ETV Bharat / bharat

Four of family Stabbed to Death: એક જ પરિવારના ચાર લોકોની ચાકુ મારીને હત્યા, જાણો સમગ્ર મામલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 6:42 PM IST

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કેમાન્નુમાં એક જ પરિવારના ચાર સભ્યોની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. Four of family stabbed to death in Udupi.

FOUR OF FAMILY STABBED TO DEATH IN UDUPI
FOUR OF FAMILY STABBED TO DEATH IN UDUPI

મેંગલુરુ: ઉડુપી જિલ્લાના ખેમન્નુમાં રવિવારે સવારે એક અજાણ્યા હુમલાખોરે એક જ પરિવારના ચાર સભ્યોની ચાકુ મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક માસ્ક પહેરેલ વ્યક્તિ બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો અને હસીના (46) અને તેના 23, 21 અને 12 વર્ષના ત્રણ બાળકો પર નિર્દયતાથી હુમલો કર્યો. આ હુમલામાં હસીનાના સાસુ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીડિતાનો પતિ ગલ્ફ કન્ટ્રીમાં નોકરી કરે છે. ઉડુપી જિલ્લાના પોલીસ અધિક્ષક અરુણ કુમારે ગુના સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. તેમણે કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

કેરળમાં ખેડૂતે કરી આત્મહત્યા: બીજી બાજુ, કેરળના અલપ્પુઝાના કુટ્ટનાડ વિસ્તારમાં, શનિવારે એક ખેડૂતે કથિત રીતે ડાંગરના પાકની ચૂકવણી અને આર્થિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે તાકાઝીની આંબેડકર કોલોનીમાં રહેતા કેજી પ્રસાદે શુક્રવારે રાત્રે ઝેર પી લીધું હતું.તેમને તિરુવલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આર્થિક સંકટના કારણે આ પગલું ભર્યું: પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેણે આર્થિક સંકટના કારણે આ પગલું ભર્યું છે કે કેમ પરંતુ પ્રસાદના મિત્રો અને અન્ય ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતને સરકાર તરફથી પાકની રકમ મળી નથી અને તેના કારણે તેણે હતાશામાં આ પગલું ભર્યું છે. ખેડૂત દ્વારા કથિત રીતે લખાયેલો એક પત્ર પણ મળી આવ્યો છે જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના મૃત્યુ માટે રાજ્ય સરકાર અને કેટલીક બેંકો જવાબદાર છે.

  1. Surat crime: સુરતમાં પત્નીની છેડતીની શંકામાં પતિએ પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ
  2. Rajkot Crime : જેતપુરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો, આરોપીને પોલીસે દબોચ્યો

મેંગલુરુ: ઉડુપી જિલ્લાના ખેમન્નુમાં રવિવારે સવારે એક અજાણ્યા હુમલાખોરે એક જ પરિવારના ચાર સભ્યોની ચાકુ મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક માસ્ક પહેરેલ વ્યક્તિ બળજબરીથી ઘરમાં ઘૂસી ગયો અને હસીના (46) અને તેના 23, 21 અને 12 વર્ષના ત્રણ બાળકો પર નિર્દયતાથી હુમલો કર્યો. આ હુમલામાં હસીનાના સાસુ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીડિતાનો પતિ ગલ્ફ કન્ટ્રીમાં નોકરી કરે છે. ઉડુપી જિલ્લાના પોલીસ અધિક્ષક અરુણ કુમારે ગુના સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. તેમણે કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

કેરળમાં ખેડૂતે કરી આત્મહત્યા: બીજી બાજુ, કેરળના અલપ્પુઝાના કુટ્ટનાડ વિસ્તારમાં, શનિવારે એક ખેડૂતે કથિત રીતે ડાંગરના પાકની ચૂકવણી અને આર્થિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે તાકાઝીની આંબેડકર કોલોનીમાં રહેતા કેજી પ્રસાદે શુક્રવારે રાત્રે ઝેર પી લીધું હતું.તેમને તિરુવલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

આર્થિક સંકટના કારણે આ પગલું ભર્યું: પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેણે આર્થિક સંકટના કારણે આ પગલું ભર્યું છે કે કેમ પરંતુ પ્રસાદના મિત્રો અને અન્ય ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતને સરકાર તરફથી પાકની રકમ મળી નથી અને તેના કારણે તેણે હતાશામાં આ પગલું ભર્યું છે. ખેડૂત દ્વારા કથિત રીતે લખાયેલો એક પત્ર પણ મળી આવ્યો છે જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના મૃત્યુ માટે રાજ્ય સરકાર અને કેટલીક બેંકો જવાબદાર છે.

  1. Surat crime: સુરતમાં પત્નીની છેડતીની શંકામાં પતિએ પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, આરોપીઓની પોલીસે કરી ધરપકડ
  2. Rajkot Crime : જેતપુરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીનો મામલો હત્યામાં ફેરવાયો, આરોપીને પોલીસે દબોચ્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.