નવી દિલ્હી: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એન.સી.વિજ જણાવે (EX ARMY CHIEF VIJ STATEMENT) છે કે, કાશ્મીરમાં બે- ત્રણ વર્ષના પ્રતિકાર બાદ જમ્મુ- કાશ્મીરમાં ધીમે ધીમે આતંકવાદનો અંત આવવા લાગશે અને તે 8-10 વર્ષના સમયગાળામાં આતંકવાદની અસરોથી મુક્ત પ્રદેશ બનવાની સંભાવના છે.
વિજના પુસ્તકમાં વિશેષ દરજ્જો પાછો ખેંચવામાં આવ્યો ત્યાં સુધીની વાર્તા
વિજનું પુસ્તક 'ધ કાશ્મીર કોનડ્રમઃ ધ ક્વેસ્ટ ફોર પીસ ઇન અ ટ્રબલ્ડ લેન્ડ' (EX ARMY CHIEF VIJ BOOK) બહાર આવ્યું છે, જેમાં તેણે એક સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જમ્મુ- કાશ્મીર અને ત્યાંના લોકોની વાર્તાની સાથે વિશેષ દરજ્જો (EX ARMY CHIEF VIJ ABOUT jammu and kashmir) પાછો ખેંચવામાં આવ્યો ત્યાં સુધીની વાર્તા છે. જમ્મુ અને કાશ્મીરના રહેવાસી વિજે કહ્યું, 'આ પ્રદેશમાં આતંકવાદ જલ્દી ખતમ થવાની સંભાવના નથી. તેમાં આઠથી દસ વર્ષ લાગી શકે છે પરંતુ સમય જતાં તેની અસર ઓછી થવાની શક્યતા છે. કારણ કે પાકિસ્તાનની તોફાન કરવાની ક્ષમતા પણ ઘટી જશે.
કાશ્મીરીઓને ડર છે કે તેઓ તેમના પોતાના પ્રદેશમાં લઘુમતી બની જશે
ભૂતપૂર્વ સૈન્ય વડાએ (EX ARMY CHIEF VIJ ABOUT jammu and kashmir) કહ્યું કે તેમને ખાતરી છે કે, 5 અને 6 ઓગસ્ટ, 2019ના "નિર્ણાયક વિકાસ"એ કાશ્મીરમાં આતંકવાદને ગંભીર ફટકો આપ્યો હતો. 'હાર્પરકોલિન્સ ઈન્ડિયા' દ્વારા પ્રકાશિત પુસ્તકમાં વિજે કહ્યું છે કે, 'એક આક્રમક પરિસ્થિતિએ પાકિસ્તાન અને અલગતાવાદીઓને લડવા અને પોતાનો બચાવ કરવા માટે મર્યાદિત કરી દીધા છે. કલમ 370 અને 35A નાબૂદ થવાની સાથે જ કાશ્મીરીઓ માટે નવી મૂંઝવણ ઊભી થઈ છે. તેઓએ તેમનો વિશેષ દરજ્જો ગુમાવ્યો છે. આનાથી તેમને હંમેશા પોતાને બાકીના ભારત કરતા અલગ સમજવાની પ્રેરણા મળી. હવે તેમને ડર છે કે તેઓ તેમના પોતાના પ્રદેશમાં લઘુમતી બની જશે.
વિજના મતે કાશ્મીરીઓને તેમના વિઝન અને ભાવિ લક્ષ્યો પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો પડશે
વિજે એમ પણ કહ્યું (EX ARMY CHIEF VIJ ABOUT jammu and kashmir) કે, ભારતે પાકિસ્તાનને ભયાવહ સ્થિતિમાં મૂકી દીધું છે અને તે સ્પષ્ટ થઈ ગયું છે કે દેશ કોઈપણ ક્ષેત્રમાં પછી તે રાજદ્વારી, આર્થિક કે સૈન્ય હોય. ભારત સાથે તેનો કોઈ મુકાબલો નથી. વિજે (EX ARMY CHIEF VIJ STATEMENT) કહ્યું, “કાશ્મીરીઓની પાકિસ્તાન પર નિર્ભરતા કદાચ મોટી ભૂલ હતી, જેની કિંમત તેઓએ ચૂકવી છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં જોડાવાની કે સ્વતંત્ર થવાની તેમની ઈચ્છા ખોવાઈ ગયેલી આશા બની ગઈ છે. વિજના મતે આ તમામ પરિબળોને એકસાથે રાખવાથી ચોક્કસપણે કાશ્મીરીઓને તેમના વિઝન અને ભાવિ લક્ષ્યો પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો પડશે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ, ગુજરાતીઓને ફરવા આવવા કર્યું આહ્વાન
આ પણ વાંચો: જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં મિની બસ ખાડામાં પડતા 8 ના મોત, વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક