ETV Bharat / bharat

Rajdhani Express: રત્નાગિરિમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બધા પ્રવાસી સલામત

author img

By

Published : Jun 26, 2021, 10:32 AM IST

Updated : Jun 26, 2021, 12:47 PM IST

શનિવારે સવારે 4: 15 કલાકે મહારાષ્ટ્રની રત્નાગીરી હઝરત નિઝામુદ્દીન મડગાંવ રાજધાની એક્સપ્રેસ કે જે દિલ્હીથી ગોવાનો પ્રવાસ કરે છે તે એક ટનલની અંદરથી પાટા પરથી ઉતરી ગઈ હતી.

રત્નાગિરિમાં Rajdhani Express પાટા પરથી ઉતરી
રત્નાગિરિમાં Rajdhani Express પાટા પરથી ઉતરી
  • દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ
  • ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
  • ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે

મુંબઈ: દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના માર્ગાઓ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે સવારે રત્નાગિરી (મહારાષ્ટ્ર) નજીક કરબુડે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે.

શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની

શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, કરબુડે ટનલમાં રાજધાની એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. કોંકણ રેલ્વેને બાતમી મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણોસર કોંકણ રેલવે લાઇન પર ટ્રેનોના અવગમનને રોકી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોંકણ રેલ્વેની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ટ્રેકને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઇજિપ્તમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 11 લોકોનાં કરૂણ મોત

પાટા ઉપર એક મોટો પથ્થર પડ્યો હતો

આ રૂટ પર ટ્રેનોનું સંચાલન કરતી કોંકણ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાટા ઉપર એક મોટો પથ્થર પડ્યો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, રેલ્વે મેન્ટેનન્સ વ્હીકલ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને ટ્રેનને પાટા પર લાવવાનાં સાધનો સાથે અકસ્માત રાહત મેડિકલ વેન અકસ્માત સ્થળ માટે રત્નાગિરિથી રવાના થઈ ગઈ છે. તેમણે કહ્યું, કોંકણ રેલ્વેના અધિકારીઓ પણ લાઈન સાફ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો: વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, કોઇ જાનહાની નહી

  • દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ
  • ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
  • ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે

મુંબઈ: દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના માર્ગાઓ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે સવારે રત્નાગિરી (મહારાષ્ટ્ર) નજીક કરબુડે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે.

શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની

શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, કરબુડે ટનલમાં રાજધાની એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. કોંકણ રેલ્વેને બાતમી મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણોસર કોંકણ રેલવે લાઇન પર ટ્રેનોના અવગમનને રોકી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોંકણ રેલ્વેની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ટ્રેકને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઇજિપ્તમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 11 લોકોનાં કરૂણ મોત

પાટા ઉપર એક મોટો પથ્થર પડ્યો હતો

આ રૂટ પર ટ્રેનોનું સંચાલન કરતી કોંકણ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાટા ઉપર એક મોટો પથ્થર પડ્યો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, રેલ્વે મેન્ટેનન્સ વ્હીકલ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને ટ્રેનને પાટા પર લાવવાનાં સાધનો સાથે અકસ્માત રાહત મેડિકલ વેન અકસ્માત સ્થળ માટે રત્નાગિરિથી રવાના થઈ ગઈ છે. તેમણે કહ્યું, કોંકણ રેલ્વેના અધિકારીઓ પણ લાઈન સાફ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો: વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડ્યા, કોઇ જાનહાની નહી

Last Updated : Jun 26, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.