ETV Bharat / bharat

ગોવાના મુખ્યપ્રધાનનું સામૂહિક દુષ્કર્મના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન : છોકરીઓ આટલી રાત્રે બહાર શા માટે હતી ?

author img

By

Published : Jul 29, 2021, 10:33 PM IST

ગોવાના એક બીચ પર તાજેતરમાં જ 2 સગીરાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. જેને લઈને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, બાળકોના માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે, તેમના બાળકો આટલી રાત્રે બીચ પર શા માટે હતા. પ્રમોદ સાવંતના આ નિવેદન બાદ દેશભરમાંથી તેમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોવાના મુખ્યપ્રધાનનું સામૂહિક દુષ્કર્મના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન
ગોવાના મુખ્યપ્રધાનનું સામૂહિક દુષ્કર્મના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન
  • ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની જીભ લપસી
  • સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને આપ્યું નિવેદન
  • નિવેદનને લઈને કરી રહ્યા છે ટીકાઓનો સામનો

પણજી : ગોવાની રાજધાનીથી અંદાજે 30 કિલોમીટર દૂર બેનોલિમ બીચ પર ગત રવિવારે 4 લોકોએ પોલીસ તરીકે ઓળખ આપીને 2 સગીરાઓ પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારબાદ તેમને માર પણ માર્યો હતો. આ ઘટનાને લઈને ગોવાના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે, માતાપિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેમના બાળકો આટલી રાત્રે બીચ પર શા માટે હતા. પ્રમોદ સાવંતના આ નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે.

જાણો પ્રમોદ સાવંતે વિધાનસભામાં શું કહ્યું ?

પ્રમોદ સાવંતે વિધાનસભામાં કહ્યું હતું કે,"આપણે સીધી રીતે પોલીસને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ હું એમ કહેવા માંગુ છું કે, એક પાર્ટી માટે બીચ પર ગયેલા 10 લોકો પૈકી 4 લોકો આખી રાત ત્યાં રોકાય છે અને બાકીના 6 લોકો ઘરે જતા રહે છે. 2 છોકરાઓ અને 2 છોકરીઓ આખી રાત ત્યાં જ રોકાયા હતા."

વિધાનસભામાં પ્રમોદ સાવંતનો વિરોધ

ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે તેમણે આપેલું આ નિવેદન શર્મનાક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "નાગરિકોની સુરક્ષા પોલીસ તથા રાજ્ય સરકારની છે. જો તેઓ સુરક્ષા ન આપી શક્તા હોય તો તેમને મુખ્યપ્રધાન પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી." આ સિવાય અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રોહન ખોંટેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,"આ હેરાન કરવા વાળી વાત છે કે, ગોવાના મુખ્યપ્રધાન બાળકોને બહાર જવા દેવા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો રાજ્ય સરકાર અમારી સુરક્ષાનું આશ્વાસન ન આપી શકતી હોય તો કોણ આપશે?"

  • ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની જીભ લપસી
  • સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને આપ્યું નિવેદન
  • નિવેદનને લઈને કરી રહ્યા છે ટીકાઓનો સામનો

પણજી : ગોવાની રાજધાનીથી અંદાજે 30 કિલોમીટર દૂર બેનોલિમ બીચ પર ગત રવિવારે 4 લોકોએ પોલીસ તરીકે ઓળખ આપીને 2 સગીરાઓ પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારબાદ તેમને માર પણ માર્યો હતો. આ ઘટનાને લઈને ગોવાના મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે, માતાપિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેમના બાળકો આટલી રાત્રે બીચ પર શા માટે હતા. પ્રમોદ સાવંતના આ નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે.

જાણો પ્રમોદ સાવંતે વિધાનસભામાં શું કહ્યું ?

પ્રમોદ સાવંતે વિધાનસભામાં કહ્યું હતું કે,"આપણે સીધી રીતે પોલીસને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ હું એમ કહેવા માંગુ છું કે, એક પાર્ટી માટે બીચ પર ગયેલા 10 લોકો પૈકી 4 લોકો આખી રાત ત્યાં રોકાય છે અને બાકીના 6 લોકો ઘરે જતા રહે છે. 2 છોકરાઓ અને 2 છોકરીઓ આખી રાત ત્યાં જ રોકાયા હતા."

વિધાનસભામાં પ્રમોદ સાવંતનો વિરોધ

ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે તેમણે આપેલું આ નિવેદન શર્મનાક છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "નાગરિકોની સુરક્ષા પોલીસ તથા રાજ્ય સરકારની છે. જો તેઓ સુરક્ષા ન આપી શક્તા હોય તો તેમને મુખ્યપ્રધાન પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી." આ સિવાય અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રોહન ખોંટેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,"આ હેરાન કરવા વાળી વાત છે કે, ગોવાના મુખ્યપ્રધાન બાળકોને બહાર જવા દેવા માટે માતા-પિતાને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો રાજ્ય સરકાર અમારી સુરક્ષાનું આશ્વાસન ન આપી શકતી હોય તો કોણ આપશે?"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.