બરનાલાઃ વિધાનસભાની ચૂંટણી દરમિયાન હલકા ભદૌર વિધાનસભા ચર્ચાનો વિષય રહી હતી, ત્યાં સાંધુ કલાન અને પાલા ખાનની બકરી (Charanjit Channi Goat) પણ ખૂબ ચર્ચામાં રહી છે. કારણ કે, તેમની એક બકરીની પસંદગી કરતી વખતે પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની (former cm charanjit channi)એ તેને દોહી પણ હતી. આજે એ જ બકરી ફરી ચર્ચામાં છે, કારણ કે કેટલાક લોકો આ બકરીને ચમકૌર સાહિબથી ખરીદીને લઈ ગયા છે.
![ભૂતપૂર્વ સીએમ ચરણજીત ચન્ની અને બકરી ફરી સમાચારમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-bnl-channigoatstory-pb10017_24042022112623_2404f_1650779783_1098.jpg)
આ પણ વાંચોઃ CM ચન્નીએ પોતાના કાફલાને રોકીને બકરીનું દૂધ કાઢ્યું, વીડિયો થયો વાયરલ
બકરીના માલિક પાલા ખાનના જણાવ્યા અનુસાર, ચમકૌર સાહિબથી આવેલા લોકોએ 21 હજાર રૂપિયાની કિંમતમાં આ બકરી (Punjab Cm and Goat)ને ખરીદી છે. પાલા ખાને કહ્યું કે, તેમના અંદાજ મુજબ આ બકરી પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીએ જ ખરીદી હતી. આ અંગે વિગતવાર વાત કરતા બકરીના માલિક પાલા ખાને જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly election 2022)ના પરિણામના બે દિવસ પહેલા પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની તેમની સાથે રહ્યા હતા અને બકરીને દોહવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
![ભૂતપૂર્વ સીએમ ચરણજીત ચન્ની અને બકરી ફરી સમાચારમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/pb-bnl-channigoatstory-pb10017_24042022112623_2404f_1650779783_1073.jpg)
મફતમાં બકરીનું દૂધ આપવા: દરમિયાન તે બકરીઓનુ દુધ બોટલમાં કાઢવામાં આવ્યુ હતુ. તેણે કહ્યું કે, આ પછી ચમકૌર સાહિબના કેટલાક લોકો સવારે બકરી ખરીદવા તેના ઘરે પહોંચ્યા હતા. જેમણે કહ્યું કે, તે લોકોને સેવા તરીકે મફતમાં બકરીનું દૂધ આપવા માગે છે. તેનાથી પ્રભાવિત થઈને તેણે બકરી વેચવાનું નક્કી કર્યું.
આ પણ વાંચોઃ lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા
આ પહેલા પણ તેને 1 લાખ રૂપિયા સુધીની બકરી વેચવાની ઓફર (channi goat sell offer) આવી હતી, પરંતુ તેણે બકરી વેચી ન હતી. હવે જે લોકો બકરી ખરીદવા આવ્યા હતા, તેમને માત્ર 21 હજાર રૂપિયામાં વેચી દીધી. પાલા ખાને જણાવ્યું કે, જે લોકો બકરી ખરીદવા આવ્યા હતા તેઓ ચમકૌર સાહિબથી આવ્યા હતા. તેમને ખ્યાલ છે કે, આ લોકો પૂર્વ મુખ્યપ્રધાન ચરણજીત ચન્નીના નજીકના હતા અને ચરણજીત ચન્નીએ તેમને બકરી ખરીદવા મોકલ્યા છે. તેમણે કહ્યું કે, બકરી વેચતી વખતે તેણે બકરીને પટ્ટા અને ઝાંઝરથી સજાવીને તેને વેચી દીધી હતી.