ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના કોકરનાગમાં એન્કાઉન્ટર, બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે(Two terrorists killed in encounter in Jammu Kashmir). આતંકીઓની ઓળખ થઈ શકી નથી. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે(Encounter Started In Kokernag JK). આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે.

author img

By

Published : Oct 10, 2022, 8:14 AM IST

Updated : Oct 10, 2022, 8:34 AM IST

જમ્મુ કાશ્મીરના કોકરનાગમાં એન્કાઉન્ટર
જમ્મુ કાશ્મીરના કોકરનાગમાં એન્કાઉન્ટર

અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તંગપાવા વિસ્તારના કોકરનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે(Two terrorists killed in encounter in Jammu Kashmir). આ આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. રવિવારે મોડી સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે(Encounter Started In Kokernag JK). આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષા દળોએ ઓપરેસન હાથ ધર્યું અધિકારીએ જણાવ્યું કે, રવિવારે મોડી સાંજે કોકરનાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની 19 RRની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાદળો આગળ વધતા જ ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.

બે આતંકિ ઠાર આમ બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ લશ્કર-એ-તૈયબા (LET)ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

બને પક્ષો વચ્ચે થયું ફાયરીંગ આ આતંકવાદીઓને ઘાટીમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. બાંદીપોરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, "લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓ ઈશફાક મજીદ ડાર અને વસીમ અહેમદ મલિકને જાહેર સુરક્ષા કાયદા હેઠળ બાંદીપોરામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.

અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના તંગપાવા વિસ્તારના કોકરનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે(Two terrorists killed in encounter in Jammu Kashmir). આ આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. રવિવારે મોડી સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે(Encounter Started In Kokernag JK). આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષા દળોએ ઓપરેસન હાથ ધર્યું અધિકારીએ જણાવ્યું કે, રવિવારે મોડી સાંજે કોકરનાગમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની 19 RRની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષાદળો આગળ વધતા જ ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.

બે આતંકિ ઠાર આમ બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બેથી ત્રણ આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ લશ્કર-એ-તૈયબા (LET)ના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

બને પક્ષો વચ્ચે થયું ફાયરીંગ આ આતંકવાદીઓને ઘાટીમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી છે. બાંદીપોરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, "લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓ ઈશફાક મજીદ ડાર અને વસીમ અહેમદ મલિકને જાહેર સુરક્ષા કાયદા હેઠળ બાંદીપોરામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.

Last Updated : Oct 10, 2022, 8:34 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.