યપ્રઘાન બસવરાજ બોમાઈ અને કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન શેટ્ટરને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શેટ્ટર (67) ને યુવાનો માટે માર્ગ બનાવવા માટે 10 મેની વિધાનસભાની ચૂંટણી ન લડવા જણાવ્યું છે.બોમાઈ, જોશી અને પ્રધાન સાથેની બેઠક પહેલા શેટ્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમને તેમના પરિવારના કોઈપણ સભ્યને ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે, તેઓ આ માટે સંમત નથી.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder Video: જાણો કોણ હતો અતીક અહેમદ, શા માટે તેને ઉત્તર પ્રદેશનો પહેલો ગેંગસ્ટર કહેવામાં આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.