ETV Bharat / bharat

Odisha News: ઓડિશાના ખોરધામાં ફટાકડા વિસ્ફોટમાં 4ના મોત

author img

By

Published : Mar 6, 2023, 10:24 PM IST

ઓડિશાના ખોરધામાં એક ઘરની અંદર સ્થાપિત ફટાકડા યુનિટમાં રહસ્યમય વિસ્ફોટ થયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કામદારો હોળીના તહેવાર માટે ફટાકડા બનાવી રહ્યા હતા. બ્લાસ્ટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

4 Killed, 3 Critically Injured In Firecrackers explosion
4 Killed, 3 Critically Injured In Firecrackers explosion

ખોરધા(ઓડિશા): ઓડિશાના ખોરધામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર લોકોના મોત ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ફટાકડા યુનિટમાં વિસ્ફોટ: એવું જાણવા મળ્યું છે કે આ રહસ્યમય વિસ્ફોટ એક ઘરની અંદર સ્થાપિત ફટાકડા યુનિટમાં થયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કામદારો હોળીના તહેવાર માટે ફટાકડા બનાવી રહ્યા હતા. બ્લાસ્ટનું તાત્કાલિક કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

ચાર લોકોના ઘટનાસ્થળે મોત: ઈજાગ્રસ્તોને ટાંગી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે મકાનમાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી તેને પણ નુકસાન થયું હતું. આ ઘટના ખોરધા જિલ્લાના ટાંગી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભૂષંદપુર ગામમાં બની છે.

આ પણ વાંચો: Migrant Labourers Attack : તમિલનાડુ પોલીસે રાજ્ય ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ કેસ કર્યો દાખલ

સ્થળ પર ભારે ભીડ: એક અધિકારીએ જણાવ્યું કે ફટાકડા હોટકેશ્વર બેહરાની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસની ટીમ ગામમાં દોડી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. વિસ્ફોટ પછીના દ્રશ્યો સોશિ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્થળ પર ભારે ભીડ ઉમટેલી જોઈ શકાય છે. જ્યારે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તમિલનાડુના વિરુધુનગર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પણ આવો જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. તમિલનાડુ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે પણ જાણી શકાયું નથી.

ખોરધા(ઓડિશા): ઓડિશાના ખોરધામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર લોકોના મોત ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ફટાકડા યુનિટમાં વિસ્ફોટ: એવું જાણવા મળ્યું છે કે આ રહસ્યમય વિસ્ફોટ એક ઘરની અંદર સ્થાપિત ફટાકડા યુનિટમાં થયો હતો. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કામદારો હોળીના તહેવાર માટે ફટાકડા બનાવી રહ્યા હતા. બ્લાસ્ટનું તાત્કાલિક કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: Vadodara Crime News : સાવલી પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

ચાર લોકોના ઘટનાસ્થળે મોત: ઈજાગ્રસ્તોને ટાંગી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે મકાનમાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી તેને પણ નુકસાન થયું હતું. આ ઘટના ખોરધા જિલ્લાના ટાંગી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભૂષંદપુર ગામમાં બની છે.

આ પણ વાંચો: Migrant Labourers Attack : તમિલનાડુ પોલીસે રાજ્ય ભાજપના અધ્યક્ષ વિરુદ્ધ કેસ કર્યો દાખલ

સ્થળ પર ભારે ભીડ: એક અધિકારીએ જણાવ્યું કે ફટાકડા હોટકેશ્વર બેહરાની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યા હતા. પોલીસની ટીમ ગામમાં દોડી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. વિસ્ફોટ પછીના દ્રશ્યો સોશિ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્થળ પર ભારે ભીડ ઉમટેલી જોઈ શકાય છે. જ્યારે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તમિલનાડુના વિરુધુનગર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પણ આવો જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. તમિલનાડુ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે પણ જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.