- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ
- વિવિધ રાજ્યોના રાજનેતા, સમર્થકો અને દિલ્હીવાસીઓએ આપી શુભેચ્છા
- અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો વિવિધ રાજ્યોના રાજનેતા, તેમના સમર્થક અને દિલ્હીવાસીઓ તેમને સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તરફ અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો- મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ
16 ઓગસ્ટ 1968ના દિવસે અરવિંદ કેજરીવાલનો થયો હતો જન્મ
આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) જન્મ 16 ઓગસ્ટ 1968ના દિવસે હરિયાણાના હિસ્સારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતા દેવી છે. અરવિંદ કેજરીવાલના પત્નીનું નામ સુનિતા કેજરીવાલ છે.
આ પણ વાંચો- Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ
જરૂરિયાતમંદોની મદદ કરવા કેજરીવાલની અપીલ
દિલ્હીના મુખ્યપ્રધાને પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ તેમને જન્મદિવસની ભેટ ન આપે અને જો કોઈ ભેટ આપવા માગતું હોય તો તે જરૂરિયાતમંદોને મદદ કરે. કેજરીવાલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી મારી અપીલ છે કે, કોરોના મહામારીના આ કઠિન સમયમાં પોતપોતાની આસપાસ જરૂરિયાતમંદોની મદદ કરો.