જમ્મુ અને કાશ્મીર પહલગામમાં બસ અકસ્માતમાં શહીદ પામેલા ITBP જવાનોને ડીપીએલ શ્રીનગર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રદ્ધાંજલિ Lt Governor Manoj Sinha paid tribute to martyrs of ITBP આપી હતી. બસની બ્રેક ફેલ થવાને કારણે તે નદીમાં પડી ગઈ હતી. બસમાં ITBPના 37 જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના 2 જવાનો સવાર હતા.
શહીદ સૈનિકોના કાર્ય અને બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે આ અવસર પર અંતિમ વિદાય આપતાં, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા જવાનોના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી આ જવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. તમામ મહેમાનોએ કહ્યું કે, શહીદ સૈનિકોના કાર્ય અને બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહેલી સૈનિકોની બસ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ITBPના 7 જવાન શહીદ થયા છે જ્યારે 30 જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ITBPએ પણ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.